Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ડો. આંબેડકરની 135મી જન્મજયંતીની ઉજવણી:ભાજપ, કોંગ્રેસ સહિત સંગઠનોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

    12 hours ago

    પાટણ શહેર અને જિલ્લામાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બગવાડા દરવાજા પાસે સ્થાપિત બાબાસાહેબની પ્રતિમાને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને ભારત વિકાસ પરિષદ સહિતના વિવિધ અનુસૂચિત જાતિ સંગઠનો તથા પક્ષોના હોદ્દેદારોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમયે "જબ તક સુરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા" જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. શહેર ભાજપ દ્વારા ડો. ભીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ હીરલબેન પરમાર, મનોજ પટેલ, ગૌરવ મોદી, દિલીપ પટેલ સહિત ચૂંટણી લડત ઉમેદવારો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ 14મી એપ્રિલે ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે બગવાડા દરવાજા પાસેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા પ્રમુખ ઘેમર દેસાઈ, શહેર પ્રમુખ દીપક પટેલ સહિત ચૂંટણી લડત ઉમેદવારો અને કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ભારત વિકાસ પરિષદ અને તેની સિદ્ધહેમ શાખાના સભ્યો દ્વારા પણ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં 'ઓપરેશન લોટસ'થી રાજકારણ ગરમાયું:ભાજપનો 52 બેઠકો પર બિનહરીફ જીતનો દાવો, કોંગ્રેસના ધમકીના આક્ષેપ
    Next Article
    Noida Factory Workers Throw Stones At Cops, Day After Violent Protests

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment