Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણા ગૌરીમાતા મંદિરે 125 કિલો ઝુમ્મર, ધજા અર્પણ થશે:પાટોત્સવની તૈયારીઓ માટે ટ્રસ્ટની બેઠકમાં જવાબદારીઓ સોંપાઈ

    6 days ago

    ચંદ્રુમાણા સ્થિત શ્રી ગૌરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક મંદિરે યોજાઈ હતી. પ્રમુખ ચેતનભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને આ બેઠક પાટોત્સવની તૈયારીઓ અને વિવિધ જવાબદારીઓ નક્કી કરવા માટે મળી હતી. આ પ્રસંગે બે મુખ્ય જાહેરાતો કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ બબીબેન અને કુબેરભાઈના સ્મરણાર્થે તેમના પુત્રો હરેશભાઈ અને આશિષભાઈ પટેલ દ્વારા માતાજીને 125 કિલોનું ભવ્ય ઝુમ્મર ભેટ આપવામાં આવશે. આ જાહેરાતને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ ઉપરાંત, અમદાવાદના એક મહિલા શ્રદ્ધાળુ દ્વારા પૂજિત ધજા પાટોત્સવના દિવસે મંદિરના શિખર પર આરોહિત કરવામાં આવશે. આ ધજાને મહિલા શ્રદ્ધાળુએ પોતાના ઘરે પૂજામાં રાખી હતી. પ્રમુખ ચેતનભાઈએ મુખ્ય ગેટના ઉદ્ઘાટન તેમજ અન્ય ચાલુ અને ભવિષ્યમાં થનારા કાર્યો અંગે માહિતી આપી હતી. બેઠકમાં પાટોત્સવ દરમિયાન ભક્તો માટેની સુવિધાઓ પર વિશેષ ધ્યાન અપાયું હતું. પાટોત્સવ નિમિત્તે 300 જેટલા વાહનો માટે પાર્કિંગની સુવિધા, રસોડામાં ભોજન વ્યવસ્થા, પીવાના અને વપરાશના પાણીનો પુરવઠો, વીજળી સુવિધા, મંડપ વ્યવસ્થા અને સ્વાગત સુવિધા સહિતની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ગરમીને ધ્યાનમાં રાખીને 30 થી વધુ એરકુલર ગોઠવવામાં આવશે અને પાર્કિંગ માટે સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરાશે. પાટોત્સવના આગલા દિવસે રાસ ગરબાનું આયોજન કરવામાં આવશે. મંદિરને નવી ધજા ચડાવવાના સમયે વધુને વધુ લોકો જોડાય તે માટે પણ વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ગત સભાની કાર્યવાહી વંચાણે લેવામાં આવી હતી અને વર્ષ 2025-26 ના હિસાબો રજૂ કરાયા હતા. અખાત્રીજે મંદિર દિશાનું મુહૂર્ત આવે તો ખેડૂતો અને પગપાળા સંઘો માટે ચા-નાસ્તા સહિતની વ્યવસ્થા કરવાના સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રમોદભાઈ વ્યાસ, ભાનુભાઈ વ્યાસ, જ્યોતીન્દ્રભાઈ વ્યાસ, લાલજીભાઈ પટેલ, સુરેશભાઈ વ્યાસ, લલીતભાઈ મડાણા ગઢ, દિલીપભાઈ ઈકબાલગઢ, કાનજીભાઈ સાકરા, સતિષભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ, નીતિનભાઈ વ્યાસ, રામજીભાઈ પટેલ, ચિંતનભાઈ વ્યાસ, વિનુભાઈ પટેલ, મહેશભાઈ શાસ્ત્રી, સુનિલભાઈ વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોધરા નગરપાલિકા ચૂંટણી: ભાજપે વિવિધ વોર્ડ કાર્યાલયો ખોલ્યા:ધારાસભ્ય સી.કે. રાઉલજીએ ઉદ્ઘાટન કરી પ્રચારનો પ્રારંભ કર્યો
    Next Article
    Open AI CEO Sam Altman Seeks Court Relief In Sister's Sexual Abuse Lawsuit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment