Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરમાં સિંહોના મૃત્યુ અંગે વન મંત્રીનું નિવેદન:અર્જુન મોઢવાડિયાએ કહ્યું, '12 સિંહોને સારવાર બાદ જંગલમાં મુક્ત કરાયા, 5 સારવાર હેઠળ'

    10 hours ago

    વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ ગીરમાં સિંહોના મૃત્યુ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, બીમાર પડેલા 17 સિંહોને સારવાર આપવામાં આવી હતી, જેમાંથી 12 સિંહોને જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ ગીર અને આસપાસના વિસ્તારમાં અંદાજિત 8 સિંહબાળના મૃત્યુને કારણે ચિંતાનો માહોલ હતો. રાજ્ય સરકાર અને વન વિભાગના સઘન પ્રયાસોથી 17 બીમાર સિંહોને ક્વોરન્ટાઇન કરીને સારવાર પૂરી પાડવામાં આવી હતી. હાલ 12 સિંહો સ્વસ્થ થતાં તેમને ફરીથી વનમાં છોડી દેવાયા છે. બાકીના 5 સિંહો હજુ પણ સારવાર હેઠળ છે અને તેમની તબિયત સુધર્યા બાદ તેમને પણ જંગલમાં મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, વિસ્તારના અન્ય 600 સિંહોને ઈ-ટેગિંગ અને ડિવોર્મિંગ કરીને સમગ્ર વિસ્તારને જંતુમુક્ત કરવામાં આવ્યો હતો. મંત્રી મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી બીમારીને કારણે એક પણ સિંહનું મૃત્યુ થયું નથી. હાલ વાયરસને લઈને કોઈ ચિંતા નથી.
    Click here to Read More
    Previous Article
    વન વિભાગના 'વૃક્ષ રથ'ને લીલી ઝંડી અપાઈ:સુરેન્દ્રનગરમાં વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત
    Next Article
    અધિક માસમાં દ્વારકા ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા:ગોમતી સ્નાન કરી દ્વારકાધીશના દર્શન માટે લાંબી કતારો લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment