Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્લીમાં કોંગ્રેસના ધરણાના વડોદરામાં પડઘા:રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તા બેનરો સાથે રસ્તા પર ઉતર્યાં, 15ની અટકાયત

    1 day ago

    દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના પગલે વડોદરા શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. માંજલપુર વિસ્તારમાં સરસ્વતી સર્કલ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો એકઠા થયા હતા અને સરકાર વિરોધી જોરદાર નારેબાજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્લીમાં પીએમ આવાસ બહાર ધરણાને લઈ રાહુલ ગાંધીની પોલીસે અટકાયત કરી હતી. જો કે ત્રણ કલાક બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા. ઋત્વિજ જોષી, ભીખા રબારી પ્રદર્શનમાં જોડાયા દેશના યુવાનોના ભવિષ્ય અને વર્તમાન પ્રશ્નોના સમર્થનમાં મેદાનમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન દ્વારા શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યાં હતા અને યુવાનોના હિતોના રક્ષણ માટે સરકારને ઘેરીને અનેક સવાલો પૂછ્યા હતા. આ સમગ્ર વિરોધ કાર્યક્રમને કારણે માંજલપુર અને આસપાસના વિસ્તારોમાં રાજકીય વાતાવરણ તંગ બની ગયું હતું. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, માંજલપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. પોલીસે 15 કાર્યકરની અટકાયત કરી પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈ રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની કડક કાર્યવાહી વચ્ચે પણ કોંગ્રેસના કાર્યકરો સતત ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા. પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે માંજલપુર સરસ્વતી સર્કલ પાસેથી 15થી વધુ અગ્રણી કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન પણ કાર્યકરોનો વિરોધ ચાલુ રહ્યો હતો, જેના કારણે માંજલપુર વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક અને રાજકીય માહોલ ગરમ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઇન્ચાર્જ રાજથી વહિવટ ખાડે ગયો !:રાજકોટ મહાનગરપાલિકામાં વર્ગ-1 અને વર્ગ-2ની 50 કરતા વધુ મહત્વની જગ્યાઓ ખાલી, 19 જગ્યાઓ પર ઇન્ચાર્જ અધિકારીઓથી ગાડું ગબડાવાય છે !
    Next Article
    કરજણ પાસે એક્સપ્રેસ હાઈવે પરથી વિદેશી દારૂ ઝડપાયો:પોલીસને જોઈ ડ્રાઈવર ગાડી ચાલુ મૂકી રેલિંગ કૂદી ફરાર, બનાવટી નંબર પ્લેટ અને ડુપ્લિકેટ RC બુક નીકળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment