Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોર્ડ 13થી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નારાજ:જાહેર કરેલા ઉમેદવારને કોઈ ઓળખતું ન હોવાનો જાગૃતિબેન ડાંગરનો આક્ષેપ, કહ્યું 'અમને વિશ્વાસમાં લીધા વિના ટિકિટ આપી,પરિણામમાં અસર થઈ શકે'

    10 hours ago

    રાજકોટ મનપાની ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા ગઈકાલે (5 એપ્રિલ) 40 ઉમેદવારના નામની જાહેરાત કરતાની સાથે જ પાર્ટીમાં નારાજગીના સુર સામે આવ્યા છે. વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે નારાજગી વ્યક્ત કરી છે. વોર્ડ નંબર 13ના જ મહિલા ઉમેદવાર અંજનાબેન પંચાસરાને કોઈ ઓળખતું નથી આ પાર્ટીના કોઈ કાર્યક્રમમાં જોયા નથી તેવો આક્ષેપ કર્યો હતો. ટિકિટ ફાળવણી પર પૂર્વ કોર્પોરેટરની નારાજગી આ ચૂંટણીમાં અમે કમલેશ કોઠીવારને ટિકિટ ફાળવવામાં આવે તેવી માંગ જાગૃતિબેન ડાંગરે કરી હતી અને તેમને ટિકિટ ન આપવામાં આવે તો પોતાને ફાળવવામાં આવે તેવી માંગ પાર્ટી સમક્ષ રાખી હતી. જો કે પાર્ટીએ કમલેશ કોઠીવારને વોર્ડ નંબર 12માં ટિકિટ ફાળવી 13 નંબરમાં મિસ્ત્રી સમાજના અંજનાબેનને ટિકિટ ફાળવી છે. જેને કોઈ ઓળખતું નથી માટે અમારી સાથે સંકલન કરી ટિકિટ ફાળવી હોત તો પરિણામ યોગ્ય આવી શકત.જો કે આ ટિકિટ ફાળવણીથી ચૂંટણીના પરિણામ પર અસર ચોક્કસ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પરિણામ પર અસર થઈ શકે: જાગૃતિબેન ડાંગર ટિકિટ ફાળવણી એ પાર્ટીનો નિર્ણય છે માટે પાર્ટીના નિર્ણય સાથે છીએ પરંતુ અમને વિશ્વાસમાં લીધાં હોત તો પરિણામ સારૂ મળ્યું હોત એવું અમારું ચોક્કસ માનવું છે. ચૂંટણી પરિણામ પર આની અસર જોવા મળે તો નવાઈ નહી. કારણ કે લોકો વચ્ચે રહેતા નેતાને ટિકિટ ફાળવવામાં આવી નથી. હું 10 વર્ષથી આ વિસ્તારમાં કામ કરું છું મેં આ બહેનને ક્યારે પણ જોયા નથી. કમલેશને આ વોર્ડમાં ટિકિટ આપવાની માંગ એટલા માટે કરી હતી કારણ કે તે સ્થાનિક ઉમેદવાર છે અને લોકો વચ્ચે રહે છે 25 વર્ષથી પાર્ટીનો કાર્યકર છે.જ્ઞાતિ સમીકરણના આધારે અમે આ વિસ્તારમાં કમલેશને ટિકિટ આપવા માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભર ઉનાળે ચોથુ માવઠુ, 18 જિલ્લામાં કાલે વરસાદની આગાહી:ભારે પવન સાથે વીજળી પડવાની પણ શક્યતાં, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
    Next Article
    The 75-Lakh Masterclass: How Sarfaraz Khan Is Outperforming CSK's 28-Crore Duo

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment