Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસ્કાર ભારતી દ્વારા આયોજન:પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં સંવિધાન ચિત્ર પ્રદર્શન શરૂ, 14મી એપ્રિલ સુધી ચાલશે

    17 hours ago

    જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય કલા સંસ્થા સંસ્કાર ભારતી (ગુજરાત પ્રાંત અને જૂનાગઢ જિલ્લા સમિતિ) દ્વારા પ્રેમાનંદ વિદ્યા મંદિરના સહયોગથી ચાર દિવસીય સંવિધાન ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થયો છે. બિલનાથ મહાદેવ મંદિર પાસે આવેલ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય સંજય કોરડીયા, ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, પ્રો. મનિષ જાની, ડો. માતંગ પુરોહિત, મહેન્દ્રસિંહ પઢીયાર, રૂપલબેન લખલાણી, લોક ગાયક રાજુ ભટ્ટ, પ્રાધ્યાપક ભરતભાઈ મેશીયા, જયકિશનભાઈ દેવાણી, જીતુભાઈ દ્વારકાવાળા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સંસ્કાર ભારતીની પરંપરા મુજબ ધ્યેય ગીત અને નૃત્યકાર અમિત પંડિતના કથ્થક નૃત્ય દ્વારા કરાઈ હતી. આ પ્રદર્શન 11 એપ્રિલથી 14 એપ્રિલ, 2026 સુધી ચાલશે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં નગરજનોએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્કાર ભારતીના અધ્યક્ષ વિપુલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અમિષા માંકડ, શોભના ભટ્ટ, નિષ્ઠા નરસાણા, લબ્ધી ભટ્ટ, હીર રાવલ, નેહા પંડીત, સંજય પંડયા અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. માધવી કવૈયા અને દિવ્ય રૂપારેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના હોદ્દેદારોએ નાગરિકોને આ પ્રદર્શન નિહાળવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    આયોજન:ભુજની શિફા હોસ્પિટલ માટે દિનારા ગામે 18 દિવસમાં રૂ. 18 લાખનું દાન એકત્ર થયું
    Next Article
    વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી:અંધ કન્યા છાત્રાલય ખાતે 96 જેટલા દર્દીઓએ નિ:શુલ્ક સારવારનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment