Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પદ્મ વિભૂષણ પંડવાણી ગાયિકા તીજનબાઈ પંચતત્વમાં વિલીન:રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર; નાના પાસેથી પ્રેરણા મળી, 13 વર્ષની ઉંમરે પ્રથમ વખત મંચ પર આવ્યા

    2 days ago

    છત્તીસગઢની લોકકલા અને પંડવાણી ગાયનને વૈશ્વિક ઓળખ અપાવનાર પદ્મ વિભૂષણ તીજનબાઈનું નિધન થયું. તેઓ 70 વર્ષના હતા. તેમણે શનિવારે રાત્રે 3.15 વાગ્યે રાયપુર એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ભારતીય લોકકલામાં તેમના અસાધારણ યોગદાન બદલ તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રવિવારે સવારે 11 વાગ્યે તીજનબાઈના પાર્થિવ દેહને તેમના પૈતૃક ગામ ગનિયારી લાવવામાં આવ્યો, જ્યાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તીજનબાઈએ તેમના શક્તિશાળી અવાજ, પ્રભાવશાળી અભિનય અને અનોખી પ્રસ્તુતિ શૈલીથી પંડવાણીને દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ નવી ઓળખ અપાવી. મહાભારતની કથાઓ સંભળાવવાની પ્રેરણા તેમને નાના પાસેથી મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે X પર લખ્યું, ‘તેમણે છત્તીસગઢની લોકકલાને પોતાની ભવ્ય પ્રસ્તુતિથી દુનિયાભરમાં ઓળખ અપાવી. તેમનું જવું કલા અને સંસ્કૃતિ જગત માટે અપુરણીય ક્ષતિ છે.’ છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાયે કહ્યું કે પંડવાણી દ્વારા તેમણે દેશ-વિદેશમાં રાજ્યનું નામ રોશન કર્યું. તીજન બાઈનો જન્મ 24 એપ્રિલ, 1956ના રોજ ભિલાઈના ગનિયારી ગામમાં થયો હતો. પાંડવાની લોકગાયન પરંપરાને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવનાર કલાકાર તરીકેની તેમની જીવનયાત્રા સરળ રહી નથી. આ કલાને કારણે તેમને સમાજ દ્વારા બહિષ્કૃત કરવામાં આવ્યા હતા. તેમ છતાં, સમાજમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવા છતાં તેમણે ગાવાનું છોડ્યું નહીં. પોતાના નાનાને સાંભળ્યા પછી ગાયકીમાં રસ જાગ્યો તીજન અને પાંડવાણી એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલાં રહ્યાં છે. તેમના પિતાનું નામ ચુનુકલાલ પરધા અને માતાનું નામ સુખવતી હતું. પારધી જનજાતિ સાથે સંકળાયેલાં તિજન તેમના નાના બ્રજલાલને મહાભારતની કથાઓ ગાતા અને વર્ણવતા જોતાં હતાં. ધીમે ધીમે તેમણે આ કથાઓ કંઠસ્થ કરી લીધી. તેમની લગન અને પ્રતિભાને પારખીને ગાયક ઉમેદ સિંહ દેશમુખે તેમને તાલીમ આપી. તેમણે 13 વર્ષની વયે તેમનું મંચ પર પ્રથમ પ્રદર્શન કર્યું હતું. તે સમયે, મહિલા પાંડવાણી ગાયિકાઓ માત્ર બેસીને જ ગાઈ શકતી હતી. જે શૈલી 'વેદમતી' તરીકે ઓળખાતી હતી. જ્યારે પુરુષો ઊભા રહીને 'કાપાલિક' શૈલીમાં ગાતા હતા. 'કાપાલિક' શૈલીમાં પાંડવાણીની રજૂઆત કરનાર તીજન બાઈ પ્રથમ મહિલા હતાં. તીજન બાઈ ક્યારેય સ્કૂલે ગયાં નહોતાં, તેમ છતાં તેમને ચાર વખત ડી.લિટ. (D.Litt.)ની પદવી એનાયત કરવામાં આવી હતી પાંડવાણી ગાયિકા તીજન બાઈ, જેમણે બાળપણમાં ક્યારેય સ્કૂલનું પગથિયું પણ જોયું નહોતું, તેઓ સાક્ષરતા અભિયાનના માધ્યમથી પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ મેળવી શક્યાં હતાં. જોકે, પાંડવાણી કળામાં તેમની નિપુણતાએ તેમને એવી ખ્યાતિ અપાવી કે 'ભારત રત્ન' સિવાયના તમામ મુખ્ય પુરસ્કારો તેમને મળ્યા. તેઓ એક એવી વિશિષ્ટ વ્યક્તિ છે જેમને ચાર વખત ડી.લિટ.ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Ancelotti insinuates Arsenal’s Gabriel knows how to stop Erling Haaland
    Next Article
    ગીર અને એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે પર્યાવરણવિદોનું મહાસંમેલન:ગીરમાં ગેરકાયદેસર રિસોર્ટ, જમીન ફાળવણી અને માઇનિંગ પ્રવૃત્તિઓ સામે ગુજરાતની 70 જેટલી પ્રકૃતિપ્રેમી સંસ્થાઓ એક થઈ, આંદોલન અને કાનૂની લડતની ચીમકી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment