Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ડૉ. આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી:શહેરના રાજમાર્ગો પર 10 હજારથી વધુ લોકો સાથે વિશાળ રેલી યોજાઈ

    1 week ago

    બોટાદ શહેરમાં 14 એપ્રિલ, 2026ના રોજ બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સૌપ્રથમ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બોટાદ શહેરના રાજમાર્ગો પર એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આશરે 10 હજારથી વધુ લોકો જોડાયા હતા. રેલીમાં ઊંટ, ઘોડા અને ફોરવીલર કારો પણ સામેલ હતી, જેમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર રેલી દરમિયાન "જય ભીમ"ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ડૉ. આંબેડકરના વિચારોને જીવનમાં ઉતારવા માટે સંકલ્પો લીધા હતા. સ્થાનિક આગેવાનો અને નગરજનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. રેલીના માર્ગ પર અનેક જગ્યાઓ પર ઠંડા પીણા, છાશ અને પાણીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ પ્રશાસનની હાજરીમાં આ રેલી ખૂબ જ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થઈ હતી. બોટાદવાસીઓએ આ રીતે બાબા સાહેબ પ્રત્યે પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    એ લોહિયાળ સોમવારની હચમચાવી દેતી ઘટના:7 વર્ષનું વેર અને 6 શખ્સોનો ખૂની ખેલ, શાંત ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું
    Next Article
    લોકસભા-વિધાનસભામાં મહિલાઓને ૩૩% અનામત મળશે:ભાજપ પ્રદેશ પ્રમુખે નારી શક્તિ વંદના અધિનિયમને ઐતિહાસિક ગણાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment