Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ‘પ્રગતિ પથ યાત્રા’નો પ્રારંભ:12 વર્ષના વિકાસ કાર્યો લોકો સુધી પહોંચાવાશે

    4 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ‘પ્રગતિ પથ યાત્રા’નો પ્રારંભ થયો છે. છેલ્લા 12 વર્ષમાં થયેલા જનસેવા, સુશાસન અને આર્થિક-સામાજિક ઉત્થાનના કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો આ યાત્રાનો મુખ્ય હેતુ છે. આ યાત્રાના ભાગરૂપે, ડૉ. મેયર સ્મિતાબેન રાવલ, ચેરમેન નિખિલ ચાંપાનેરી, પક્ષના નેતા પિન્ટુબેન સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ સુરેન્દ્રનગર શહેરના અદ્યતન બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, ડેપો મેનેજર ડી.વી. ચૌધરી દ્વારા સમગ્ર બસ સ્ટેશન પ્રોજેક્ટની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. તેમણે નાગરિકોને મળતી સુવિધાઓની સમીક્ષા કરી હતી. આધુનિક બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોની સુવિધા માટે ઊભા કરાયેલા પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ, સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થા અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર પ્રેઝન્ટેશન મેળવવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માત્ર પરિવહન પૂરતો સીમિત નથી, પરંતુ સુરેન્દ્રનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આર્થિક વિકાસને ગતિ આપનારો એક મજબૂત આધાર સ્તંભ સાબિત થયો છે. ‘પ્રગતિ પથ યાત્રા’ દ્વારા છેલ્લા ૧૨ વર્ષમાં જિલ્લામાં રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ અને શહેરી સુવિધા ક્ષેત્રે થયેલા પરિવર્તનોને પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. આ યાત્રા જનતાના વિશ્વાસ અને સરકારના કલ્યાણકારી કાર્યોનો સેતુ છે. સુરેન્દ્રનગરનું આધુનિક બસ સ્ટેશન જનસુવિધામાં થયેલા આધુનિક ઉમેરાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ ‘પ્રગતિ પથ યાત્રા’ આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રમણ કરશે. ત્યાં સ્થાનિક લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોથી માહિતગાર કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણ યુનિ.માં ઉત્તરવહી ચરાસણીમાં અધ્યાપકની મોટી બેદકારી:જોયા વગર જ બધા વિદ્યાર્થીઓને એકસરખા ગુણ આપ્યા, અધ્યાપક સામે 30 દિવસમાં કાર્યવાહી કરવા કુલપતિનો આદેશ
    Next Article
    Indian Stock Market News | ભારતીય શેર બજારમાં જોરદાર તેજી | BSE | NSE | Stock Market | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment