Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોરણ 12 સામાન્ય પ્રવાહના બોર્ડ પેપર સરળ:વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર, એસ.પી.સી.સી.માં વિદ્યાર્થીઓને રાહત મળી

    11 hours ago

    તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષામાં વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર અને એસ.પી.સી.સી. વિષયોના પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓ માટે એકંદરે સરળ રહ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગના સંચાલક તથા વિષય નિષ્ણાંત રવિરાજે માહિતી આપતા જણાવ્યું હતું કે, ત્રણેય વિષયોના પ્રશ્નપત્રો મુખ્યત્વે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય આધારિત હતા. આના કારણે વિદ્યાર્થીઓ સરળતાથી અને આત્મવિશ્વાસપૂર્વક જવાબો લખી શક્યા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેટલાક પ્રશ્નો અગાઉના વર્ષોના બોર્ડના પ્રશ્નપત્રોના ધોરણે પણ પૂછાયા હતા. જે વિદ્યાર્થીઓએ પાછલા વર્ષોના પેપરનો અભ્યાસપૂર્વક સોલ્યુશન કર્યું હતું, તેમના માટે પ્રશ્નપત્ર વધુ સરળ બન્યું. પરીક્ષા કેન્દ્ર બહાર વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, પ્રશ્નો સ્પષ્ટ, સરળ અને સમજવા જેવા હતા. પરિણામે મોટાભાગના વિદ્યાર્થીઓ સમયમર્યાદામાં પ્રશ્નપત્ર પૂર્ણ કરી શક્યા. નિયમિત તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આ ત્રણેય વિષયોમાં સારું પરિણામ આવવાની શક્યતા છે. આ સરળ પ્રશ્નપત્રોને કારણે વિદ્યાર્થીઓમાં સકારાત્મકતા જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    BCG રિપોર્ટ: પાર્ટ-2 યુએસમાં ભારતવંશીઓનું કેટલું પ્રભુત્વ?:અમેરિકી પેટન્ટમાં ભારતવંશીઓની ભાગીદારી 50 વર્ષમાં 5 ગણી વધી ગઈ
    Next Article
    NH-48 પર પદમલા નજીક વાહનોની 2 KM લાંબી કતાર:વાહન-વ્યવહારને સર્વિસ રોડ ઉપર ડાઇવર્ટ કરાતા ટ્રાફિકજામ, ગરમીમાં વાહનચાલકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment