Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિતિન ટેલરે જન્મદિવસ નિમિત્તે 130 કિમી સાયકલ યાત્રા કરી:"પેડલ ફોર નેચર" દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિનો સંદેશ આપ્યો

    3 days ago

    સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક અને સામાજિક ઉદ્યોગસાહસિક નિતિન ટેલરે પોતાના જન્મદિવસ નિમિત્તે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આશરે 130 કિલોમીટરની "પેડલ ફોર નેચર" સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ યાત્રા 12 થી 15 જૂન દરમિયાન યોજાઈ હતી. તેનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ, સાયકલિંગને પ્રોત્સાહન, સ્વસ્થ જીવનશૈલીનો પ્રચાર અને યુવાનોમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના જાગૃત કરવાનો હતો. યાત્રા દરમિયાન ઝઘડિયા, સરદારપુરા અને રાજપીપલા સહિતના વિસ્તારોની વિવિધ શાળાઓ અને કોલેજોમાં આશરે 800 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમને પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અને વ્યસનમુક્ત જીવન અંગે પ્રેરણા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, સ્વાસ્થ્ય, સમાજ સેવા, રાષ્ટ્ર નિર્માણ અને મૂલ્યનિષ્ઠ જીવન માટે સંકલ્પ લીધા હતા. તમામ વિદ્યાર્થીઓએ "સ્વસ્થ યુવા, સ્વચ્છ પર્યાવરણ અને ખુશહાલ ભારત"ના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. નિતિન ટેલરે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ જેવા પડકારો વચ્ચે પ્રકૃતિની સુરક્ષા માટે દરેક નાગરિકે પોતાનું યોગદાન આપવું અનિવાર્ય છે. તેમણે યુવાનોને સાયકલિંગ, યોગ, વૃક્ષારોપણ અને સમાજ સેવાને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે નિતિન ટેલર છેલ્લા ઘણા વર્ષોથી યુવા વિકાસ, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ સર્વ હેપીનેસ ફાઉન્ડેશન દ્વારા અનેક સામાજિક અને પર્યાવરણલક્ષી પહેલો હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષક સાથે ન્યાય કરો,TET પરીક્ષા રદ કરો:ગુજરાતના 75 હજાર, દેશના 25 લાખ જૂના શિક્ષકોને પરીક્ષા ફરજિયાત થતા રાજકોટમાં ઉગ્ર નારેબાજી સાથે રેલી નિકળી
    Next Article
    મનપામાં કાયદો માત્ર સામાન્ય પ્રજા માટે!:પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું ગેરકાયદેસર બાંધકામ નોટિસ છતાં યથાવત, તંત્રની રહેમનજર હેઠળ પડદા પાછળ બીજો માળ ખડકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment