Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 થી 25 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવ:હરતાલિકા તીજ, ગણેશ ચતુર્થી અને સોમવારના યોગમાં કરો શિવ પરિવારની પૂજા, જાણો આ દિવસે કયા-કયા શુભ કાર્યો કરવા

    7 hours ago

    ભગવાન ગણેશનો પ્રાગટ્ય ઉત્સવ એટલે કે ગણેશ ચતુર્થી આ વખતે 14 સપ્ટેમ્બર, સોમવારે છે. ગણેશ પૂજાનો આ ઉત્સવ 25 સપ્ટેમ્બર સુધી રહેશે. ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 14 સપ્ટેમ્બરની સવારે લગભગ 7.06 વાગ્યાથી શરૂ થઈને 15 સપ્ટેમ્બરની સવારે લગભગ 7.44 વાગ્યા સુધી રહેશે. સમયમાં અલગ-અલગ પંચાંગોમાં સ્થાન અનુસાર થોડી મિનિટોનો તફાવત હોઈ શકે છે. આ વર્ષે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી બંને વ્રત-પર્વ એક જ દિવસે એટલે કે 14 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. આ વખતે ગણેશ ચતુર્થી સોમવારે આવી રહી છે. સોમવારના સ્વામી ભગવાન શિવ માનવામાં આવ્યા છે અને ચતુર્થી તિથિના સ્વામી ભગવાન ગણેશ છે. આવી સ્થિતિમાં ગણેશજીની સાથે શિવજીના ભક્તો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ગણેશ પૂજાથી બુદ્ધિ, વિવેક, સુખ-સમૃદ્ધિ અને કાર્યોમાં આવતી અડચણો દૂર થાય છે. ગણેશ ચતુર્થી પર ઘરમાં કરો આ શુભ કામ 14 સપ્ટેમ્બરના રોજ સૌથી પહેલા ઘરની સાફ-સફાઈ કરીને પૂજા સ્થળને પવિત્ર કરો. ઘરના મંદિરમાં પૂજાની ચોકી પર લાલ કે પીળા રંગનું કપડું પાથરો. પૂજા ઘરને ગંગાજળ કે સ્વચ્છ જળથી શુદ્ધ કરવાની પરંપરા છે. આ સ્થાન પર ગણેશ પ્રતિમા સ્થાપિત કરો. ત્યારબાદ દીવો પ્રગટાવીને ગણેશજીનું આહ્વાન કરો અને પરિવારની સુખ-શાંતિ, આરોગ્ય, બુદ્ધિ અને સમૃદ્ધિની કામનાથી ગણેશ પૂજા કરવા માટે સંકલ્પ લો. પૂજામાં સિંદૂર, હળદર, કુમકુમ, ચોખા, ચંદન, ફૂલ, દૂર્વા, ધૂપ, દીપ, ફળ અને મોદક ખાસ કરીને ચઢાવવા જોઈએ. આ દિવસે પૂજા-પાઠની સાથે જ જરૂરિયાતમંદ લોકોને અન્ન, વસ્ત્ર, જૂતા-ચપ્પલ, ભોજન અને પોતાની ક્ષમતા અનુસાર ધનનું દાન કરવું જોઈએ. ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવી રાખવા માટે ગણેશ મંત્ર જાપ, ગણેશ અથર્વશીર્ષ, ગણેશ સ્તુતિ કે આરતીનો પાઠ કરી શકાય છે. સોમવાર, હરતાલિકા તીજ અને ગણેશ ચતુર્થીના યોગમાં શિવ પરિવાર એટલે કે ગણેશજી, માતા પાર્વતી, ભગવાન શિવ અને કાર્તિકેય સ્વામીનો વિશેષ અભિષેક કરો. શિવલિંગ પર ચંદનનો લેપ કરો. માતા પાર્વતીને લાલ ચુંદડી, લાલ બંગડીઓ, કુમકુમ, બિંદી વગેરે સુહાગની વસ્તુઓ ચઢાવો. હાર-ફૂલ અને નવા વસ્ત્રોથી શૃંગાર કરો. મીઠાઈ, મોસમી ફળનો ભોગ લગાવો. ધૂપ-દીપ પ્રગટાવી આરતી કરો. પૂજામાં ૐ નમ: શિવાય, ૐ ઉમામહેશ્વરાભ્યાં નમઃ, શ્રી ગણેશાય નમ: મંત્રનો જાપ કરો. ગણેશજીને શું ચઢાવવું? ભગવાન ગણેશની પૂજામાં લીલી અને તાજી દૂર્વા ચઢાવવી શુભ માનવામાં આવે છે. ભગવાનને લાલ ફૂલ, ખાસ કરીને જાસૂદ, લાલ ચંદન, સિંદૂર અને લાલ કે પીળા વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે. પૂજામાં શમીના પાન પણ ચઢાવો. ભોગમાં મોદક, લાડુ, ફળ, નારિયેળ અને અન્ય મીઠાઈઓ રાખી શકાય છે. ગણેશ પૂજામાં તુલસી દળ ન રાખવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    India vs Sri Lanka, Women's Asia Cup Final: All You Need To Know
    Next Article
    ગઢડા, રાણપુર અને બરવાળામાં લાંબા વિરામ બાદ વરસાદ:શેરીઓમાં પાણી વહેતા થયા, મુરઝાતા પાકને સંજીવની મળતાં ખેડૂતોમાં ખુશી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment