Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતો માટે પિયત, ખાતર, દવા સહિતની મૂઝવણો અંગે સવાલ જવાબ‎:15 જુલાઈ સુધી અડદ, તુવર, મગ સહિતના પાકોનું વાવેતર કરી શકાય

    1 day ago

    ભાસ્કર એક્સપર્ટ‎- વી.કે. પટેલ, નિવૃત્ત ખેતીવાડી ‎અધિકારી સાબરકાંઠા જિલ્લો‎ ચાલુ વર્ષે સુપર અલનિનોએ ચોમાસાને પાછું ધકેલ્યું છે અને વાવેતરનો ગોલ્ડન સમયગાળા વરસાદ વગર પસાર થઈ રહ્યો છે. જેને લઈને વહેલા વાવેતર કરનાર અને વાવણી માટે વરસાદની રાહ જોઈને બેઠેલા મોટાભાગના ખેડૂતો અસમંજસ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લા નિવૃત્ત ખેતીવાડી અધિકારી વી.કે. પટેલે વાવણીલાયક વરસાદ ક્યારે થાય અને તે સમયે કેવા પાકની વાવણી કરી શકાય તથા જેણે આગોતરું વાવેતર કરી દીધું છે તેમણે પિયત, ખાતર, દવા ક્યારે અને કેવી સ્થિતિમાં આપવી સહિતની તમામ મૂંઝવણોનું માર્ગદર્શન કર્યું છે. સવાલ: વરસાદ મોડો પડ્યો છે, તો અત્યારે ખેડૂતોએ કયા પાકની વાવણી કરવી જોઈએ જેથી નુકસાન ન થાય? જવાબ: 20 જૂનથી 15 જુલાઈ સુધી ચોમાસું પાકોમાં અડદ, તુવર, મગ, તલ, સોયાબીન, મગફળી (ટૂંકાગાળાની જાત), કપાસ (ટૂંકાગાળાની જાત) વગેરેનું વાવેતર કરી શકાય. આ માટે મોડામાં મોડા - 5 થી 10 જુલાઈ વચ્ચે સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થવો જરૂરી છે. જેથી વરાપ આવેથી ખેડૂતો વાવણી કરી શકે. દિવેલાનો પાક 15-ઓગષ્ટ પછી વાવણીની ભલામણ છે. ​આ સિવાય બાજરી ની વાવણી કરી શકાય છે. સવાલ: ​જો જમીનમાં પૂરતો ભેજ ન હોય, તો વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ: વાવણી સમયે પૂરતો ભેજ હોવો જોઈએ અથવા બિલકુલ ભેજ હોવો જોઈએ નહીં. જો અધૂરા ભેજમાં વાવણી કરવામાં આવે તો અને ત્યાર બાદ બે-બે દિવસમાં વરસાદ ન આવે તો બિયારણ બગડવાની શક્યતા રહે છે. સવાલ: ​ઘણા ખેડૂતોએ પહેલેથી જ વાવણી કરી દીધી હોય તો, પાકની માવજત કેવી રીતે કરવી જોઈએ? જવાબ: જે ખેડૂતો પાસે પિયતની સુવિધા છે તેઓએ કપાસ અને મગફળી પાકનું આગોતરું વાવેતર કરેલ છે. અત્યારે પાક પરિસ્થિતિ ખૂબ જ સારી છે. પણ હવે જો વરસાદ ખેંચાય અને પાણીની અછત સર્જાય તો મગફળીનો પાક સૂકાઈ જવાની શક્યતા રહે. કપાસના મૂળ ઊંડાઈએ જતા હોય તેને વાંધો આવતો નથી. ખેડૂતોએ વાવેતર કરેલ પાકને નિંદામણ મુક્ત કરવા જંતુનાશક દવાનો છંટકાવ કરવો સવાલ: ​શું આ પરિસ્થિતિમાં પાક બદલવો હિતાવહ છે? કયા પાક પર વધુ જોખમ છે? જવાબ: જે ખેડૂતો શિયાળુમાં બટાકા વાવવા માંગતા હોય તેઓએ મગફળી કે સોયાબીન જેવા પાક ના બદલે કઠોળ પાક - અડદ કરવા જોઈએ. બાકી શિયાળામાં ઘઉં ને મકાઈ જેવા પાક લેવાના હોય તેઓએ 15-જુલાઈ સુધી પાક બદલવાની જરૂર નથી. સવાલ: ​ઓછા વરસાદમાં પાકને ટકાવી રાખવા કોઈ ખાસ પદ્ધતિઓ (જેમ કે ડ્રિપ ઈરિગેશન કે મલ્ચિંગ) કેટલી અસરકારક સાબિત થઈ શકે? જવાબ: ઓછો કે વધુ વરસાદ હોય તે અગત્યનું નથી પરંતુ પાકને તેની અવસ્થા દરમિયાન માત્ર ભેજની જરૂરિયાત ‎હોય છે સૂક્ષ્મ પિયત સિંચાઈ, ફુવારા પદ્ધતિ એ ખૂબ જ આશિર્વાદ રૂપ છે. મલ્ચીંગ‎ પણ ભેજ સંગ્રહ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે તેથી આ પદ્ધતિઓ ખેડૂતોએ‎ કાયમી ધોરણે અપનાવવી જોઈએ.‎ સવાલ: ​જમીનમાં ભેજ જાળવી રાખવા માટે અત્યારે કયા પ્રકારના કૃષિ કાર્યો‎ કરવા જોઈએ અને કયા પ્રકારના ન કરવા જોઈએ ?‎ જવાબ: જમીનમાં ભેજ સંગ્રહ કરવા માટે ખેડૂતોએ આંતર-ખેડમાં છીછરી ખેડ‎ કરવી જોઈએ. ઊંડી ખેડ કરવી જોઈએ નહિ, નિંદામણ દૂર કરવું જોઈએ. મલ્ચીંગ ‎કરવું જોઈએ, રાસાયણિક ખાતર ન આપવા.‎ સવાલ: ​મોડા ઓછા વરસાદને કારણે જીવાત કે રોગચાળાનું જોખમ વધે છે? ‎ખેડૂતોએ કયા લક્ષણો પર ધ્યાન રાખવું જોઈએ?‎ જવાબ: મોડા અને ઓછા વરસાદના રોગ-જીવાતનું જોખમ વધે તેવું નથી હોતું.‎ મોટે ભાગે પાકની અવસ્થા મુજબ રોગ-જીવાત આવતી હોય છે સાથે સાથે ઘણી‎વાર વાતાવરણમાં થતા અચાનક ફેરફારને કારણે આવું બને છે. ખેડૂતોએ આ ‎બાબતે સતત મોનિટરિંગ કરવું જોઈએ અને તે મુજબ નિયંત્રણના પગલાં ભરવા ‎જોઈએ.‎ સવાલ: ​હવામાન વિભાગની આગાહી મુજબ જો ફરી લાંબો અંતરાલ આવે, તો‎ ખેડૂતોએ બેકઅપ પ્લાન તરીકે શું તૈયારી રાખવી જોઈએ?‎ જવાબ: 15 જુલાઈ સુધી : મગફળી (ટૂંકાગાળાની), કપાસ (ટૂંકાગાળાની),‎સોયાબીન (ટૂંકાગાળાની) અને અન્ય તમામ ખરીફ પાકો, શાકભાજી.‎ ​15 જુલાઈ થી 30 જુલાઈ : મગ, મઠ, અડદ, તુવેર (ટૂંકાગાળાની), બાજરી, કપાસ ‎(ટૂંકાગાળાની), તલ, જુવાર 30 જુલાઈ પછી : અડદ, જુવાર, તલ, ઘાસચારો ‎‎​15 ઓગષ્ટ પછી : તલ, ઘાસચારો‎
    Click here to Read More
    Previous Article
    વેરાવળ નજીક ડાભોરમાં 10 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યૂ:પ્રાથમિક શાળા નજીક દેખા દેતા લોકોમાં ફફડાટ, વન વિભાગે એક કલાકમાં કાબૂમાં લઈ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડ્યો
    Next Article
    Anthropic set to restore Fable 5 and Mythos 5 after US lifts export restrictions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment