Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં બાળ તસ્કરી કેસની મહિલા આરોપીનાં જામીન નામંજુર:પિતાના ઓપરેશન અને ભત્રીજાના લગ્નના બહાને 15 દિવસના જામીન માંગ્યા હતા

    2 days ago

    પાટણના ત્રીજા એડિશનલ સેશન્સ જજ એમ.એ. શેખની અદાલતે બાળ તસ્કરી અને છેતરપિંડીના ગંભીર ગુનામાં સબજેલમાં બંધ મહિલા આરોપી શિલ્પાબેન ભેમાભાઇ ઠાકોરની 15 દિવસની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે. અદાલતે નોંધ્યું હતું કે આરોપી સામેના આક્ષેપો ગંભીર પ્રકારના છે અને જામીન માટે દર્શાવેલા કારણો પૂરતા જણાતા નથી. આ કેસની વિગત મુજબ, મુખ્ય આરોપી સાંતલપુરના એક ગામના ડો. સુરેશભાઇ ઠાકોરે પાટણમાં રહેતા ફરિયાદી પાસેથી રૂા. 1,20,000 લઈ બાળક વેચાણથી આપ્યું હતું. આ મામલે રાધનપુર નગરપાલિકામાં ખોટું જન્મનું પ્રમાણપત્ર કઢાવવા અને છેતરપિંડી કરવા બદલ પાટણ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આઈ.પી.સી. (હવે બી.એન.એસ.), જુવેનાઇલ જસ્ટિસ એકટ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ શિલ્પાબેન ઠાકોર હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. અરજદાર શિલ્પાબેન ઠાકોર તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે તેઓ અપરિણીત સ્ત્રી છે અને તેમના 70 વર્ષીય પિતાને પગનું ઓપરેશન કરાવવાનું હોવાથી નાણાકીય વ્યવસ્થા તેમજ સારવાર માટે તેમની હાજરી અનિવાર્ય છે. આ ઉપરાંત, ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા માટે પણ 15 દિવસના વચગાળાના જામીનની માંગણી કરવામાં આવી હતી. સામે પક્ષે સરકારી વકીલ જે. જે. બારોટે જામીન અરજીનો સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આરોપી સામે માનવ તસ્કરી અને દસ્તાવેજોમાં છેતરપિંડી જેવા ગંભીર આક્ષેપો છે. તપાસ કરનાર અધિકારીના અહેવાલ મુજબ, ડોક્ટરે પિતાના ઓપરેશન માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા આપી નથી, અને પરિવારના અન્ય સભ્યો પણ આ સામાજિક જવાબદારીઓ નિભાવી શકે તેમ છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે ઠેરવ્યું હતું કે પિતાના ઓપરેશન માટે કોઈ ચોક્કસ 'ઇમરજન્સી' સમયગાળો ડોક્ટરે દર્શાવ્યો નથી. લગ્ન પ્રસંગ કે પિતાની સારવાર ઘરના અન્ય સભ્યો દ્વારા પણ થઈ શકે છે. ગુનાની ગંભીરતા અને સજાની જોગવાઈ જોતા આરોપીને મુક્ત કરવા ન્યાયના હિતમાં નથી. પરિણામે, બી.એન.એસ.એસ. 2023ની કલમ-483(1) મુજબની આ અરજીને અદાલતે નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પતિના ત્રાસથી પત્નીનો આપઘાત:ચીઠ્ઠીમાં લખ્યું-'મૈં ઉનકા દુ:ખ નહીં દેખ પા રહી, પાગલ હો ગઈ હું'; મહિલાના ભાઈએ ફરિયાદ નોંધાવી
    Next Article
    દમણ પોલીસે તમિલનાડુની 4 ચોર ગેંગ ઝડપી:વહેલી સવારે ખુલ્લા દરવાજાવાળા ઘરોને નિશાન બનાવતી, ₹13.38 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment