Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં 14 જૂને વિશ્વ રક્તદાતા દિને રક્તદાન કેમ્પ:કેન્સર, થેલેસેમિયા દર્દીઓ માટે રેડ ક્રોસ દ્વારા વિવિધ સ્થળોએ આયોજન

    1 week ago

    ગીર સોમનાથ જિલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની શાખા વેરાવળ ખાતે આરોગ્ય ભવન અને બ્લડ સેન્ટર ચલાવે છે. આ સંસ્થા જિલ્લાના થેલેસેમિયા મેજર બાળકોને દર મહિને જરૂરી રક્ત બોટલ નિઃશુલ્ક પૂરી પાડે છે. દર વર્ષે 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ રક્તદાનના મહત્વને ઉજાગર કરવા અને રક્તદાતાઓને બિરદાવવા માટે સમર્પિત છે. માનવ દ્વારા નિર્મિત ન થઈ શકે તેવા રક્તના એક યુનિટથી ત્રણ જીવન બચાવી શકાય છે. આ દિવસે ખાસ કરીને કેન્સર પીડિતો અને થેલેસેમિયા મેજર બાળકોના લાભાર્થે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. વેરાવળ શહેરમાં 14 જૂને સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની વાર્ષિક સાધારણ સભા નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાશે. આ ઉપરાંત, ઇન્કમટેક્સ વિભાગ, વેરાવળ (અંબાજી મંદિર બસ સ્ટેશન સામે) અને ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત હનુમંત કથા સ્થળે રાત્રે 9 થી 12 વાગ્યા સુધી બ્લડ ગ્રુપ ટેસ્ટિંગ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. 15 જૂને સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે પણ રક્તદાન કેમ્પ યોજાશે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, ગીર સોમનાથ રેડ ક્રોસના ચેરમેન અતુલભાઈ કાનાબાર, ચેરમેન એમિરેટ્સ કિરીટભાઈ ઉનડકટ અને સેક્રેટરી ગિરીશ ઠક્કર સહિતની મેનેજમેન્ટ ટીમ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે રાહત દરે સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. આ સેવાઓમાં ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, જન ઔષધિ કેન્દ્ર, આયુર્વેદિક તપાસ, નિદાન અને પંચકર્મ, શિરોધારા ઉપચાર કેન્દ્ર, પેથોલોજી લેબોરેટરી, ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ સેન્ટર અને ડિઝાસ્ટર ટ્રેનિંગ સેન્ટરનો સમાવેશ થાય છે. સ્વ. નયનાબેન એન. રાચ્છ સર્જિકલ સાધનો વિના ભાડે આપવા સહિતની સેવાઓ પણ ઉપલબ્ધ છે. જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છે જિલ્લાના નાગરિકોને આ સેવાઓનો લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ, પાયલટ સહિત 5 શહીદ:આસામમાં AN-32 વિમાનમાં લેન્ડ થતાં જ આગ લાગી, બે ટુકડા થયા
    Next Article
    રથયાત્રાની એક માસ અગાઉ તૈયારી નો શુભારંભ:ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને પરિમલ ચોક ખાતે રથયાત્રા કાર્યાલયનો ઉદ્ઘાટન સંતો-મહંતોના હસ્તે કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment