Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયરના વોર્ડમાં જ દુષિત પાણીથી લોકો પરેશાન:શહેરના વોર્ડ 13માં દૂધવાલા મહોલ્લા અને ઝકરિયા મસ્જિદની ગલીમાં દુષિત પાણીના કારણે લોકોમાં આક્રોશ

    2 days ago

    વડોદરા શહેરમાં કેટલાય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઇ ઉઠ્યાં છે. કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી પૂરતા દબાણ સાથે નથી મળી રહ્યું તો કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી દુષિત મળી રહ્યું હોવાની અનેકવિધ ફરિયાદો ઉઠી છે. ત્યારે શહેરના વોર્ડ 13 એટલે કે મેયરના વોર્ડમાં જ લોકો દુષિત પાણીના કારણે પરેશાન છે. નળમાંથી પીળા રંગનું અને જીવડા વાળું પાણી આવતું હોવાની ફરિયાદ વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણાના પોતાના જ મતવિસ્તાર એટલે કે વોર્ડ નંબર-13માં છેલ્લા એક મહિનાથી સ્થાનિક નાગરિકો પીવાના પાણીની ગંભીર અને જોખમી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વોર્ડના ન્યાય મંદિર નજીક આવેલા દુધવાલા મોહલ્લા અને ઝકરિયા મસ્જિદની ગલીમાં વસતા સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી ઘરોમાં આવતા પીવાના પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું ગંદુ પાણી મિક્સ થઈ રહ્યું છે. નળમાંથી આવતું પાણી પીળા રંગનું, અતિશય દુર્ગંધ મારતું અને જીવડાંવાળું હોવાથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દૂષિત પાણીના કારણે લોકોમાં રોગચાળાનો ભય પ્રદૂષિત પાણીના કારણે સ્થાનિક લોકોમાં કોલેરા, ઝાડા-ઉલ્ટી અને કમળા જેવા ગંભીર રોગો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે, જેમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર મોટો ખતરો ઉભો થયો છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, આ નર્કાગાર જેવી સ્થિતિ અંગે તેઓએ વડોદરા કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ અને વહીવટી તંત્રને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે. આમ છતાં, આજદિન સુધી તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને અધિકારીઓ માત્ર પોકળ આશ્વાસનો આપી રહ્યા છે. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓની આવી ઘોર ઉદાસીનતા અને નબળી કામગીરીથી લોકો પરેશાન થઇ ઉઠ્યા છે. મેયરના વોર્ડમાં જ આ હાલ હોય તો બાકીના વિસ્તારનું તો પૂછવું જ શું? સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો શહેરના પ્રથમ નાગરિક અને મેયરના પોતાના જ વોર્ડમાં જનતાને શુદ્ધ પીવાનું પાણી ન મળતું હોય, તો વડોદરાના અન્ય સામાન્ય વિસ્તારોની સ્થિતિ કેટલી બદતર હશે તેની કલ્પના કરવી જ ધ્રુજાવી દે તેવી છે. આ અસહ્ય સમસ્યાથી પીડાતા નાગરિકોએ હવે સીધા મેયર ગીતાબેન મકવાણા સમક્ષ આ મામલે તાત્કાલિક અને અંગત રસ લઈને હસ્તક્ષેપ કરવાની ઉગ્ર માંગ કરી છે. લોકોનું કહેવું છે કે ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇનનું જોડાણ ક્યાંથી લીક થાય છે તેની તપાસ કરાવીને આ ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. સ્થાનિકોએ વહીવટી તંત્રને અને મેયરને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું છે કે, જો આગામી ખૂબ જ ટૂંકા સમયમાં શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો સમગ્ર વિસ્તારના રહીશો ભેગા મળીને વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે માટલા ફોડીને ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલન આદરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
    Click here to Read More
    Previous Article
    હિમાચલમાં પત્નીને આપ્યા ત્રણ તલાક:મહિલાનો આરોપ- પતિ અને સાસુએ ત્રાસ આપ્યો, મારપીટ બાદ ઘરમાંથી કાઢી મૂકી
    Next Article
    1000થી વધુ કીડિયારાં મુકી જીવદયાનો સંદેશ:યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપે મોરબીમાં કીડિયારું મહોત્સવ યોજ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment