Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની મતગણતરી:આવતીકાલે 12 કેન્દ્રો પર થશે, તૈયારીઓ પૂર્ણ

    12 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા) માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે મંગળવારે સવારથી જિલ્લાના આઠ તાલુકા મથકે આવેલા 12 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીઓમાં કુલ 838 ઉમેદવારો મેદાનમાં હતા, જેના માટે 1347 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. મતદાનની ટકાવારી જોઈએ તો, જિલ્લા પંચાયત માટે 66.41 ટકા, આઠ તાલુકા પંચાયત માટે 67.06 ટકા અને હિંમતનગર, ઇડર તથા વડાલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 62.66 ટકા મતદાન નોંધાયું હતું. પ્રાંતિજ નગરપાલિકાની પેટા ચૂંટણી માટે 61.78 ટકા મતદાન થયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયત માટેના મતગણતરી કેન્દ્રો નીચે મુજબ છે: હિંમતનગર (ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજ), વડાલી (શેઠ શ્રી બી.સી.શાહ આર્ટસ કોલેજ), પોશીના (તાલુકા સેવા સદન), ખેડબ્રહ્મા (શેઠ શ્રી કે.ટી. હાઈસ્કૂલ), પ્રાંતિજ (શ્રીમતી એમ.સી. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ), તલોદ (શેઠ એચ.પી. આર્ટસ અને કોમર્સ કોલેજ), ઈડર (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ) અને વિજયનગર (સ્વામી વિવેકાનંદ વિદ્યાલય). નગરપાલિકા માટેના મતગણતરી કેન્દ્રો આ પ્રમાણે છે: હિંમતનગર (ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજ મેઈન બિલ્ડિંગ), ઈડર (જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - DIET), વડાલી (સભાખંડ, શેઠ સી.જે. હાઈસ્કૂલ, પ્રાથમિક વિભાગ) અને પ્રાંતિજ (શ્રીમતી એમ.સી. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ). મતગણતરી પ્રક્રિયા મંગળવારે સવારે 9:00 કલાકે શરૂ થશે, જેમાં પોસ્ટલ બેલેટ અને ઇવીએમ મશીનની મતગણતરી એકસાથે હાથ ધરવામાં આવશે. જિલ્લા પંચાયતની બેઠકોની મતગણતરી માટે આઠ તાલુકા મથકે 74 ટેબલ ગોઠવવામાં આવ્યા છે. આ માટે 214 મતગણતરી સ્ટાફ, 285 પોલીસ સ્ટાફ અને 89 વર્ગ-4ના કર્મચારીઓ ફરજ બજાવશે. આઠ તાલુકા પંચાયતની મતગણતરી માટે 76 ટેબલની વ્યવસ્થા કરાઈ છે. જેમાં 213 મતગણતરી સ્ટાફ, 296 પોલીસ સ્ટાફ અને 91 વર્ગ-4ના કર્મચારીઓ તૈનાત રહેશે. હિંમતનગર, ઇડર, વડાલી અને પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીઓ માટે 18 મતગણતરી ટેબલ પર 54 મતગણતરી સ્ટાફ, 88 પોલીસ સ્ટાફ અને 32 વર્ગ-4ના કર્મચારીઓ કાર્યરત રહેશે. આમ, સાબરકાંઠા જિલ્લાના કુલ 12 મતગણતરી મથકોએ 481 મતગણતરી સ્ટાફ, 669 પોલીસ સ્ટાફ અને 212 વર્ગ-4ના કર્મચારીઓ ફરજ બજાવશે.
    Click here to Read More
    Previous Article
    49 વર્ષીય હિનલ ગૌરે 'સંતુર મોમ સિઝન-2'નો ખિતાબ જીત્યો:દેશના વિવિધ રાજ્યથી આવેલી મોમને માત આપી એક દીકરાની માતાએ ક્રાઉન પોતાના નામે કર્યો
    Next Article
    સુરતમાં જમવા બાબતે પથ્થરના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળ્યું:પોલીસે 50થી વધુ CCTV ચેક કર્યા, ચાલવાની ઢબ પરથી પકડાયો હત્યારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment