Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈડરના ડુંગર પર લાગેલી આગ 12 કલાકે બુઝાઈ:27 હજાર લીટર પાણીનો ઉપયોગ, વન્યજીવો પર ખતરો

    14 hours ago

    સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડુંગરોમાં ગુરુવારે બપોરે લાગેલી આગને ઈડર અને હિંમતનગર ફાયર વિભાગે 12 કલાકની જહેમત બાદ રાત્રે બુઝાવી હતી. આ ઘટનામાં 27 હજાર લીટર પાણીનો ઉપયોગ થયો હતો, જેના કારણે ડુંગરો પરના વન્યજીવો પર ખતરો તોળાઈ રહ્યો છે. ગુરુવારે બપોરે 3 વાગ્યા આસપાસ આગ લાગી હોવાનો કોલ ઈડર ફાયર વિભાગને મળ્યો હતો. તાત્કાલિક ત્રણ ફાયર ફાઈટર સાથે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ વધુ પ્રસરી હોવાથી હિંમતનગર ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી. ઈડર ફાયર વિભાગના કમલભાઈ પટેલે જણાવ્યું કે, ચાર ફાયર ફાઈટર અને 20 ફાયર ટીમના જવાનોએ ખડેપગે રહીને 12 કલાક સુધી કામગીરી કરી હતી. આ દરમિયાન કુલ 27 હજાર લીટર પાણીનો મારો ચલાવીને રાત્રે 3 વાગ્યા આસપાસ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. બીજી તરફ, ઈડર વન વિભાગના RFO ગોપાલભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ડુંગર વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતો નથી, પરંતુ ખાનગી માલિકીનો છે. તેથી, આગ બુઝાવવાનો વિષય ફાયર વિભાગનો છે. ઈડરના ડુંગરોમાં વારંવાર આગ લાગવાના બનાવો બનતા રહે છે, જે પર્યાવરણ અને વન્યજીવો માટે ચિંતાનો વિષય છે.
    Click here to Read More
    Previous Article
    રિયાલિટી શો ‘ધ 50’ માંથી બહાર થઈ દિવ્યા અગ્રવાલ:કહ્યું- ગેમ સમજની બહાર હતી, પતિ સાથેના છૂટાછેડાની અફવાઓ પર પણ મૌન તોડ્યું
    Next Article
    જીનિયસ સ્કૂલના બાળકોએ પાળીયાદ ગૌશાળાની મુલાકાત લીધી:બાલવાટિકાથી ધોરણ 4ના વિદ્યાર્થીઓને ગૌસેવા-સંસ્કૃતિનું જ્ઞાન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment