Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં 12 વર્ષ બાદ ચકાચક દાદાનું આગમન:જૈન સંઘના આંગણે પધાર્યા, હજારો ભક્તોએ કર્યા દર્શન

    6 days ago

    આચાર્ય ભગવંત વિજય પ્રબોધચંદ્ર સૂરીશ્વરજી મહારાજા, જે 'ચકાચક દાદા' તરીકે જાણીતા છે, તેમનું 13 જૂન, 2026 ના રોજ બોટાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘમાં 12 વર્ષ બાદ આગમન થયું. તેમના આગમનથી હજારો ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. દાદાના સ્વાગત પર્વની ઉજવણી દીનદયાળ ચોકથી શરૂ થઈ ગામના જિનાલય સુધી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિજય પ્રબોધચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ ખાસ જણાવ્યું હતું કે, દાદાના પગલાથી દરેક જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય અને તેમના આશીર્વાદથી માનવ ભવ સફળ બને. તેમણે સ્વ-કલ્યાણ અર્થે સૌને મળીને જીવદયા કરવા પર ભાર મૂક્યો હતો. સ્વાગત યાત્રા બાદ જિનાલયમાં દર્શન-વંદન અને માંગલિક કરવામાં આવ્યું હતું. વિશેષમાં, ચકાચક દાદાનું ગુરુ પૂજન પણ યોજાયું હતું. ત્યારબાદ સકલ જૈન સંઘ માટે નવકારશી ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર આયોજન શ્રી બોટાદ જૈન સંઘ અને ગુરુ ભક્ત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    IND vs AFG પહેલી વન-ડે: ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી:ટીમ ઈન્ડિયા માટે હર્ષ દુબે અને ગુરનૂર બરારે ડેબ્યૂ કર્યું ; 25-25 ઓવરનો મુકાબલો રમાશે
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:SP રોડના સિક્સલેનનું કામ 2027માં પૂર્ણ થશે; લાખો વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળશે; SS ડિવાઈન સ્કૂલમાંથી વિદ્યાર્થીઓના માર્કશીટ-LCની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment