Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતા સપ્તાહે મનપાનું જનરલ બોર્ડ:રાજકોટ મનપાની 15 સમિતિઓનાં ચેરમેન જાહેર થશે, પ્યુન સહિતની સુવિધાવાળો હોદ્દો મેળવવા ખેંચતાણ શરૂ

    7 hours ago

    રાજકોટ મહાનપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક એમ મુખ્ય પાંચ હોદ્દા ઉપર ભારે ગડમથલ બાદ આખરે નામ જાહેર કરી દેવાયા છે. આ તમામ પદાધિકારીઓએ પોતપોતાનો ચાર્જ સંભાળી કામગીરી પણ શરૂ કરી દીધી છે. આવતા સપ્તાહે ખાસ જનરલ બોર્ડમાં મનપાની જુદી-જુદી 15 સમિતિઓના ચેરમેનનાં નામની જાહેરાત કરવામાં આવે તેવી પૂરતી શક્યતા છે. ઓફિસ, પ્યુન સહિતની સુવિધાવાળો આ હોદ્દો મેળવવા જીતેલા નગરસેવકોમાં ભારે ખેંચતાણ શરૂ થઈ છે. અને 'વજનદાર' ગણાતી અમુક સમિતિ મેળવવા માટે એક કે બીજી રીતે દોડધામ કરવા લાગ્યા હોવાનું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે. સમિતિમાં સામેલ થવા કરતા ચેરમેન બનવુ જ દરેકને પસંદ હોય પ્રાપ્ત વિગત મુજબ ભાજપના 68 કોર્પોરેટર ચૂંટાયા છે. અને પ્રત્યેક સમિતિમાં ચેરમેન સહિત 4 લોકોનો સમાવેશ કરવામાં આવે છે. મેયર સહિતના પાંચ હોદ્દાને બાદ કર્યા બાદ બાકી 63 કોર્પોરેટર રહે છે જેમને 15 સમિતિમાં સ્થાન આપવામાં આવશે. જો કે સમિતિમાં સામેલ થવા કરતા ચેરમેન બનવુ જ દરેકને પસંદ હોય છે. તેના માટે અત્યારથી જ ભારે દોડધામ શરૂ કરવી પડી છે. 15 પૈકી બાંધકામ, સમાજ કલ્યાણ, આરોગ્ય, એસ્ટેટ, પ્લાનિંગ, વોટર વર્ક્સ સહિતની સમિતિઓ અત્યંત 'વજનદાર' ગણાતી હોય આ તમામમાં 'અનુભવી' કોર્પોરેટરો જેવા કે દિલીપ લુણાગરીયા, ડૉ.પ્રદીપ ડવ, નરેન્દ્રસિંહ જાડેજા, કેતન પટેલ, અશ્વિન ભોરણીયા તેમજ કાળુ કુગશીયા સહિતના કે જેમને પાછલી ટર્મનો પણ સારો એવો અનુભવ હોય તેમને જ પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. પક્ષના આદેશને શિરોમાન્ય ગણ્યો છે આ ઉપરાંત કિશન ટીલવા, ધૈર્ય પારેખ, ડૉ.પરેશ ઠાકર, જાનકીબેન કાટોળીયા, કિરણબેન માંકડીયા, વર્ષાબેન પાંધી, રસીલાબેન સાકરીયાને પણ સમિતિનું ચેરમેનપદ મળે એવી પૂરેપૂરી શક્યતા નકારી શકાતી નથી. ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોમાં સ્થાન ન મળ્યું હોય એવા સભ્યોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે એવી પ્રબળ સંભાવના છે. એક વાત એવી પણ સામે આવી છે કે, અમુક કોર્પોરેટર કે જેઓ મુખ્ય પાંચ પૈકી એક હોદ્દો મેળવવાની ખેવના રાખતા હતા પરંતુ, તેમને હોદ્દો મળ્યો નથી ત્યારે હવે તેમણે મળ્યું તો ઠીક નહીંતર 'નસીબ' માનીને છેડા લંબાવવાનું એટલે કે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરવાનું તદ્દન બંધ કરી દીધું છે અને પક્ષના આદેશને શિરોમાન્ય ગણ્યો છે. સીનિયર કોર્પોરેટરને પ્રાધાન્ય આપવાની નવી વ્યુહરચના પક્ષ દ્વારા ઘડવામાં આવી મહાનગરપાલિકામાં બાંધકામ, સેનિટેશન, સમાજ કલ્યાણ, આરોગ્ય, લાઈટિંગ, વોટર વર્ક્સ, માર્કેટ, કાયદો અને નિયમો, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લિયરન્સ, પ્લાનિંગ, ડ્રેનેજ, બાગ-બગીચા અને ઝૂ, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ, માધ્યમિક શિક્ષણ અને આનુષંગિક શિક્ષણ તથા એસ્ટેટ મેનેજમેન્ટ સહિતની વિવિધ 15 સમિતિઓ કાર્યરત છે. સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાન ન મળ્યું હોય એવા સીનિયર કોર્પોરેટરને પ્રાધાન્ય આપવાની નવી વ્યુહરચના પક્ષ દ્વારા ઘડવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આવતાં અઠવાડિયે સમિતિના ચેરમેનોની સત્તાવાર નિમણૂક કરવા અને પદભાર સોંપવા ખાસ જનરલ બોર્ડ બોલાવવામાં આવશે જેમાં નામોની સત્તાવાર જાહેરાત થશે. પક્ષ માટે તમામ સીનિયર અને પાયાના કાર્યકરોને સાચવી લેવા એ મોટો પડકાર રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા અનુસાર મેયર અને સ્ટે. ચેરમેન સહિતના 5 હોદ્દા પર જે સીનિયર કોર્પોરેટરોના નામ ન આવ્યા અને જેઓ ક્યાંક ને ક્યાંક અસંતોષ કે આશા રાખીને બેઠા હતા એવા કોર્પોરેટરોને આગામી સપ્તાહે જાહેર થનારા વિવિધ 15 સમિતિના ચેરમેન બનાવીને 'ખુશ' કરી દેવામાં આવે એવી ગણતરીઓ શાસક પક્ષ ભાજપમાં ચાલી રહી છે. જે કોર્પોરેટરો મુખ્ય પાંચ હોદ્દાની સીટ ચૂકી ગયેલા છે તે તમામ ઈચ્છુકો આ 15 સમિતિ પૈકી શાસક પક્ષ માટે તમામ સીનિયર અને પાયાના કાર્યકરોને સાચવી લેવા એ મોટો પડકાર છે. ચેરમેનોને એ.સી.ઓફિસ, પ્યુન સહિતની તમામ સુવિધા પણ આપવામાં આવે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકામાં સમિતિઓનાં ચેરમેન જે પણ બને તે કાયમ કચેરીમાં હાજર રહે તે અત્યંત જરૂરી છે. જોકે, અઠવાડિયામાં અમુક વારને બાદ કરતાં સમિતિઓના ચેરમેન પોતાની ચેમ્બરમાં હાજર રહેતા નથી તે પણ ખરેખર કડવી વાસ્તવિકતા છે. ચેરમેનોને એ.સી.ઓફિસ, પ્યુન સહિતની તમામ સુવિધા પણ આપવામાં આવે છે. છતાં તેમની ગેરહાજરી હોવાથી દૂર-દૂરથી આવતા અરજદારોને ધક્કા થતા હોય હવે જે ચેરમેન બને તે કાયમ એક નિશ્ચિત સમય માટે કચેરીમાં હાજર રહે તે જરૂરી બની જાય છે, અન્યથા આ પ્રકારની નિમણૂકનો કોઈ જ ફાયદો જ રહેશે નહીં.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી થઈ, 4 લોકોનાં મોત:10 ઘાયલ AIIMS ટ્રોમા સેન્ટરમાં દાખલ, 3 ની હાલત ગંભીર; 12 લોકોને બચાવવામાં આવ્યા
    Next Article
    અમદાવાદમાં જમવામાં કીડી નીકળ્યાની ફરિયાદ કરતા રૂમ પાર્ટનરોએ પતાવી દીધો:પહેલાં યુવકના માથામાં ઘા મારી બેભાન કર્યો, પછી મોઢામાં કપડું ઠૂસી ફરાર થયા હતા, કિશોર સહિત ચારની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment