Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    120થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને પશુપાલનનું માર્ગદર્શન મળ્યું:‘આત્મા’ પ્રોજેક્ટ હેઠળ ગાય આધારિત ઝીરો બજેટ ખેતી શીખવાડાઈ

    8 घंटे पहले

    મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઢિંગલવાડા ગામમાં 'આત્મા' પ્રોજેક્ટ દ્વારા એક વિશેષ કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 120થી વધુ ખેડૂતોને ગાય આધારિત ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનને વધુ ફળદ્રુપ બનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. રાજ્યમાં હાલ 'ખેતર બચાવો' અભિયાન અને રાસાયણિક ખાતરો-દવાઓના સંતુલિત ઉપયોગ માટે મોટા પાયે ઝુંબેશ ચાલી રહી છે, જેના કારણે ખેડૂતોનો પ્રાકૃતિક ખેતી તરફનો ઝુકાવ સતત વધી રહ્યો છે. ગુજરાત પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડ, ખેતીવાડી વિભાગ, બાગાયત અને પશુપાલન ખાતાના સંયુક્ત પ્રયાસોથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. કિસાન ગોષ્ઠીમાં ઉપસ્થિત નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર એક ખેતી પદ્ધતિ નથી, પરંતુ તે આરોગ્યપ્રદ જીવનશૈલી અને સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટેનો માર્ગ છે. તેમણે ઉમેર્યું હતું કે જો ખેડૂતો આ પદ્ધતિ અપનાવે તો માનવજાતની સુખાકારી વધવાની સાથે તેઓ આર્થિક રીતે પણ સધ્ધર બની શકે છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન અપાયું. કામધેનુ યુનિવર્સિટીના ભાવિનભાઈ પટેલે પશુપાલનનું મહત્વ સમજાવી વિસ્તૃત માહિતી આપી. જિલ્લા સંયોજક શૈલેષભાઈએ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અને મોડલો વિશે ચર્ચા કરી. 'આત્મા' પ્રોજેક્ટના બી.ટી.એમ. વિનુભાઈ પટેલે પ્રોજેક્ટના વિવિધ ઘટકો અને તેની કામગીરી વિશે ખેડૂતોને અવગત કર્યા. આ ઉપરાંત, સી.આર.પી. દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી જીવામૃત બનાવવાની પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. ઢિંગલવાડા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૨૦થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પ્રાકૃતિક ખેતી અંગેનું પાયાનું શિક્ષણ મેળવ્યું. કડાણા 'આત્મા' સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમનું કુશળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એ.ટી.એમ. શકીલભાઈ તેમજ બોર્ડના પ્રતિનિધિ જયેશભાઈ અને રવિનાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સરકારી કર્મચારીઓને બખ્ખાં:અમરેલીમાં ઝાપટાં-પોશીનામાં કરા પડ્યા, હજું બે દિવસ વરસાદનું જોર રહેશે, ખેડામાં રાજુ બનીને નઝીમે પોત પ્રકાશ્યું
    Next Article
    ભવનાથ મંદિર વહીવટ વિવાદ:ભવનાથ મંદિરમાં પરંપરા ભંગ અને સાધુઓની હકાલપટ્ટીના આક્ષેપો પાયાવિહોણા, તમામ પૂજા-વિધિ અને વહીવટ નિયમોનુસાર ચાલતો હોવાનો પ્રાંત અધિકારીનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment