Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાર્મસીમાં ડિપ્લોમા ટુ ડિગ્રી પ્રવેશ માટે પરીક્ષા:1200 બેઠક પર પ્રવેશ માટે સુરત સહિત રાજ્યભરમાં પરીક્ષા યોજાઈ, આવતીકાલે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાશે

    10 hours ago

    ગુજરાત રાજ્યની વિવિધ ફાર્મસી કોલેજોમાં ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ સીધા બીજા વર્ષમાં એટલે કે ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટેની 'ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ' (DDCET-2026) આજે શનિવારે રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. રાજ્યના મુખ્ય શહેરો એવા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના નિર્ધારિત 10 પરીક્ષા કેન્દ્રો પર સવારે 11:00 વાગ્યે પરીક્ષાનો પ્રારંભ થયો હતો, જે બપોરે 1:30 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ પરીક્ષામાં રાજ્યની 100થી વધુ ફાર્મસી કોલેજોની અંદાજે 1200થી વધુ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે સેંકડો વિદ્યાર્થીઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. 200 ગુણની આ પરીક્ષામાં ખાસ કરીને 'બેઝિક ઓફ ફાર્મસી' અને 'એપ્ટિટ્યુડ ટેસ્ટ' પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જે વિદ્યાર્થીઓની વિષયવસ્તુની જાણકારી અને તાર્કિક ક્ષમતાની ચકાસણી કરે છે. આવતીકાલે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાશે આ ટેસ્ટ માટે નોંધાયેલા 341 જેટલા વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ આન્સરશીટ આવતીકાલે એટલે કે 10મી મે, રવિવારના રોજ સવારે 11:00 કલાકે ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓ એડમિશન કમિટીની સત્તાવાર વેબસાઈટ acpc.gujarat.gov.in પર જઈને આન્સરશીટ ડાઉનલોડ કરી શકશે અને પોતાના ગુણનો અંદાજ મેળવી શકશે. આ એન્ટ્રન્સ ટેસ્ટનું સત્તાવાર પરિણામ ચાલુ મે મહિનાના અંત સુધીમાં જાહેર કરવાની ગણતરી રાખવામાં આવી છે, ત્યારબાદ મેરિટ લિસ્ટના આધારે કોલેજ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સુરતમાં 47 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને વલસાડના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતની ડો. એસ. એન્ડ એસ.એસ. ગાંધી ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે કુલ 47 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. પરીક્ષા કેન્દ્ર પર વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા અને પારદર્શિતા જળવાય તે હેતુથી વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હવે વિદ્યાર્થીઓની નજર આવતીકાલે જાહેર થનારી આન્સરશીટ પર છે, જેના આધારે રાજ્યની પ્રતિષ્ઠિત ફાર્મસી કોલેજોમાં તેમના પ્રવેશનો માર્ગ નક્કી થશે. પરીક્ષાર્થી સ્વયં સખીયાએ જણાવ્યું હતું કે, આજે અમે ડીડીસેટ (DDCET) ની એક્ઝામ દેવા આવ્યા છીએ. જે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જવા માટે એક ઈમ્પોર્ટન્ટ એક્ઝામ છે. એટલે આજે અમારી આ એસ.એસ. ગાંધીમાં એ પ્રકારની એક્ઝામ છે, તો અમે તૈયારી કરીને આ એક્ઝામ દેશું અને સારા માર્ક્સે પાસ થઈને આગળ ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ મેળવશું.અમે કુલ બે વર્ષ ડિપ્લોમાથી તૈયારી કરી છે, એમાં હવે ડિગ્રીમાંથી જવા માટે આ બે વર્ષ કમ્પ્લીટ કરીને હવે ડિગ્રીની એક્ઝામ દેશું. પરીક્ષાર્થી ગિરાસે આયુષ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે હું અમરોલી થી રહેવાવાળો છું. અમારી બે વર્ષની મહેનત છે, ડિપ્લોમા ટુ ડિગ્રી માટે એડમિશન માટે, પછી એને આગળ ગવર્મેન્ટ જોબ માટે પ્રિપરેશન કરશું કે આગળ અમારુ સપનું પૂરું થાય.
    Click here to Read More
    Previous Article
    'સાહેબ ભૂલ થઈ ગઈ, હવે બીજીવાર સુરત નહીં આવું':પોલીસ ફાયરિંગ બાદ લૂંટનો આરોપી શુભમ ફફડી ઉઠ્યો, કિમ પોલીસે બીજો ગુનો નોંધ્યો
    Next Article
    Vejalpur police Breaking Update | પંચમહાલની વેજલપુર પોલીસે હુમલાખોરોને ભણાવ્યો કાયદાનો પાઠ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment