Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાકડાથી રસોઈ શરૂ થઈ તો લાકડાના ભાવમાં પણ ભડકો:15 રૂ. કિલો વેચાતું લાકડું 25 રૂપિયે પહોંચતા રેસ્ટોરન્ટના માલિકની પરિસ્થિતિ કફોડી બની, જમવાની થાળીમાં રૂ. 10નો સીધો વધારો

    10 hours ago

    સુરતમાં કોમર્શિયલની અછતના કારણે ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ શહેરના ખાણી-પીણી ઉદ્યોગમાં મોટી ઉથલપાથલ મચાવી દીધી છે અને તેની માઠી અસરની શરૂઆત અત્યારથી જ જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડરના ભાવો આસમાને પહોંચતા સુરતના રેસ્ટોરન્ટ સંચાલકો હવે આર્થિક બોજ હળવો કરવા માટે મજબૂરીવશ આધુનિક ગેસ સ્ટવ છોડીને ફરીથી લાકડાના બળતણ તરફ વળી રહ્યા છે. જે રેસ્ટોરન્ટ્સમાં અત્યાર સુધી ગેસ પર રસોઈ બનતી હતી, ત્યાં હવે મોટા ચૂલાઓ પર લાકડા સળગાવીને રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે. લાકડું 15 રૂપિયાથી સીધું 25 રૂ. પ્રતિ કિલોના ભાવે વેચાવાનું શરૂ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી ઓછી થઈ રહી નથી કારણ કે ગેસની સાથે સાથે લાકડાના ભાવમાં પણ મોટો ભડકો થયો છે. જે લાકડું અગાઉ બજારમાં રૂ. 15 પ્રતિ કિલોના ભાવે મળતું હતું, તેની માગ વધતા હવે તે સીધું રુ.25 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. બળતણના આ અસહ્ય ભાવ વધારાને કારણે રેસ્ટોરન્ટ માલિકો પાસે હવે ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી, જેને પગલે રસોઈમાં પ્રતિ ડીશ સીધો 10 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. બહારથી આવીને વસેલા મધ્યમ વર્ગ માટે ભાવ વધારો મોટો ફટકો સુરત જેવા શહેરમાં જ્યાં હજારોની સંખ્યામાં શ્રમિકો અને મધ્યમ વર્ગના લોકો રોજીરોટી માટે બહારથી આવીને વસેલા છે, તેમના માટે આ ભાવ વધારો મોટો ફટકો સાબિત થઈ રહ્યો છે. શહેરના પંજાબી રસોઈ રેસ્ટોરન્ટમાં દરરોજ સરેરાશ 150થી 200 લોકોનું જમવાનું બનાવવામાં આવે છે અને આટલી મોટી સંખ્યામાં રસોઈ બનાવતી વખતે બળતણનો ખર્ચ સીધો નફા પર અસર કરે છે. પંજાબી થાળીના ભાવ પણ 50થી વધારીને 60 પ્રતિ ડીશ કરાયા ભાવ વધારાની વિગતો જોઈએ તો, જે છોલે ભટુરે અત્યાર સુધી રુ. 70 પ્રતિ ડિશ મળતા હતા તેના ભાવ હવે 80 કરી દેવામાં આવ્યા છે. તેવી જ રીતે સામાન્ય માણસની પહેલી પસંદ ગણાતા રાજમા ચાવલ, કડી ચાવલ અને છોલે ચાવલ જે અગાઉ 50 પ્રતિ ડીશ મળતા હતા, તે હવે 60માં વેચાઈ રહ્યા છે. એટલું જ નહીં, શ્રમિક વર્ગમાં લોકપ્રિય એવી પંજાબી થાળીના ભાવ પણ 50થી વધારીને 60 પ્રતિ ડીશ કરી દેવામાં આવ્યા છે. આમ, કોમર્શિયલ ગેસના ભાવ વધારાની ચેઈન રિએક્શનને કારણે સુરતવાસીઓની થાળી હવે મોંઘી થઈ ગઈ છે અને મોંઘવારીનો આ માર છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. કોમર્શિયલ ગેસની અછતથી નાના ધંધાર્થીઓ પરેશાન પંજાબી રસોઈના માલિક તરુણભાઈએ જણાવ્યું હતું કે, કોમર્શિયલ ગેસની જુઓ તો બહુ પરેશાની છે, બહુ તકલીફ છે અત્યારે. ક્યાંય પણ નથી મળી રહ્યો, બહુ ખરાબ હાલત છે. લાકડા પર જમવાનું બનાવવું પડી રહ્યું છે. જે થાળીનો ભાવ 50 રૂપિયા હતો તે હવે 60 રૂપિયા કર્યો છે. અને હાલત એવી છે કે જે લાકડા 15 રૂપિયે કિલો મળતા હતા, તે પણ હવે 25 રૂપિયે કિલો થઈ ગયા છે. તોતિંગ ભાવ વધારા અને અછતના પગલે ઘરે પરત ફરવા મજબૂર હવે અમે એ વિચારી રહ્યા છીએ કે, જમવાનું ખવડાવીએ કે ભાવ વધારીએ? શું કરીએ એ જ નથી સમજાતું. અમારી રેસ્ટોરન્ટમાં મજૂર લોકો જ આવે છે. અમે મજૂર લોકોને જ જમવાનું ખવડાવીએ છીએ. તમારી ચેનલના માધ્યમથી જ જોઈએ છીએ કે ઉધના સ્ટેશન પર કેટલી ભીડ છે, લોકો ઘરે જઈ રહ્યા છે. જ્યારે મજૂરો જ નહીં હોય તો અમે કોને જમાડીશું? અમારે તો મજૂરોનું જ કામ છે. 50-60ની થાળી તો મજૂર જ ખાશે, અમીર માણસ તો ખાશે નહીં. અત્યારે તો એવી હાલત છે કે હવે ફરી પાછા ઘરે જવાની તૈયારી પર છીએ. છોકરાઓને ઘરે મોકલી રહ્યા છીએ. લાકડા પર જેટલા દિવસ ચાલશે એટલા દિવસ ચલાવીશું, નહીં ચાલે તો 'જય રામજી કી'. કંઈક ને કંઈક તો કરીશું જ. વહેલી તકે ગેસ પૂરો પાડવામાં આવે તેવી માગ સ્ટાફ ઘટાડવાને લઈને તેમને કહ્યું હતું કે, સ્ટાફનું તો શું કરીએ, સ્ટાફને તો મોકલવા જ પડશે ને? હવે માણસો ઘટાડવા જ પડશે, ક્યાંથી આવશે પૈસા એમને આપવા માટે? બસ અમારી સરકાર પાસે એક જ માગ છે કે વહેલી તકે ગેસ પૂરો પાડવામાં આવે અને વ્યવસ્થિત ચાલુ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં વ્યાજખોરે વેપારી પાસેથી ₹18 લાખ વસૂલ્યા:મારપીટ અને ધમકી આપતા વિડીયો વાયરલ, પોલીસ હરકતમાં
    Next Article
    મહીસાગર SOGએ મોબાઈલ ચોર પકડ્યો:સંતરામપુર પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment