Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલીસણા હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને ગુરુવંદના:125થી વધુ વિદ્યાર્થીઓએ શાળાના સ્મરણો વાગોળી ગુરુજનોનું સન્માન કર્યું

    8 hours ago

    પાટણ તાલુકાના બાલીસણા ગામમાં આવેલી શેઠ સી.વી. વિદ્યાલય અને શ્રી ઈ.લા. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં 1992ની એસ.એસ.સી. બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સ્નેહમિલન અને ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 125થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સ્નેહમિલન માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નાસિક, અમદાવાદ, મુંબઈ, સુરત તેમજ વિદેશથી પણ ખાસ ગુરુજનોને વંદન કરવા આવ્યા હતા. તેમણે શાળા અભ્યાસના જૂના સ્મરણો વાગોળી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ આચાર્ય ડાહ્યાભાઈ પટેલ અને વિનોદકુમાર પટેલ, વર્તમાન આચાર્ય પ્રણવભાઈ પટેલ, ભગવતીબેન અમીન, રમીલાબેન પટેલ, નયનાબેન પટેલ, અમરતભાઈ રાવળ, રણછોડભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, એ. કે. પટેલ સહિતના ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા. મંડળના પ્રમુખ ડાહ્યાભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને જયંતીભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થી ભાઈ-બહેનોએ વૈદિક સંસ્કૃતિ અનુસાર ગુરુઓનું પૂજન કર્યું હતું. તેમણે ગુરુજનોને ફુલહાર પહેરાવી, શાલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. મનીષાબેન પટેલે શિષ્યોની ગુરુ પ્રત્યેની ફરજો વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીલમભાઈ પટેલે કર્યું હતું. આ કાર્યક્રમના સૌજન્ય દાતા અમદાવાદના બિઝનેસમેન પલકબેન કેતનકુમાર મનુભાઈ પટેલ બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરત મહાનગરપાલિકામાં સત્તાનું નવું માળખું જાહેર:આરોગ્ય, પાણી, TP સહિતની 12 મહત્વની સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની સત્તાવાર જાહેરાત
    Next Article
    How Singapore Defeated Corruption and Became the Richest in Asia | Lee Kuan Yew

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment