Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 વર્ષ પહેલાં બનેલા માર્ગના નબળા આયોજનથી ઉપયોગિતા ઘટી:નવસારીના રિંગરોડને ઓવરબ્રિજ સાથે જોડી પહોળો કરી કાયાપલટ કરવાની તૈયારી

    13 hours ago

    નવસારી શહેરના મહત્વના પશ્ચિમ પૂર્વેને જોડતા અને શહેરના બહારના વિસ્તારમાંથી જોડતા રિંગરોડની 14 વર્ષ બાદ કાયાપલટ કરવાની તૈયારી શરૂ થઈ છે. નવસારી શહેરમાં 14 વર્ષ અગાઉ પ્રકાશ ટોકીઝથી શરૂ થઈ વિરાવળ, ભેંસતખાડા થઇ ઇસ્લામપુરા સુધીનો રિંગરોડ બનાવવાનું આયોજન કરાયું હતું. જોકે જમીન સંપાદન યા અન્ય ઘોંચ આવતા ઈસ્લામપુરાની જગ્યાએ પૂર્વ બાજુએ ભેંસતખાડા સુધીનો જ તે સમયે બનાવી શકાયો હતો. જોકે પશ્ચિમ બાજુ સાથે યોગ્ય કનેક્શન નહીં થતા રોડનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. રેલવે ઓવરબ્રિજ બન્યો પણ રિંગરોડ એપ્રોચ નહીં બનાવાતા ચકરાવો પડે છે. હવે રિંગરોડનો ઉપયોગ વધવાનો હોય રોડની કાયાપલટ કરવાની તંત્ર તૈયારી કરી રહ્યું છે. પ્રથમ તો ઓવરબ્રિજનો ત્રીજો એપ્રોચ રિંગરોડ સાથે જોડવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. બ્રિજ સીધો રિંગરોડ સાથે જોડાતા પશ્ચિમ તરફથી પૂર્વ તરફનો ટ્રાફિક ઘણો વધશે. આ સ્થિતિમાં હવે મનપાના ઉચ્ચ અધિકારીઓએ રોડની વિઝિટ હાલમાં કરી પહોળો કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ માર્ગ પોણા બે કિમી સુધીનો વિરાવળ સુધીનો હોય તે 24 મીટરની કરી તેમાં વચ્ચે ડિવાઇડર, લાઈટ વગેરે પણ સુવિધાજનક મૂકી માર્ગ ટીપટોપ કરવાનું પ્લાનિંગ શરૂ કર્યું છે. આઈકોનીક, હાઈસ્પીડ કોરીડોર સાથે કનેક્શન મળશે..‎ નવસારીમા હાલ ટાટા સ્કૂલથી વિરાવળ બ્રિજ સુધીના માર્ગને મનપા આઈકોનીક માર્ગ તરીકે વિકાસ કરી રહી છે. વધુમાં બ્રિજથી કસ્બા થઇ સચિન સુરત માર્ગ હાઈસ્પીડ કોરીડોર તરીકે 6 લેન બની રહ્યો છે. આ બન્ને મહત્વના માર્ગ સાથે રિંગરોડને કનેક્શન છે જ પણ બ્રિજનો ત્રીજો ભાગ બનતા પશ્ચિમ બાજુ ને પણ સીધું કનેક્શન મળશે. નવો રિંગરોડ પણ મહાનગરપાલિકાના આયોજનમાં શહેરમાં જ્યાં પ્રકાશ ટોકીઝથી ભેંસતખાડા સુધીનો એક રિંગરોડ છે ત્યાં નેશનલ હાઈવે-48ને જોડતો રિંગરોડ પણ આયોજનમાં છે જ. આ રિંગરોડ માટે બજેટમાં અગાઉ નાણાં ફાળવાયા હતા. આયોજન પણ કરાયું હોવાનું જાણવા મળે છે. જોકે એક યા બીજા કારણે કામ આગળ વધ્યું નથી. આ રિંગરોડ બને તો પશ્ચિમ જલાલપોર વિસ્તારને શહેરના બહારના વિસ્તારમાંથી પસાર થઈ સીધું હાઈવેનું કનેક્શન મળશે, શહેરના ટ્રાફિકગ્રસ્ત વિસ્તારમાં પ્રવેશવું જ નહીં પડે.
    Click here to Read More
    Previous Article
    શેઠવડાળામાં જાહેરમાં જુગાર ઝડપાયો:6 જુગારીઓ ₹13,850 રોકડ સાથે પકડાયા
    Next Article
    ‘The later it gets, the crazier the shows become’: US ambassador Sergio Gor on the chaos of Indian TV news

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment