Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પાલનપુર-છાપી હાઇવે પર ગેરેજો આગળ પાર્કિંગથી અકસ્માતોનું જોખમ, બે વર્ષમાં 14 લોકોનાં મોત થયાં

    19 hours ago

    પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર એરોમા સર્કલના સર્વિસ રોડથી કાણોદર, છાપી સુધી હાઇવેની બંને બાજુ ટ્રક સહિતના વાહનો રિપેર કરવાના 200થી વધુ ગેરેજ આવેલા છે. યાંત્રિક ખામી સર્જાય એટલે તરત જ ચાલકો તેમના વાહનો ગેરકાયદે હાઇવેની સાઇડમાં ઉભા રાખી દેતા હોય છે. જેથી ટુ-વ્હીલર, કાર સહિતના વાહનો ચાલકોને પસાર થવામાં મુશ્કેલીઓ પડે છે. સહેજ ગફલત થાય તો પાછળથી પુરઝડપે આવતાં વાહનો ટક્કર મારી દે છે. છેલ્લા બે વર્ષમાં અકસ્માતમાં આ રીતે 14 લોકોના મોત થયા છે. આવી સ્થિતિના કારણે અવાર- નવાર જીવલેણ અકસ્માતો સર્જાઇ રહ્યા છે. નિવૃત ટ્રાફિક કર્મચારી કે. બી. ચૌધરીએ જણાવ્યું કે, હાઇવેથી ગેરેજો નિયમ મુજબ છે. પરંતુ ટ્રક સહિતના વાહન ચાલકો નિયમનો ભંગ કરી હાઇવેની સાઇડમાં પાર્ક કરે છે. જેથી સર્વિસ રોડ કે હાઇવે અડધો થઇ જતો હોવાથી વારંવાર અકસ્માતો સર્જાય છે. જ્યાં પાંચ દિવસ અગાઉ ઓવરટેક કરતાં સાઇડમાં ઉભેલા ટ્રકમાં બાઇક ધુસી જતાં યુવકનું મોત થયું હતુ. એક માસ અગાઉ એકટિવાને પાછળથી ટક્કર મારતાં ઉભેલા ટ્રકમાં ઘુસી જતાં મહેસાણાના દંપતીનું મોત થયું હતુ. યાંત્રિક ખામી સર્જાય એટલે તરત જ ચાલકો તેમના વાહનો ગેરકાયદે હાઇવેની સાઇડમાં ઉભા રાખી દેતા હોય છે. હાઇવેથી ગેરેજ 130 ફૂટ દૂર હોવી જોઇએ હાઇવેના મધ્યબિંદુથી ઓછામાં ઓછું 40 મીટર અંદાજે 130 ફૂટ અને હાઇવેની રોડની કિનારી થી ઓછામાં ઓછું 7.5થી 15 મીટર અંદાજે 25થી 50 ફૂટનું અંતર રાખવું ફરજિયાત છે.
    Click here to Read More
    Previous Article
    હાલાકી:પાલનપુરમાં સ્કૂલ નજીક ભૂગર્ભ ગટર ઉભરાતાં છાત્રોને પરેશાની
    Next Article
    ગ્રામજનોની કાયદેસરની તપાસ સાથે સુરક્ષાની માંગ:માલપુરના પીપરાણાના ગ્રામજનોએ જમીન વિવાદ મુદ્દે આવેદન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment