Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેતપર ખેડૂત આંદોલનમાં 13મા દિવસે ઉપવાસીઓની સંખ્યા વધી:વીજ લાઈન પ્રશ્ને 13 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર અડગ

    11 hours ago

    મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા વીજ લાઈનના પ્રશ્ને ચાલી રહેલું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 13મા દિવસમાં પ્રવેશ્યું છે. આ આંદોલનમાં આજે વધુ બે ખેડૂતો જોડાતા ઉપવાસીઓની કુલ સંખ્યા 13 થઈ છે. અગાઉ 11 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. આજે 13મા દિવસે મહેશભાઈ ચતુરભાઈ મારવાણીયા (ગામ વાકિયા) અને અરવિંદભાઈ રામજીભાઈ અઘારા (ગામ જેતપર) પણ ઉપવાસમાં જોડાયા છે, જેનાથી કુલ ઉપવાસીઓની સંખ્યા 13 પર પહોંચી છે. આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોમાં મહંત કૈલાશગીરી ગુરુ મહાદેવગીરી (નવાગામ હનુમાન), રાકેશભાઈ શીવલાલ અમૃતિયા (કારુકાકા, જેતપર), નકુલભાઈ ધીરજલાલ અમૃતિયા (જેતપર), રામજીભાઈ નાનજીભાઈ ભાડજા (જેતપર), નિલેષભાઈ એરવાડીયા (મોરબી), નિલેષભાઈ પ્રાણજીવનભાઈ અઘારા (જેતપર), મહેશભાઈ ચતુરભાઈ મારવણીયા (વાંકીયા), અરવિંદભાઈ રામજીભાઈ અઘારા (જેતપર), વલ્લભભાઈ ડાયાલાલ અઘારા (જેતપર), ક્રિષ્નાબેન દિનેશભાઈ અમૃતિયા (જેતપર), દક્ષાબેન દિપકભાઈ અમૃતિયા (જેતપર) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આજે જોડાયેલા મહેશભાઈ ચતુરભાઈ મારવાણીયા (વાકિયા) અને અરવિંદભાઈ રામજીભાઈ અઘારા (જેતપર) પણ ઉપવાસ પર છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદથી દ્વારકા જતી વંદે ભારનો સમય બદલાતા શ્રધ્ધાળુઓમાં આક્રોશ:ગુજરાત પેસન્જર એસો.ની રેલવેના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભાજપના સાંસદો સમક્ષ ફરીયાદ, જૂનો સમય યથાવત રાખવા માંગ
    Next Article
    મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો:મહિલા-બાળ અધિકાર, આરોગ્ય અને સરકારી યોજનાઓ પર માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment