Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન જગન્નાથ 15 દિવસના અજ્ઞાતવાસમાં પહોંચ્યા:વડોદરાના ઇસ્કોન મંદિર ખાતે ભગવાનની સ્નાન યાત્રા સંપન્ન, સુગંધિત દ્રવ્યો, ગંગાજળ, દૂધ, દહીં અને મધ સહિતના પવિત્ર જળથી શાહી સ્નાન

    9 hours ago

    વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય અને પરંપરાગત સ્નાન યાત્રાનું ભક્તિસભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેઠ સુદ પૂનમના આ પવિત્ર અને મંગલમય પ્રસંગે મહાપ્રભુ જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દિવ્ય દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથ અને હરે ક્રિષ્નાના ગગનભેદી નારાઓ તેમજ હરિનામ સંકીર્તન સાથે ગુંજી ઉઠ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર, ભગવાનને સુગંધિત દ્રવ્યો, ગંગાજળ, દૂધ, દહીં અને મધ સહિતના પવિત્ર જળથી શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું, જેને નિહાળીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા. ભગવાન જગન્નાથ, બલરામ તેમજ બહેન સુભદ્રા 15 દિવસ દર્શન નહીં થાય વૈદિક અને સનાતન શાસ્ત્રોક્ત પરંપરા મુજબ, આ જળયાત્રા દરમિયાન બળબળતા તાપમાં 108 કળશના પવિત્ર જળથી અતિશય શાહી સ્નાન કરવાને કારણે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને તાવ આવે છે અને તેઓ બીમાર પડે છે. આ પરંપરાને પગલે હવે પ્રભુ આગામી 15 દિવસ માટે વિશિષ્ટ ક્વોરેન્ટાઇન એટલે કે અણસર ઓરડામાં અજ્ઞાતવાસમાં જશે. આ માંદગીના સમયગાળા દરમિયાન ગોત્રી ઇસ્કોન મંદિરના મુખ્ય કપાટ ભક્તો માટે સદંતર બંધ રાખવામાં આવશે અને પ્રભુના જાહેર દર્શન બંધ રહેશે. આ 15 દિવસ દરમિયાન માત્ર મુખ્ય પૂજારીઓ અને સેવકો દ્વારા જ પ્રભુની અત્યંત ગુપ્ત સેવા-પૂજા અર્ચના કરવામાં આવશે. ભગવાનની દુર્લભ જડીબુટ્ટીઓ, ચંદન અને તુલસીનો વિશેષ લેપ લગાવીને વૈદિક સારવાર ભગવાનને તાવમાંથી મુક્ત કરવા અને સ્વાસ્થ્ય ઝડપથી સારું કરવા માટે અણસર ઓરડામાં વિશેષ આયુર્વેદિક ઉપચાર કરવામાં આવશે. પરંપરાગત રીતિ-રિવાજ મુજબ, પ્રભુને અલગ-અલગ દુર્લભ જડીબુટ્ટીઓ, ચંદન અને તુલસીનો વિશેષ લેપ લગાવીને વૈદિક સારવાર અપાશે. આ દિવસો દરમિયાન ભગવાનને છપ્પન ભોગ ધરાવવામાં આવતો નથી, પરંતુ માત્ર આયુર્વેદિક ઉકાળા, ફળોનો રસ અને તાવની દેશી દવાઓ જ ભોગ સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે. આ 15 દિવસનો અજ્ઞાતવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પ્રભુ સંપૂર્ણ સ્વસ્થ થઈને નવયૌવન સ્વરૂપમાં ભક્તોને દર્શન આપશે, જેને 'નેત્રોત્સવ વિધિ' કહેવામાં આવે છે, અને ત્યારબાદ અષાઢી બીજના પવિત્વ દિવસે ભગવાન નગરચર્યાએ નીકળશે. અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા નીકળશે ભગવાન સાજા થયા બાદ અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળશે. વડોદરા શહેરમાં પણ ભવ્ય રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે. વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને ભક્તો ભગવાનની એક ઝલક મેળવવા માટે આતુર જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    જમવા બેઠેલી મહિલા પર છત તૂટી પડી:સુરતના ફુલપાડામાં વર્ષો જૂના મકાનના રસોડાની છત ધરાશાયી, કાટમાળ નીચે દબાયેલી મહિલાનું દિલધડક રેસ્ક્યૂ
    Next Article
    'પોલીસની હાજરીમાં ક્રિમિનલ પ્રવૃત્તિ થઈ', હાઈકોર્ટે ફરી સુરત CPને ખખડાવ્યા:સુરત ડિમોલિશનમાં 16 દિવસ કશું કર્યું નહીં, ડીમાર્કેશનમાં DCP જાય?' બિલ્ડરને પણ નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment