Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધાર્મિક યાત્રાના નામે ઠગાઈ:કથામાં મફત લઈ જવાની લાલચે 140 શ્રદ્ધાળુઓ સાથે 7 લાખની છેતરપિંડી લોકોએ સિદ્ધપુરના યુવકને પકડ્યો

    2 days ago

    પાલનપુર શહેરમાં ધાર્મિક યાત્રાના નામે 140 લોકો સાથે છેતરપિંડી થઈ છે. હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથામાં લઈ જવાની લાલચ આપી ભેજાબાજોએ શ્રદ્ધાળુઓ પાસેથી પ્રતિ વ્યક્તિ રૂ.5 હજાર એડવાન્સ રૂપે વસૂલ્યા હતા. બુધવારે બપોરે ઓફિસ બંધ કરીને સિદ્ધપુરનો યુવક ભાગે તે પહેલા સ્થાનિક લોકોએ ઝડપી ઓફિસથી તમામ ફોર્મ પાવતીબુક સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા. છેતરપિંડીના ભોગ બનેલા લોકોએ ઝડપાયેલા યુવકને ઘેરી પોલીસ સમક્ષ ઉધડો લીધો હતો. મહિલાઓએ પૈસા પરત આપો પર ભાર મૂક્યો હતો. અને કડક સજા કરવાની માંગ કરી હતી. “ચાલો હરિદ્વારા ફ્રી સેવા” નામે છપાયેલી પત્રિકાઓ અને વોટ્સએપ મેસેજો દ્વારા પાલનપુર સહિત આસપાસના વિસ્તારોમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. તેમાં એ.સી. સ્લીપર વોલ્વો બસથી હરિદ્વારના ચાવલા ભવન ખાતે સિદ્ધપુર વાળા ઋતુલ રાવલની શ્રીમદ્ ભાગવત કથા આ શ્રાવણપાનમાં, રહેવા-જમવાની સુવિધા અને શ્રીમદ્ ભાગવત કથા સાંભળવા બેસનાર દરેક વ્યક્તિને દિવસદીઠ રૂ.701 કવર મારફતે આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. 7 દિવસમાં કુલ રૂ.4907 પરત મળશે તેવી જાહેરાતોથી મોટી સંખ્યામાં લોકો આકર્ષાયા હતા. ખાસ કરીને વડીલો, મહિલાઓ અને ધાર્મિક ભાવના ધરાવતા પરિવારોને નિશાન બનાવ્યા હતા. યાત્રાળુઓને 4 વ્યક્તિ દીઠ એ.સી. રૂમ, એ.સી. સ્લીપર વોલ્વો બસ તેમજ સવાર-બપોર-સાંજના ભોજનની સુવિધા મળશે તેવી જાહેરાત કરાઇ હતી. યાત્રા માટે તા. 22 મેના રોજ સવારે હરિદ્વાર જવા બસ રવાના થવાની હતી. જોકે બસ ઉપડે તે પહેલાં જ સમગ્ર મામલો શંકાસ્પદ બનતાં સ્થાનિકો સતર્ક થયા હતા. યાત્રામાં નામ નોંધાવનાર કેટલાક લોકો ઓફિસ ખાતે પહોંચ્યા ત્યારે ગોટાળો સામે આવતા ભાંડો ફૂટી ગયો હતો. સ્થાનિક લોકોએ એક યુવકને ઝડપી લઈને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પહોંચાડ્યો હતો. જ્યારે સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાતો મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો છે. ભાડાની ઓફિસમાંથી લાવવામાં આવેલી પાવતીબુક, ફોર્મ અને આધારકાર્ડની] ઝેરોક્ષનો જથ્થો પણ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઝડપાયેલા યુવકે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, “હું કંઈ જાણતો નથી, બધું પેમેન્ટ બાપુ લઈ જતા હતા.” ભાસ્કર ઈનસાઈડ રિર્ટનમાં કૃષ્ણ નગરી દર્શનની લાલચ આપી ભેજાબાજોએ આધારકાર્ડ], ફોટોગ્રાફ સહિતના દસ્તાવેજો મેળવી વિશ્વાસ ઉભો કર્યો હતો. પત્રિકામાં હરિદ્વારની સાથે વળતી મુસાફરીમાં ગોકુળ, મથુરા અને વૃંદાવન થઈને પરત લાવવાની લાલચ અપાઈ હતી. યાત્રાળુઓને એમ હતું કે 5 હજાર રૂપિયામાં હરિદ્વારની સાથે કૃષ્ણ જન્મભૂમિના દર્શન પણ થઈ જશે, જે આ છેતરપિંડીનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. એક પરિવારે 10 નામ માટે 50 હજાર આપ્યા હતા પાલનપુર હાઈવે નજીકની એક સોસાયટીની વડીલ મહિલાએ એડમસ ચહેરે જણાવ્યું કે વિશ્વાસમાં આવીને પરિવારમાં એકસાથે 10 લોકોના નામ નોંધાવી રૂા.50 હજાર એડવાન્સ ચૂકવ્યા હતા. અમને એમ કે બધા પૈસા પાછા આવશે અને ફ્રીમાં હરિદ્વાર ફરી આવીશું. પણ ભગવાનના નામે આવું થશે એવું સપનામાં પણ નહોતું વિચાર્યું. નામ નોંધાવવા દરરોજ લાઈનો લાગતી પાલનપુરના રોયલ કોમ્પલેક્ષમાં ભાડાની દુકાન રાખી હતી તે માત્ર થોડા કલાકો પૂરતી જ ખુલતી હતી. ભેજાબાજો મોબાઈલ પર નોંધણી કરતા નહોતા. તમામને ઓફિસમાં રૂબરૂ બોલાવવાનો આગ્રહ રાખતો હતો. યાત્રામાં જવા લોકોમાં ઉત્સાહ એટલો હતો કે દરરોજ ઓફિસ બહાર નામ નોંધાવવા માટે લાઈનો લાગતી હતી. વહેલા તે પહેલાંના ધોરણે નામ નોંધાતા હોવાનું જણાવાતું હતું. માસ્ટરમાઈન્ડ નરેન્દ્રસિંહ ફરાર આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સિદ્ધપુરનો નરેન્દ્રસિંહ રાજપૂત (જોકે તેનું નામ સાચું છે કે ખોટું તે પણ તપાસનો વિષય છે.) હોવાનું સામે આવ્યું છે. યાત્રા ઉપડવાના સમયે જ તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. પોલીસ હવે મોબાઈલ લોકેશન અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે તેની શોધખોળ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાનનો આરોપ- અમેરિકાએ સીઝફાયર તોડ્યું:ઓમાનની ખાડીમાં ઈરાની તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા
    Next Article
    ટ્રાફિક સમસ્યા નિવારવા તંત્રનું આયોજન:પાલિકાએ પહેલીવાર પાર્કિંગ માટે 57 પ્લોટ ફાળવ્યા, 19 હજાર ટુ વ્હીલર પાર્ક થશે, વાહનોથી ભરચક અલકાપુરી, રાવપુરા સહિતના વિસ્તારોમાં એકેય નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment