Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકાએ બુદ્ધિનું કર્યું પ્રદર્શન:કાળઝાળ ગરમીમાં રાહત આપવા 12 ફૂટનો મંડપ બનાવ્યો, માત્ર 5 ગાડીઓથી મંડપ પેક ને અન્ય વાહનચાલકો તડકામાં

    6 days ago

    સુરતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માર્ચના અંતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે સુરતના રસ્તાઓ બપોરના સમયે સુમસાન ભાસી રહ્યા છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાને રાહત આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રાફિક સિગ્નલો પર મંડપ બાંધવામાં આવ્યા છે, પરંતુ પીપલોદ જેવા વ્યસ્ત વિસ્તારમાં જે પ્રકારની મંડપ વ્યવસ્થા કરવામાં આવી તે જોઇને જનતામાં રોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય જંક્શનો પર શેડ અથવા મંડપની વ્યવસ્થા છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં ગરમ પવનો (લૂ) ફૂંકાવવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને ટુવ્હીલર ચાલકો માટે આ ગરમી અસહ્ય બની રહી છે. ટ્રાફિક સિગ્નલ પર જ્યારે 60થી 90 સેકન્ડનું લાલ સિગ્નલ હોય છે, ત્યારે રસ્તા પર ઉભા રહેવું એ જાણે ધોમધખતા તાપમાં ઉભા રહેવા સમાન ભાસે છે. આ સમસ્યાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા શહેરના મુખ્ય જંક્શનો પર શેડ અથવા મંડપની વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું હતું. પીપલોદમાં SMCએ સિગ્નલ પર 12 ફૂટનો જ મંડપ બાંધ્યો સુરતના પોશ ગણતા અને અત્યંત વ્યસ્ત એવા પીપલોદ વિસ્તારમાં સિગ્નલ પાસે SMC દ્વારા મંડપ તો બાંધવામાં આવ્યો છે, પરંતુ તેની સાઈઝ અને ક્ષમતા જોઇને વાહનચાલકો મજાક ઉજાવી રહ્યા છે. આ મંડપ માત્ર 10થી 12 ફૂટનો હોવાનું જોવા મળ્યું છે. શહેરના હજારો વાહનો જે રસ્તા પરથી પસાર થયા છે, ત્યાં આટલો નાનો મંડપ ઊંટના મોઢામાં જીરૂં સમાન સાબિત થઈ રહ્યો છે. વાસ્તવિકતા એ છે કે, આ મંડપ નીચે માત્ર 4થી 5 મોટરસાયકલ કે એક્ટિવા ઉભા રહી શકે છે, જ્યારે સિગ્નલ પર એકસાથે 50થી 100 વાહનો ઉભા રહેતા હોય, ત્યારે બાકીના ચાલકોએ તો કાળઝાળ તડકામાં જ શેકાવું પડે છે. કામગીરી બતાવવા નાનો મંડપ કેમ બાંધવામાં આવ્યો? વર્ષોથી સુરત મનપા ગરમીના સમયે ગ્રીન નેટ અથવા મંડપની વ્યવસ્થા કરે છે. ભૂતકાળમાં મોટા જંક્શનો પર લાંબી ગ્રીન નેટ બાંધવામાં આવતી હતી, જેનો લાભ અનેક વાહનચાલકોને મળતો હતો. પરંતુ આ વખતે પીપલોદ જેવા વિસ્તારમાં માત્ર ફોટા પડાવવા ખાતર કે કામગીરી બતાવવા ખાતર આટલો નાનો મંડપ કેમ બાંધવામાં આવ્યો, તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિકોનું કહેવું છે કે, જો વ્યવસ્થા કરવી જ હોય તો વ્યવસ્થિત રીતે કરવી જોઈએ, નહીંતર આ માત્ર સરકારી નાણાંનો વેડફાટ છે. 'આ મંડપ થોડો મોટો થઈ જાય તો અમને રાહત મળે' વાહનચાલક જાવેદભાઈએ જણાવ્યું હતું કે, હું પોર્ટર કરું છું. આખો દિવસ અમે લોકો રોડ પર જ હોઈએ છીએ. અહીંયા જેમ કે તમે જોઈ રહ્યા છો કે સિગ્નલ થઈ ગયું છે, અમે બધા લોકો તડકામાં ઊભા રહીએ છીએ. અહીં મંડપ પણ લગાવ્યો છે, પણ ઘણો નાનો છે, જો આ મંડપ થોડો મોટો થઈ જાય ને, તો અમને ખૂબ રાહત મળશે. આ બહુ સારી વસ્તુ છે અને સરકારે કર્યું હોય કે કોઈ પ્રાઇવેટ વ્યક્તિએ કર્યું હોય, આ બહું જ સારું છે, આના તો જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. અમારા માટે આ બહુ જ આરામદાયક વસ્તુ છે. બસ થોડી આની સાઈઝ મોટી થઈ જાય તો ઘણું સારું રહેશે. 'આ મંડપ તો માત્ર શોભાના ગાંઠિયા જેવો' પીપલોદ સિગ્નલ પર ઉભેલા એક વાહનચાલકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે ટેક્સ ભરીએ છીએ અને આશા રાખીએ છીએ કે ઉનાળામાં થોડી રાહત મળે. પરંતુ આ મંડપ તો માત્ર શોભાના ગાંઠિયા જેવો છે. જે આગળ પહોંચી ગયા તેમને છાંયડો મળે છે, બાકીના બધા તડકામાં જ ઉભા રહે છે. પાછળથી લોકો હોર્ન મારે છે અને અંદર ઘૂસવા માટે લડે છે. અન્ય એક રિક્ષાચાલક શરીફજીએ જણાવ્યું હતું કે, આ મંડપ ખૂબ જ નાનો બાંધ્યો છે. થોડો મોટો બાંધ્યો હોત તો સારું હતું. પેલા બિચારા બાઈકવાળા ઉભા રહે છે એમને તડકો લાગે છે. થોડો મોટો કરે તો સારું રહેશે. 'આવા ટૂંકા આયોજનો તંત્રની પોલ ખોલી' સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના બણગા ફૂંકે છે, પરંતુ જ્યારે જમીની હકીકત પર નાગરિકોની સુવિધાની વાત આવે છે, ત્યારે આવા ટૂંકા આયોજનો તંત્રની પોલ ખોલી નાખે છે. પીપલોદનો આ મંડપ એ વાતનું પ્રતીક છે કે તંત્ર પાસે સંસાધનો તો છે, પણ યોગ્ય દ્રષ્ટિકોણનો અભાવ છે. હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ SMC જાગે છે અને મંડપની લંબાઈ વધારે છે કે પછી સુરતની જનતાએ આ આખા ઉનાળામાં આ રીતે જ અધૂરી સુવિધા વચ્ચે શેકાવું પડશે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં ખોદકામ વેળાએ દીવાલ ધરાશાયી:હિંમતનગરના દલપુરમાં ખોદકામ સમયે દુર્ઘટનાથી મકાન માલિકનું મોત, 2 શ્રમિક ઈજાગ્રસ્ત
    Next Article
    સગીરા તળાવમાં કુદે એ પહેલાં જ પકડી લીધી, LIVE રેસ્ક્યૂ:સુરતના પુણામાં ઘરકાંકસથી કંટાળી 14 વર્ષની સગીરા આપઘાત કરવા નીકળી, પોલીસ - ફાયરના જવાનોએ દેવદૂત બની જીવ બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment