Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની 132મી પૂણ્યતિથિ:એચ.એ.કોલેજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

    13 hours ago

    ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા 8 એપ્રિલે ભારતના સાહિત્ય સમ્રાટ અને 'વંદે માતરમ્' ગીતના રચયિતા બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની 132મી પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે બ્રિટિશ શાસનકાળ દરમિયાન બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય ડેપ્યુટી કલેક્ટર તરીકે સરકારી સેવામાં હોવા છતાં તેમણે ભારતની આઝાદી માટે સાહિત્યનું સર્જન કર્યું હતું. તેમની જગવિખ્યાત નવલકથા 'આનંદમઠ'માં 'વંદે માતરમ્' ગીતનો ઉલ્લેખ નોંધપાત્ર છે. 'વંદે માતરમ્' ગીત ભારતમાતાની પ્રશંસા કરતું ભવ્ય વર્ણન રજૂ કરે છે અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું હતું. તેમના સાહિત્યમાં ભારતીય સંસ્કૃતિ, ભવ્ય વારસો, ઇતિહાસ અને દેશ પ્રત્યેનો ઊંડો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળે છે. સાહિત્ય સમ્રાટ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની પૂણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમના અંતે કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રો. મહેશ સોનારાએ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં કેસર કેરી પર કુદરતની વક્રદૃષ્ટિ:​જૂનાગઢના ગઢ ગણાતા આંબાવાડિયામાં કેરીના પાકને વ્યાપક નુકસાન; અચાનક બદલાયેલા વાતાવરણથી ‘કેસર’ની ગુણવત્તા બગડી, ખેડૂતો આર્થિક પાયમાલીના આરે.
    Next Article
    GIDC-2માં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ:કલાક બાદ કાબૂમાં આવી, ઉદ્યોગકારોની સુરક્ષા માટે અલાયદા ફાયર સ્ટેશનની માગ તેજ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment