Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં 15 વર્ષીય કિશોર લાપતા:પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી, પોલીસ તપાસ શરૂ

    12 hours ago

    વાપીના ગીતાનગર વિસ્તારમાંથી એક 15 વર્ષીય કિશોર રહસ્યમય રીતે લાપતા થયો છે. આ મામલે કિશોરના પરિવારે વાપી ટાઉન પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, મૂળ બિહારનો વતની અને હાલ વાપીના ગીતાનગર વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારનો 15 વર્ષીય પુત્ર 'મનોજ' (નામ બદલ્યું છે) ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ગત વર્ષે જ ધોરણ 9માં ભણવા માટે વાપી તેના માતા-પિતા પાસે આવ્યો હતો. ગત 12મી માર્ચના રોજ મનોજને કોઈ વાતનું મનદુઃખ થતાં તે ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયો હતો. સાંજે જ્યારે તેના માતા-પિતા નોકરી પરથી પરત ફર્યા ત્યારે પુત્ર ઘરે જોવા મળ્યો ન હતો. પરિવારજનોએ આજુબાજુમાં અને ગીતાનગર વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેમણે સ્થાનિક અગ્રણીઓ અને યુવકોની મદદથી વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળોએ પણ શોધખોળ કરી. કિશોર વતને ગયો હોવાની શંકાએ બિહારમાં પણ તપાસ કરવામાં આવી હતી, છતાં મનોજ મળ્યો ન હતો. અંતે, પરિવારજનોએ વાપી ટાઉન પોલીસ મથકે મનોજના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી. વાપી ટાઉન પોલીસે ગીતાનગર વિસ્તારના CCTV ફૂટેજ મેળવ્યા છે. પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને રીક્ષા સ્ટેન્ડના CCTV ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી કિશોરના સગડ મેળવવાની સઘન તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરની પૌરાણિક દરબારી વાવનું રિસ્ટોરેશન શરૂ:33 લાખના ખર્ચે ચાર મહિનામાં કામગીરી પૂર્ણ થશે, ઇડર સ્ટેટ વખતનું બાંધકામ
    Next Article
    મુખ્યમંત્રીએ શહેરાથી ₹732.28 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કર્યું:પંચમહાલમાં પાણી, શિક્ષણ, આરોગ્ય સહિતના 112 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment