Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમ્રાટ કેબિનેટનું વિસ્તરણ થોડીવારમાં:ભાજપમાંથી 15, જેડીયુમાંથી 13 મંત્રી બનશે; PM મોદી, નીતિશ કુમાર પણ પહોંચ્યા

    11 hours ago

    સમ્રાટ કેબિનેટના શપથ ગ્રહણ પહેલાં PM મોદી પટનામાં રોડ શો કરી રહ્યા છે. વડાપ્રધાન એરપોર્ટથી રોડ શો કરતા ગાંધી મેદાન સુધી જઈ રહ્યા છે. જગ્યાએ જગ્યાએ ફૂલોથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સમ્રાટ ચૌધરીના CM બન્યાના 22 દિવસ પછી આજે તેમની કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું છે. 32 નવા મંત્રી ગાંધી મેદાનમાં આયોજિત આ મેગા ઇવેન્ટમાં શપથ લેશે. તેમાં BJPમાંથી 15, JDUમાંથી 13, LJP(R)માંથી 2, HAM અને RLMમાંથી એક-એક મંત્રી શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં PM નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર સામેલ થશે. મંત્રીમંડળ વિસ્તરણ સંબંધિત હાઇલાઇટ્સ નવા મંત્રીઓનું જાતિગત સમીકરણ ભાજપ JDU LJP(R) HAM RLM શપથ ગ્રહણ સંબંધિત કેટલીક તસવીરો… બુધવારે જ પટના પહોંચ્યા અમિત શાહ શપથના લગભગ 16 કલાક પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પટના પહોંચી ગયા. તેમણે મોડી રાત સુધી જેડીયુના લલન સિંહ, સંજય ઝા ઉપરાંત NDAના અન્ય નેતાઓ સાથે બેઠક કરીને કેબિનેટના ચહેરાને ફાઇનલ કર્યા છે. નક્કી ફોર્મ્યુલા મુજબ BJPમાંથી 13, JDUમાંથી 11, LJP(R)માંથી 2 અને HAM તથા RLMમાંથી 1-1 મંત્રી શપથ લેશે. PM એરપોર્ટથી ગાંધી મેદાન સુધી રોડ શો કરશે PM મોદી એરપોર્ટથી ગાંધી મેદાન સુધી લગભગ 8 કિમી લાંબો રોડ શો કરશે. આ દરમિયાન 16 સ્થળોએ તેમનું સ્વાગત કરવામાં આવશે. PMનો કાફલો પટના એરપોર્ટથી નીકળીને હાર્ડિંગ રોડ, BJP હેડક્વાર્ટર થઈને ઇન્કમ ટેક્સ ગોલંબર, ડાક બંગલા ચોકથી JP ગોલંબર થઈને ગેટ નંબર એકથી ગાંધી મેદાનમાં પ્રવેશ કરશે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત NDAના જીતન રામ માંઝી, ચિરાગ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહા સહિતના તમામ દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ- સાઉદી અરેબિયાનો અમેરિકાને એરસ્પેસ આપવાનો ઇનકાર:ક્રાઉન પ્રિન્સની નારાજગી પછી ટ્રમ્પે હોર્મુઝમાંથી જહાજોનું રેસ્ક્યુ રોક્યું
    Next Article
    ગાયને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા PMને લોહીથી પત્ર લખ્યો:સુરતના વેપારીઓએ સીરીંજથી લોહી કાઢી અક્ષરો કંડાર્યા, રેલીમાં સંતશક્તિ, બળદગાડા અને બુલડોઝરનો સંગમ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment