Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા સેવાકાર્ય:શહેર ભાજપે મહાપુરુષોની પ્રતિમાની સાફ-સફાઈ કરી, પુષ્પાંજલિનો વિશેષ કાર્યક્રમ યોજાયો

    2 days ago

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, 'વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ'ના મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જનતામાં સ્વચ્છતા તેમજ રાષ્ટ્રભક્તિનો સંદેશ પહોંચાડવાના હેતુથી આજે 10 જૂને શહેરના રૂપમ ચોક ખાતે આવેલા શહીદ ભગતસિંહ સ્મારક સહિતના મહાપુરુષોની પ્રતિમાઓની સાફ-સફાઈનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા પ્રતિમાઓને સ્વચ્છ કરી, પુષ્પાંજલિ અર્પણ કરીને આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓનો સેવાના કાર્યમાં જોડાઈને જનસેવાનો સંકલ્પ આ પ્રસંગે પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર પ્રમુખ કુમાર શાહ અને મેયર ઉષાબેન સહિત સંગઠનના મહામંત્રીઓ, કોર્પોરેટરો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ વિવિધ મોરચા-સેલના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ અને રાજ્યે મેળવેલી વિકાસની ઉપલબ્ધિઓને યાદગાર બનાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને કાર્યકર્તાઓએ સેવાના આ કાર્યમાં જોડાઈને જનસેવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મંત્રી રિવાબા જાડેજા રાસ-ગરબા રમ્યા:જામનગરના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો
    Next Article
    Mehsana Traffic Signal Down|મહેસાણાના રાધનપુર ચોકડી પરનુ ટ્રાફિક સિગ્નલ છેલ્લા ચાર દિવસથી બંધ|News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment