Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં ચોમાસા પૂર્વે તંત્ર સજ્જ, કામગીરી શરૂ:પુલ, ડ્રેનેજ, વોંકળાની સફાઈ; આરોગ્ય વિભાગ 14 લાખ ક્લોરિનેશન ગોળીઓ સાથે એલર્ટ

    15 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા વ્યાપક પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગો સંકલિત રીતે કાર્ય કરી રહ્યા છે, જેથી વરસાદી ઋતુમાં નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પુલો નીચે જમા થયેલો કચરો, ડ્રેનેજ લાઈનોમાં અટવાયેલી ગંદકી, કૉઝવે અને વોંકળાઓની સફાઈ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. પાણીના કુદરતી વહેણમાં અવરોધ દૂર કરીને સરળ નિકાલ સુનિશ્ચિત કરવા માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકા તથા ગુજરાત મેરિટાઈમ બોર્ડ સહિતના વિભાગો સતત દેખરેખ હેઠળ કામ કરી રહ્યા છે. નગરપાલિકા વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ડ્રેનેજ હોલ્સમાં વર્ષોથી જમા થયેલા કચરાને દૂર કરવા માટે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી વરસાદી પાણી સરળતાથી વહી શકે. અગાઉ ગટરો બ્લોક થવાથી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ સફાઈ અભિયાન શરૂ કરાયું છે. વિશ્વવિખ્યાત યાત્રાધામ સોમનાથ ખાતે યાત્રિકોને અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં ડ્રેનેજ સિસ્ટમને મજબૂત બનાવવામાં આવી રહી છે અને બહારથી આધુનિક મશીનો મંગાવીને સફાઈ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. નેશનલ હાઈવે પર પણ પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ ગંદકી દૂર કરાઈ રહી છે. બીજી તરફ, પી.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા વીજ લાઈનોને સુરક્ષિત રાખવા વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરી કરાઈ છે, જેથી વાવાઝોડા કે વરસાદ દરમિયાન વીજ પુરવઠામાં વિક્ષેપ ન આવે. આરોગ્ય વિભાગ પણ ચોમાસા માટે સંપૂર્ણ તૈયાર છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે 14 લાખ જેટલી ક્લોરિનેશનની ગોળીઓનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, જરૂરી દવાઓ અને આરોગ્ય સાધનોનો પણ પૂરતો જથ્થો સજ્જ રાખવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોક્કસ કામગીરી પણ ચાલી રહી છે. તાલાળા નગરપાલિકા દ્વારા નરસિંહ ટેકરી વિસ્તારમાં ગટર સફાઈ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલાળા-જામવાળા અને સૂત્રાપાડા-ધામળેજ રોડ પરના બ્રિજોની સફાઈ, તેમજ સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા ધનેશ્વર વિસ્તારમાં વોંકળાની સફાઈ અને બરડી વિસ્તારમાં ભૂગર્ભ ગટર ચેમ્બર તથા મશીન હોલની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    શેઢી કેનાલમાં રિપેરિંગ કરવાનું હોવાથી પાણી પુરવઠો ઓછો મળશે:પૂર્વના 12 વિસ્તારોમાં પાણીની ઘટ પડશે, રામોલ-હાથીજણ, વસ્ત્રાલ અને દક્ષિણ ઝોનના વોટર ડિટ્રીબ્યુશનને અસર
    Next Article
    દ્વારકાથી સોમનાથ જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની બસ પલટી:રઈજ ગામ પાસે રોઝડું આડું ઉતરતા સર્જાયો કાળમુખો અકસ્માત, બેના મોત; અનેક ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment