Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આયોગ આપને દ્વાર' અભિગમ સાથે રાજ્યભરમાં મહિલા મહા જનસુનાવણી:રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકરની હાજરીમાં 15 કેસોમાંથી 12 કેસોનો સફળતાપૂર્વક નિકાલ

    2 days ago

    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકરના અધ્યક્ષ સ્થાને વડોદરાના સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલ ખાતે 'મહિલા મહા જનસુનાવણી’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા કમિશનર અને રૂરલ વિસ્તારના 15 કેસોને સાંભળવામાં આવ્યા હતા. જેમાંથી 12 કેસોનો સફળતા પૂર્વક નિકાલ અને 2 કેસો આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા છે. રાજ્યભરમાં મહિલા મહા જનસુનાવણી યોજી અધ્યક્ષ સ્થાનેથી વિજયા રાહટકરએ જણાવ્યું હતું કે, દેશભરમાંથી મહિલાઓ તરફથી લાખો ફરિયાદો આયોગમાં નોંધાઈ રહી છે અને ક્યારેક કેસોમાં ન્યાય આપવામાં વિલંબ થઇ જાય છે. ઘણી મહિલાઓ સીધી રીતે આયોગ સુધી પહોંચી શકતી નથી, તેથી આયોગ મહિલાઓ સુધી જાતે પહોંચે તે હેતુથી 'આયોગ આપને દ્વાર' અભિગમ સાથે દરેક જિલ્લામાં મહિલા મહા જનસુનાવણી યોજી રહ્યા છે. એક વર્ષમાં 100 જનસુનાવણીઓ યોજાઈ તેમણે વધુમાં ઉમેર્યું કે, છેલ્લા એક વર્ષમાં આશરે 100 જેટલી જનસુનાવણીઓ યોજાઈ ચૂકી છે અને આ અઠવાડિયામાં અંદાજે 500 સુનાવણીઓ વિવિધ જિલ્લાઓમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં 139 કેસો નોંધાયા હતા, જેમાંથી હાલ 91 કેસો પેન્ડિગ છે જેના ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્થાનિક તંત્ર દ્વારા સુનાવણીનું સુદ્રઢ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અધિકારીઓ દ્વારા મહિલાઓને માર્ગદર્શન પુરુ પડ્યું આ સુનાવણીમાં અધ્યક્ષએ મહિલાઓ દ્વારા કરેલી ફરિયાદોની સુનાવણી કરવાની સાથે સાથે ગંભીર કેસોની નોંધણી, કાનૂની માર્ગદર્શન અને લગણીસભર પ્રક્રિયાત્મક સહાય સુનિશ્ચિત કરી કરી હતી. સાથે ઉપસ્થિત પોલીસ વિભાગ, વકીલશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા મહિલાઓને જરૂરી માર્ગદર્શન પુરુ પડ્યું હતું. મહિલાઓને ફરિયાદો રજૂ કરવા અને સહાય મેળવવા માટે એક મંચ આ જનસુનાવણીનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને પોતાની ફરિયાદો રજૂ કરવા તથા સંસ્થાકીય સહાય મેળવવા માટે એક સીધું અને સરળ મંચ ઉપલબ્ધ કરાવવાનો છે. આ સંકલિત પ્રયત્ન હેઠળ ઘરેલું હિંસા, કાર્યસ્થળે જાતીય સતામણી, માતૃત્વ લાભ, પરિત્યાગ, માનવ તસ્કરી (ટ્રાફિકિંગ) તેમજ અન્ય જાતિ આધારિત અન્યાય અને હિંસા સંબંધિત ફરિયાદો સાંભળવા અને તેના પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ જનસુનાવણીમાં મહિલા આયોગ સમિતિના સભ્યો, સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, કાનૂની નિષ્ણાતો તથા પ્રોટેક્શન ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગીરસોમનાથમાં માર્ચમાં જ 41 ડિગ્રી તાપમાન:હીટવેવની આગાહી, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
    Next Article
    પાસપોર્ટ-પોસ્ટઓફિસ અને પારુલ યુનિ.ને ઉડાવવાની ધમકી:સુરતના મેઈલમાં 2000 કરોડના ડ્રગ્સ રેકેટ, IED-સાયનાઈડ બોમ્બ અને મદ્રાસ ટાઈગર્સનો ઉલ્લેખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment