Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘોડીયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધીનો રસ્તો 15 દિવસ બંધ રહેશે:વરસાદી ચેનલની કામગીરીના પગલે નિર્ણય કરાયો, વાહનચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે

    1 day ago

    વડોદરા મનપાના વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના વાઘોડીયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધી નેશનલ હાઈવેની સમાંતર વરસાદી ચેનલનું કામ ચાલી રહ્યું છે જેના પગલે વાહનો માટે રસ્તો 15 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 15 દિવસ સુધી રસ્તો બંધ રહેશે શહેરના વાધોડીયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધી નેશનલ હાઈવેની સમાંતર વરસાદી ચેનલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે PM આવાસ (ખટંબા રેસીડન્સી) પાસે હાઈવે સાથે જોડાતા 27 મીટરના રસ્તાને કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક જંક્શન પરથી વાહન વ્યવહારને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. કામગીરીને સરળ અને ઝડપી બનાવવા માટે તા. 14મે 2026થી આગામી 15 દિવસ સુધી અથવા કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ રસ્તો સિંગલ લેન અથવા જરૂરિયાત મુજબ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. વહીવટી તંત્રે નાગરિકોને અનુરોધ કર્યો છે કે આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. આ કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તો ફરીથી સામાન્ય વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બદલીની મિનિટોમાં જ સર્જાયો અજીબ જોગાનુજોગ:ગાંધીનગર મનપામાં કમિશનરની બદલી ટાણે જ કચેરીના પોપડા ઉખડ્યા, નવા કમિશનર જે.એસ.પ્રજાપતિ સામે પોલમપોલ ડામવાનો પડકાર
    Next Article
    Bitcoin Price Stabilises Around $81,000 Amidst Robust Investor Demand

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment