Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર કચેરી પાછળ જ અંધારપટ:15 દિવસથી પાણીનું ટીપુંય નહીં, રસ્તા પર તો ખાડા જ ખાડા

    6 days ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા છતાં કલેક્ટર કચેરીની પાછળ આવેલી નૂરી પાર્ક સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકો ટળવળી રહ્યા છે. 43 ડિગ્રીના આકરા તાપમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી બંધ હોવાથી 150થી વધુ પરિવારો 800નું ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે. ખાડા-ખાબોચિયાવાળા રસ્તા અને બંધ સ્ટ્રીટ લાઇટથી ત્રસ્ત મહિલાઓએ મંગળવારે મનપા કચેરીએ હલ્લાબોલ કરી તાત્કાલિક સુવિધા નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગર કલેકટર કચેરી પાછળ આવેલી નૂરી પાર્ક સોસાયટીમાં અંદાજિત 150થી વધુ મકાનો આવેલા છે અને ત્યાં પરિવારજનો પણ વસવાટ કરી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા 15થી વધુ સ્ટ્રીટ લાઇટોના થાંભલા ઊભા કરવામાં આવ્યા છે. પરંતુ રાત્રિ દરમિયાન ત્યાંથી પસાર થતાં લોકોને અંધારામાંથી પસાર થવું પડે છે અને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જ્યારે બીજી તરફ આ વિસ્તારમાં 15 દિવસથી પીવાનું પાણી વિતરણ કરવામાં ન આવ્યા હોવાની સ્થાનિક મહિલાઓ દ્વારા હૈયા વરાળ ઠાલવવામાં આવી હતી. મનપાના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી હતી. હાલ તાપમાન પણ 43 ડિગ્રી નજીક પહોંચી ગયું છે ત્યારે પીવાના પાણીની આ સોસાયટીમાં ગંભીર સમસ્યા સર્જાય છે. ટેન્કરના રૂ. 700થી 800 રૂપિયા ખર્ચ કરી અને પીવા અને વપરાશનું પાણી ખરીદી કરી અને ત્યારબાદ જીવન જરૂરિયાતનું પાણી લેવું પડી રહ્યું છે. છેલ્લા 6 વર્ષથી આ વિસ્તારમાં રોડ, રસ્તા અંગેની રજૂઆતો મનપામાં કરાઈ છે. છતાં પણ રોડ રસ્તા અને કોઈ પણ પ્રકારની મરામત કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી. રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયા હોવાના કારણે અકસ્માતનો ભય રહે છે. ભાસ્કર ફર્સ્ટ પર્સન‎- સુવિધા નહીં મળે તો આંદોલન કરીશું રહીશ શબનમબેને જણાવ્યું હતું કે, આ અંગે આવેદનપત્ર આપી અને મહિલાઓ દ્વારા સુરેન્દ્રનગર કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી છે. આ અંગે મહિલાઓએ જણાવ્યું કે અગામી દિવસોમાં જો પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હાલ નહીં થાય, સ્ટ્રીટ લાઇટ, પાણી અને રોડ-રસ્તાની સુવિધા નહીં મળે તો આંદોલનની ચીમકી પણ આ વિસ્તારની મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દુર્ગંધથી રોગચાળાનો ભય:વઢવાણમાં 10 દિવસમાં 25 ભૂંડના મોત
    Next Article
    વિદ્યાર્થી દીઠ 94 હજારની સ્કોલરશિપ‎:સુરેન્દ્રનગરની સરકારી શાળાએ રચ્યો ઈતિહાસ, ‎જ્ઞાન સાધનામાં એક સાથે 51 વિદ્યાર્થી મેરીટમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment