Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનગરપાલિકા ચૂંટણીને લઈ 1 એપ્રિલથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ:સુરત ભાજપમાં ટિકિટ માટે રસાકસી, દાવેદારો માટે કડક નિયમો; અનામત બેઠકો માટે લેટેસ્ટ પ્રમાણપત્રો રજૂ કરવા

    22 hours ago

    આગામી મહાપાલિકાની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. ઉમેદવારોની પસંદગી માટે સંગઠનાત્મક સ્તરે કવાયત તેજ કરતા ભાજપ દ્વારા 1 એપ્રિલથી નિરીક્ષકોની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12 ના દાવેદારોને સાંભળવામાં આવશે. નિરીક્ષકો તમામ દાવેદારોની રજૂઆત સાંભળી એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરશે, જે પ્રદેશ કક્ષાએ મોકલ્યા બાદ આખરી નામો પર મહોર મારવામાં આવશે. ચાર ગ્રુપમાં વહેંચણી, ઉધના કાર્યાલય ખાતે બેઠક વ્યવસ્થા ભાજપ દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે સમગ્ર વોર્ડ માળખાને ચાર મુખ્ય જૂથોમાં વહેંચી દેવામાં આવ્યું છે. ઉધના કાર્યાલયના અલગ-અલગ ફ્લોર પર આ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જહાંગીરપુરા, અમરોલી અને વરાછા જેવા વિસ્તારો માટે ગ્રાઉન્ડ ફ્લોર ફાળવાયો છે, જ્યારે કાપોદ્રા અને કતારગામના દાવેદારોને અપર ગ્રાઉન્ડ વોર રૂમમાં સાંભળવામાં આવશે. આ પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી શરૂ થઈ સાંજ સુધી સતત ચાલશે, જેથી દરેક ઈચ્છુક કાર્યકર પોતાની વાત નિરીક્ષકો સમક્ષ મૂકી શકે. દાવેદારો માટે કડક નિયમો, વેરા પાવતી અને દસ્તાવેજો અનિવાર્ય આ વખતે ભાજપે ઉમેદવારી માટેના નિયમોમાં પણ કડકાઈ દાખવી છે. દાવેદારી કરવા ઈચ્છતા કાર્યકરોએ સાબિત કરવું પડશે કે તેઓએ તમામ પ્રકારના સરકારી વેરાની ચુકવણી કરી દીધી છે. જે-તે વોર્ડના નિયત સમયના એક કલાક પૂર્વે જ કાર્યાલય પરથી ફોર્મ મેળવી લેવાના રહેશે. આ ઉપરાંત, વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાર યાદીમાં નામ હોય તે પેજની નકલ રજૂ કરવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે, જેના વગર દાવેદારી સ્વીકારવામાં આવશે નહીં. અનામત બેઠકો માટે લેટેસ્ટ પ્રમાણપત્રોની શરત ચૂંટણીમાં અનામત બેઠકો પર દાવેદારી નોંધાવતા OBC, SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે પક્ષે સ્પષ્ટ સૂચના આપી છે. આ ઉમેદવારોએ તેમની દાવેદારી સાથે લેટેસ્ટ જાતિ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પક્ષનો ઉદ્દેશ્ય છે કે ઉમેદવારી પ્રક્રિયા પારદર્શક રહે અને કાયદાકીય રીતે સક્ષમ ઉમેદવારોને જ મેદાનમાં ઉતારવામાં આવે. આ દસ્તાવેજી ચકાસણી બાદ જ નિરીક્ષકો આગળની કાર્યવાહી હાથ ધરશે. જૂથવાદ ડામવા નિરીક્ષકોની ભૂમિકા મહત્વની સુરત મહાપાલિકામાં ટિકિટ વાંચ્છુઓની સંખ્યા મોટી હોવાથી નિરીક્ષકો માટે પણ યોગ્ય ઉમેદવારની પસંદગી પડકારજનક બની રહેશે. 1 થી 12 વોર્ડ બાદ બાકીના વોર્ડ માટે પણ ટૂંક સમયમાં શિડ્યુલ જાહેર કરવામાં આવશે. ભાજપ આ પ્રક્રિયા દ્વારા પાયાના કાર્યકરોનો મૂડ પારખવાનો પ્રયાસ કરી રહી છે. નિરીક્ષકો દ્વારા રજૂ કરવામાં આવનારો આ રિપોર્ટ જ નક્કી કરશે કે કયા ચહેરાઓ આવનારા પાંચ વર્ષ માટે સુરત મહાનગરપાલિકામાં ભાજપનું પ્રતિનિધિત્વ કરશે.
    Click here to Read More
    Previous Article
    હનુમાનજીની શીખ:જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર તાકાત જ નહીં, પરંતુ સમજદારી, ધૈર્ય અને સાચી વિચારસરણીની પણ જરૂર
    Next Article
    અધવચ્ચે કાળ ભેટી ગયો:ગિફ્ટ સિટીમાં નોકરીએ જતો આશાસ્પદ યુવક બાઇક સ્લીપ ખાઈ જવાથી મોતને ભેટ્યો, પત્નીને ફોન પર મોતના સમાચાર મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment