Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુની બદલાતી ચાલ, પથ્થરમાંથી સોનું બનાવશે!:આજથી શરૂ થતો 120 દિવસનો સુવર્ણકાળ, અર્થતંત્રમાં સુધારો અને શેરબજારમાં તેજીના સંકેત

    5 days ago

    શાસ્ત્રોક્ત દૃષ્ટિએ ગુરુને અતિ શુભ અને શ્રેષ્ઠ ફળદાયી ગ્રહ કહ્યો છે. કહેવત છે કે ગુરુ કદી ના કરે કોઈનું બુરું. ગુરુ એટલે જ્ઞાન, ગુરુ એટલે શિક્ષા, ગુરુ એટલે દીક્ષા, ગુરુ એટલે મોટો અને ગુરુ એટલે દેવોનો પણ ગુરુ બૃહસ્પતિ. કેહવાય છે કે ગુરુ ફળે તો રસ્તામાં પડેલો પથ્થર પણ સોનુ બની જાય. ગુરુ ગ્રહ સંતાનનો, ધનનો, ધર્મનો, વિધાનો અને સંસ્કારનો કારક છે. 2025થી આપણે ગુરુના અતિચારી ભ્રમણનો સામનો કરી રહ્યા છીએ. અત્યારે જ્યારે આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે ગુરુ મિથુન રાશિની અંદર ભ્રમણ કરી રહ્યો છે. મિથુન રાશિ બુદ્ધની સ્વગૃહી રાશિ છે પરંતુ ગુરુ માટે તે અસ્તની રાશિ કહી શકાય. અહીં ગુરુ નબળો પડે છે. પરિણામ સ્વરૂપ મિથુન રાશિના ગુરુ ભ્રમણ દરમિયાન દેશ -દુનિયામાં અને વ્યક્તિગત સ્વરૂપે આપણે કેટલી દુર્ઘટનાઓ નો સામનો કરવો પડ્યો. મિથુન રાશિમાં ભ્રમણ કરતો ગુરુ હવે 11 માર્ચની વહેલી સવારે પોતાનુ માર્ગી ભ્રમણ શરૂ કરશે. ગુરુ ઊલટો ચાલે તો તેના પરિણામ પણ ઊલટા આવે પરંતુ ગુરુ માર્ગી અને સીધો ચાલે તો તેનું ફળ પણ સરળ શુભ અને સીધું મળે. ગુરુ વર્ષ 2026માં પણ ત્રણ વાર રાશિ બદલશે. મિથુન- કર્ક -સિંહ આમ ત્રણ રાશિની ચાલ કેવા પરિણામ લાવશે તે જોવાનું રહ્યું, પરંતુ આજે 11 માર્ચના રોજ મિથુનમાં ગુરુ માર્ગી ભ્રમણ કરશે તેની કેવી અસરો? કોને લાભ કોને નુકસાન? તેની ચર્ચા કરીએ. ગુરુનું માર્ગી ભ્રમણ શરૂ, કેવા રહેશે આવનારા દિવસો? ગુરુનું માર્ગી ભ્રમણ શરૂ થતાની સાથે જ 120 દિવસનો આ સમય મિથુન રાશિના ગુરુના ભ્રમણનો સમય સોનું અને ચાંદીને સ્થિર કરશે, અલબત્ત સોનુ-ચાંદી વધશે પરંતુ સ્થિરતા પૂર્વક વધશે. ગુરુનું માર્ગી ભ્રમણ દેશના અર્થતંત્રને સ્થિર કરશે અને 120 દિવસના સમયગાળા દરમિયાન વિદેશનીતિ અને અર્થતંત્રને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો દેશ માટે ખૂબ જ ફળદાયી નીવડશે. શેરબજાર પણ સ્થિર થશે, ખાસ કરીને બેંક, ફાર્મસી, પાવર, સ્ટીલ, ફાઇનાન્સના શેરમાં ખૂબ જ સારા પરિણામો આપશે અને આ તમામ સ્ક્રિપ્ટ ની અંદર શેરબજારમાં રસ લેતા જાતકોને લાભ આપશે. મિથુનના ગુરુનું માર્ગી ભ્રમણ અંગ્રેજી તારીખ અનુસાર, જે જાતકોનો જન્મ 15 જૂનથી 15 જુલાઈ દરમિયાન થયો હોય અગર તો 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન થયો હોય તેવા જાતકોને તન, મન અને ધનથી સુખ શાંતિ મળશે. ગુરુનું માર્ગી ભ્રમણ શરૂ થતા જ ધાર્મિક વિવાદો પર પૂર્ણવિરામ આવશે. દેશમાં ચાલી રહેલા આંદોલનો ચાર મહિના થોડાક શાંત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મિથુનના ગુરુનું માર્ગી ભ્રમણ માન સન્માનમાં વધારો કરશે. મિથુનના ગુરુનું માર્ગી ભ્રમણ રાહુલ ગાંધી, મમતા બેનર્જી અણધારી મુસીબતો સર્જશે. ગુરુનું આ માર્ગી ભ્રમણ મિથુન રાશિમાં અસ્તનું ભ્રમણ ગણાય આથી ગુરુનું આ ભ્રમણ જાપાન, ઇન્ડોનેશિયા, નેપાળ, જાકાર્તા, ચીન ,તુર્કી, અફઘાનિસ્તાન અને ભારતના ઉત્તરીય વિસ્તારોમાં ધરતીકંપના આંચકા લાવી શકે. કઈ રાશિને કેટલો ફાયદો થશે? આવો હવે જેમાં તમને આતુરતા અને રસ છે તેવી વાત અર્થાત વ્યક્તિગત રાશિવાર છણાવટ કરીએ. ખાસ કરીને ગુરુના માર્ગી ભ્રમણ દરમિયાન મેષ, વૃષભ, મિથુન, કન્યા, ધન અને મીન રાશિને લાભ થશે. મેષ રાશિના જાતકોને ભાઈભાંડુ સાથે જમીન કે પ્રોપર્ટીના વિવાદમાં ન્યાય મળશે. માર્ગી ગુરુના 120 દિવસના ભ્રમણ દરમિયાન વિદેશ યાત્રાના પૂર્ણ સંજોગ દેખાય છે. તમે શનિની પનોતીમાં છો પણ હવે માર્ગી ગુરુનો થોડોક સમય શાંતિ અને સફળતાનો દેખાય છે. વૃષભ રાશિના જાતકોના ધન, સંપત્તીમાં વધારો અને કૌટુંબિક શાંતિમાં સુધારો આવશે.આ રાશિના જે જે લોકો વક્તવ્યના ફિલ્ડમાં જેમ કે- ઓરેટર, શિક્ષક અને ઉપદેશક તેમને માર્ગી ગુરુ લાભ આપશે. મિથુન રાશિના જાતકોની તંદુરસ્તીમાં વધારો કરશે અને વિચારોમાં પોસિટીવીટી આપશે. કર્ક રાશિના જાતકો માટે ગુરુનું આ ભ્રમણ વિપરીત પરિણામો લાવનારું અને ક્યાંક ક્યાંક આયુષ્યની ચિંતા કરાવનારું અને બીમારીઓથી ડરાવનારૂ બનશે. સિંહ રાશિના જાતકોને આ ભ્રમણ મહદ અંશે મુશ્કેલીઓમાં રાહત આપનારું અને અચાનક ધન લાભ કરાવનારું બનશે. સિંહ રાશિના જાતકોને સ્ત્રી મિત્રોથી સહાય અને લાભ આપનારું પુરવાર થશે. કન્યા રાશિના જાતકોને તેમના ધંધા વ્યવસાયમાં પ્રગતિ કરાવનાર, પિતાના આશીર્વાદથી ભરપુર અને કર્મવાદી બનાવનારું હશે.ગુરુના આ ભ્રમણ દરમિયાન કન્યા રાશિના જાતકોએ મકાન, વાહનની લે-વેચ કરવાથી અતિ લાભ થશે. કોઈ નવી પ્રોપર્ટીના યોગ પણ છે. તુલા રાશિના જાતકો માટે ગુરુનું આ માર્ગી ભ્રમણ વિદેશના કામ સરળ બનાવશે. PR, ગ્રીન કાર્ડ, સિટિઝનશીપના કાર્યમાં સહાય કરશે. ભાગ્યોદયના નવા દરવાજા અને તકનું સર્જન કરનારું બનશે.વૃશ્ચિક રાશિના જાતકો માટે હરસમસાની પીડા ઉત્પન્ન કરનાર, ગુપ્ત રોગોને લાવનાર અને અકસ્માતથી સાવધાનીનું સાયરન વગાડનારું રહેશે. ધન રાશિના જાતકોને શનિની નાની પનોતીમાં રાહત આપનારું, દાંપત્ય જીવનમાં શાંતિ, સ્નેહ અને પ્રેમમાં વધારો કરનારું અને નિસંતાન દંપતી માટે સંતાનનો યોગ સર્જનારું પુરવાર થશે.મકર માટે મુશ્કેલીઓ,અસંતોષ અને વિઘ્નો લાવનારું તો કુંભ માટે શેરબજારથી લાભ લાવનારું અને નવીન તકો ઉભી કરનારું બનશે. મીન રાશિના જાતકો માટે મિથુનના ગુરુનું આ માર્ગી ભ્રમણ નવી દિશા અને માર્ગનું સુચન કરી દરેક ક્ષેત્રે પ્રગતિ અને નામના આપનારું બનશે તેમાં લેશ માત્ર શંકા નથી. ગુરુનું ભ્રમણ માફક ન હોય તે જાતકોએ શું કરવું? (માહિતી સૌજન્યઃ ડો.પંકજ નાગર, drpanckaj@gmail.com)
    Click here to Read More
    Previous Article
    ત્રણ સંતોની પતિ-પત્નીને શીખામણ:જ્યારે પરિવારમાં પ્રેમ અને સહયોગ હોય છે, ત્યારે મન શાંત રહે છે અને સંબંધો મજબૂત બને છે
    Next Article
    12 માર્ચનું અંકફળ:અંક 3ના જાતકો માટે પ્રગતિના દ્વાર ખુલશે, અંક 8ના જાતકોને મિલકત વિવાદમાં રાહત મળશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment