Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં વાવાઝોડાથી અગરિયાઓને નુકસાન: પ્રથમવખત સર્વે:જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સ્ટાફ આવતીકાલથી ઝૂંપડે-ઝૂંપડે જઈ રિપોર્ટ બનાવશે, 15થી 20 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ

    1 week ago

    કચ્છના નાના રણમાં 19 માર્ચે આવેલા વિનાશક વાવાઝોડાથી મીઠું પકવતા અગરિયા સમુદાયને મોટું નુકસાન થયું હતું. આ નુકસાનનો પ્રથમ વખત સર્વે કરવામાં આવશે. ધારાસભ્ય પી.કે. પરમારે દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીનો સ્ટાફ રણમાં ઝૂંપડે-ઝૂંપડે જઈ અગરિયાઓને થયેલા નુકસાનનો સર્વે કરીને સરકારને રિપોર્ટ મોકલશે. આ ભીષણ વાવાઝોડાએ રણ વિસ્તારમાં રહેતા અગરિયા સમુદાયને ભારે મુશ્કેલીમાં મૂક્યો છે. પ્રાથમિક અહેવાલ મુજબ, વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે આશરે 15થી 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. વાવાઝોડાના કારણે મીઠાના ઉત્પાદન માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સોલર વોટર-પમ્પિંગ સિસ્ટમો સ્ટેન્ડ સાથે ઉખડી ગઈ અને તૂટી ગઈ. આ ઉપરાંત, ક્રિસ્ટલાઇઝરમાં પાકેલા મીઠા પર ધૂળ અને રણની માટીનો થર જમા થતાં હજારો ટન મીઠું બગડી ગયું છે. નાના રણના ખારાઘોડા, ઝીંઝુવાડા, મીઠાગોઢા, નાગબાઈ, ધાંગધ્રા, હળવદ, મોરબી, આડેસર અને સાંતલપુર સહિતના વિસ્તારોમાં આફત જેવી સ્થિતિ સર્જાઈ છે. અગરિયાઓના રહેઠાણોના છાપરાં ઉડી ગયા હતા, જેના કારણે ઘરવખરી, કરિયાણું અને અન્ય જરૂરી સામગ્રી તૂટી ગઈ અને પલળી ગઈ. અસરગ્રસ્ત પરિવારોએ રણની અંધારી રાત ખુલ્લા આકાશ નીચે વિતાવી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લોકોનું જીવન અત્યંત કઠિન બન્યું છે. છેલ્લા પાંચ વર્ષથી ચોમાસાની અનિયમિતતા અને વહેલી શરૂઆતને કારણે મીઠાની સિઝન આઠ મહિનાથી ઘટીને સાડા છ મહિના થઈ ગઈ છે. નર્મદા કેનાલમાંથી છોડવામાં આવતું વધારાનું પાણી પણ વખતોવખત અગરિયાઓના મીઠાના અગરો પર ફરી વળે છે. આ પહેલાથી ચાલી રહેલી મુશ્કેલીઓ વચ્ચે હવે વાવાઝોડાનો આ ઘા સહન કરવો તેમના માટે વધુ મુશ્કેલ બન્યો છે. નાના રણના જુદા જુદા ભાગોમાં મીઠું પકવવા ગયેલા 300થી વધુ અગરિયા પરિવારોને આ વાવાઝોડાથી સરેરાશ પ્રતિ પરિવાર ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
    Click here to Read More
    Previous Article
    ચાણસ્માના ઝીલિયામાં ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર:પોલીસ વાન પર મસ્તાની ગેંગે હુમલો કર્યો હતો; સૂત્રધાર ભાવેશ રબારીના કબ્જા વાળી ગૌચર જમીન ખાલી કરાવાઈ
    Next Article
    આંગણવાડી કાર્યકરોએ મોડાસામાં પડતર માંગણીઓ માટે સૂત્રોચ્ચાર કર્યા:હાઈકોર્ટના ચુકાદાના અમલ અને પગાર વધારા માટે ત્રણ દિવસની હડતાળ યોજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment