Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ ભારત પ્રવાસે આવી શકે છે:12-13 સપ્ટેમ્બરે દિલ્હીમાં BRICS સમિટ; બંને દેશો વચ્ચે સીમા વિવાદ પર વાતચીત થશે

    2 days ago

    ભારતમાં 12-13 સપ્ટેમ્બરના રોજ 18મું BRICS સંમેલન યોજાવા જઈ રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સંમેલનમાં ભાગ લેવાની પુષ્ટિ થઈ છે. જ્યારે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પણ ભારત આવવાની તૈયારીઓ ચાલી રહી છે. જો જિનપિંગ ભારત આવે છે, તો આ લગભગ 7 વર્ષ પછી તેમની ભારત યાત્રા હશે. આ પહેલા તેઓ ઓક્ટોબર 2019માં ભારત આવ્યા હતા. વિદેશ મંત્રાલયના સૂત્રો અનુસાર, ચીન તરફથી જિનપિંગના પ્રવાસની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જોકે, બંને દેશોની એડવાન્સ ટીમોના પ્રવાસ અને અન્ય તૈયારીઓથી તેમના ભારત આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જિનપિંગ સાથેની વાતચીતમાં સરહદી વિવાદ સૌથી મહત્ત્વનો મુદ્દો જિનપિંગના ભારત પ્રવાસની તૈયારીઓમાં LAC પર શાંતિ અને સરહદી વિવાદ સૌથી મહત્ત્વના મુદ્દાઓમાં છે. બંને દેશો સરહદ પર એવી વ્યવસ્થા બનાવવા પર વાત કરી રહ્યા છે, જેથી કોઈ સૈન્ય ઘટના કે તણાવની અસર દ્વિપક્ષીય સંબંધો પર ન પડે. જિનપિંગની સંભવિત મુલાકાત પહેલાં NSA અજીત ડોભાલ સરહદી મુદ્દા પર 25મા રાઉન્ડની વિશેષ પ્રતિનિધિ વાટાઘાટો માટે બેઈજિંગ જઈ શકે છે. ત્યાં તેમની ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત થઈ શકે છે. વાટાઘાટોમાં સરહદ વ્યવસ્થાપન, તણાવ ઘટાડવા અને કાયમી શાંતિના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વેપાર અને જરૂરી સામાનનો પુરવઠો પણ એજન્ડામાં ભારત અને ચીન વચ્ચે માત્ર સરહદી વિવાદ જ નહીં, પરંતુ વેપાર અને આર્થિક સંબંધો પણ વાતચીતનો એક ભાગ છે. ભારત ચીન સાથેની પોતાની મોટી વેપાર ખાધ ઘટાડવા માંગે છે. આ ઉપરાંત, રેર અર્થ મેગ્નેટ અને ઇલેક્ટ્રોનિક ઘટકો જેવા જરૂરી સામાનના પુરવઠાને લઈને પણ ભારત પોતાની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે સરહદી વેપાર અને વિઝા પ્રક્રિયાને સરળ બનાવવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. 1 ઓગસ્ટથી ઉત્તરાખંડના લિપુલેખ અને સિક્કિમના શિપકી લા પાસથી સરહદી વેપાર શરૂ થઈ ગયો છે. કૈલાશ માનસરોવર યાત્રા પણ ફરી શરૂ થઈ ગઈ છે. પુતિન સાથે જિનપિંગ પણ આવે તો મુલાકાત મહત્વની રહેશે BRICS સંમેલનમાં પુતિન અને જિનપિંગ બંનેના આગમનથી ભારત માટે આ રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ બેઠક બની શકે છે. સંમેલન દરમિયાન મોદી-જિનપિંગની સંભવિત મુલાકાતમાં LAC પર શાંતિ, સરહદી વિવાદ, વેપાર અને બંને દેશોના સંબંધોને સામાન્ય બનાવવા જેવા મુદ્દાઓ મુખ્ય રહી શકે છે. BRICS સમિટની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે આ વર્ષે BRICSની કમાન ભારત પાસે છે. BRICS વિશ્વની મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓનું જૂથ છે. તેમાં ભારત, રશિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની સાથે ઇજિપ્ત, ઇરાન, ઇથોપિયા, UAE અને ઇન્ડોનેશિયા પણ સામેલ છે. ભારતની અધ્યક્ષતામાં આખા વર્ષ દરમિયાન અલગ-અલગ શહેરોમાં બેઠકો, મંત્રીસ્તરીય સંમેલનો અને અનેક સ્તરની ચર્ચાઓ થઈ રહી છે. ભારતનું ધ્યાન ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂત કરવા, આર્થિક સહયોગ, ઊર્જા સુરક્ષા, ડિજિટલ ટેકનોલોજી, આતંકવાદનો સામનો કરવા અને સપ્લાય ચેઇન મજબૂત કરવા પર છે. એટલે કે BRICS ને માત્ર રાજકીય મંચ નહીં, પરંતુ વેપાર, રોકાણ અને વિકાસના મોટા મંચ તરીકે આગળ વધારવાનો પ્રયાસ છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં મહિલાને 'ડાકણ' કહી હેરાનગતિનો આરોપ:181 અભયમ ટીમે પાડોશી સાથે સમાધાન કરાવ્યું
    Next Article
    બાંગ્લાદેશમાં 35 વર્ષ પછી આજે રાષ્ટ્રપતિની ચૂંટણી:349 સાંસદો મત આપશે, મતોની ગણતરી લાઇવ થશે; સત્તાધારી પક્ષ BNPના ઉમેદવારની જીત નિશ્ચિત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment