Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાપાલિકાની ઠગાઈ:નટરાજનગર પીપીપીમાં બિલ્ડરને રૂ.1.40 કરોડની જમીન ઓછી આપી!

    8 hours ago

    રાજકોટ મહાપાલિકામાં અનેક પ્રકારના કૌભાંડોમાં માટે ભાગે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવામાં આવે છે અને આ પ્રકારના કૌભાંડોમાં આર્થિક ફાયદાઓ થાય છે, પરંતુ આ વખતે પીપીપી યોજનામાં બિલ્ડરોને મનપાએ ફાળવેલ જમીન ઓછી નીકળતા તંત્ર ભાઠે ભરાયું છે. મનપાએ નટરાજનગર પીપીપી યોજના માટે એજન્સી સાથે કરાર કરી 627 ચો.મી. જમીન પ્રોજેક્ટ માટે ફાળવી હતી, પરંતુ બિલ્ડરે પ્લાન મૂકતા પહેલા જમીનની માપણી કરતા 140.59 ચો.મી. જમીન ઓછી નીકળતા હવે એફએસઆઈમાં છૂટ અથવા મેઇન રોડ ઉપર આ જમીનની માગણી કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને આ કરાર ટીપીઓ સાગઠિયાના કાર્યકાળમાં થયાનું જણાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મનપામાં આ વખતે અવળો ખેલ થયો છે. બિલ્ડરોને વધુ જમીન આપવામાં આવે તો કૌભાંડ કહેવાય પરંતુ ટીપી શાખાના અનુભવી અધિકારીઓએ શા માટે ઓછી જમીનનો દસ્તાવેજ બિલ્ડરોને બનાવી આપ્યો તે તપાસનો વિષય છે. તેમજ કામમાં ગંભીર બેદરકારી દાખવી છે તો આ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે, પરંતુ હાલ તો આ મામલો બિલ્ડરની ઇચ્છા મુજબ ઠંડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારની PPP પોલિસી મુજબ તા.26/06/2018ના રોજ નટરાજનગર સ્લમનાં રિ-ડેવલપમેન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જે અન્વયે એજન્સી ઝાયેશા રિયાલિટીઝ એન્ડ ઈન્ફાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને તા.08/03/2019ના રોજ લેટર ઓફ એક્સેપ્ટન્સ આપીને કામગીરી સોંપવામાં આવેલ. સદરહું પોલિસીના નિયમાનુસાર ફ્રી હોલ્ડ લેન્ડ માટે ટી.પી. સ્કીમ નં.4 રૈયાના ફાઈનલ પ્લોટ નં.426ના 627 ચો.મી. માટે દસ્તાવેજ નં.5255, તા.20/05/2025થી દસ્તાવેજ કર્યો હતો. ડેવલોપર એજન્સી ઝાયેશા રિયાલિટીઝ એન્ડ ઈન્ફાસ્ટ્રક્ચર પ્રા.લિ. દ્વારા ટી.પી. શાખા સમક્ષ સવાલવાળી જમીનમાં ડેવલપમેન્ટ પ્લાન મંજૂરી અર્થે મુકાતા તેઓ દ્વારા સ્થળ ચકાસણી તેમજ મંજૂર ટીપી સ્કીમના ડોક્યુમેન્ટની વિગતો જોતા 486.41 ચો.મી. મળે છે. જે દસ્તાવેજ કરવામાં આવેલ 627 ચો.મી. જમીનથી 140.59 ચો.મી. ઓછી થાય છે.જે અન્વયે સદરહું કામની એજન્સી દ્વારા માર્જિન તથા એફ.એસ.આઈ. માં છૂટછાટ આપવા અથવા ખૂટતી જગ્યા સાધુ વાસવાણી રોડ પર મનપાના પ્લોટમાંથી ફાળવવા રજૂઆત કરેલ છે. ટીપી વિભાગના અધિકારીની ગંભીર બેદરકારી મનપાએ નટરાજનગર પીપીપી યોજનામાં બિલ્ડરોને દસ્તાવેજ કરતા ઓછી જમીન આપી હોવાનું સામે આવ્યું છે. જેમા ટીપી વિભાગના અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી છે, પરંતુ આટલી જ જમીન વધારે અપાઈ ગઈ હોત તો એક મોટું કૌભાંડ થઈ ગયું હોત અને અગાઉ અપાયેલ જમીનોમાં ભૂલ થઈ છે કે કેમ તેની તપાસ થવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    મનપાએ કર્યો નવો નિર્ણય:ચોમાસામાં રામનાથ મંદિરને મળશે કાદવ કચરાથી સુરક્ષા કવચ, નદીના વહેણમાં ટ્રેશ બેરિયર લગાવાયા
    Next Article
    How Sam Altman Became the Most Dangerous CEO | Elon Musk

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment