Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપાસ:વિશ્વામિત્રીના કાંઠાની નવી 12 જગ્યાએ 12 હજાર મેટ્રિક ટન કાટમાળ ઠલવાયાનો હ્યૂમન રાઇટ્સ કમિટીનો દાવો

    6 days ago

    હ્યૂમન રાઈટ કમિશનમાં કમિટીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ સંદર્ભે મૂકેલા ચોથા રિપોર્ટમાં ચોંકાવનારી બાબતો સપાટી પર આવી છે. કમિટીએ વર્ષ 2017, 2019 અને 2021માં કરેલા સરવેમાં 13 સ્થળોએ નદીના વિસ્તારમાં કાટમાળ ઠલવાયો હોવાનું જાહેર કર્યું હતું. જોકે 12થી વધુ જગ્યાએ ઠલવાયેલો અંદાજિત 12 હજાર મેટ્રિક ટનથી વધુનો કાટમાળ મેના પ્રથમ સપ્તાહ સુધી કાઢી લેવા તાકીદ કરી છે. સાથે કમિટીએ ગંભીર શબ્દોમાં કહ્યું કે, વિશ્વામિત્રીમાંથી કાટમાળ નહીં હટાવાય તો વાઇડનિંગનો ખર્ચ માથે પડશે. હ્યૂમન રાઈટ કમિટીએ ચોથો રિપોર્ટ સબમિટ કર્યા બાદ તેને જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વડસર અને જાંબુઆ લેન્ડફિલ સાઇટને કારણે વિશ્વામિત્રીમાં પ્રદૂષણ વધી રહ્યું હોવા સાથે 38 સ્થળેથી ગટરનાં પાણી સીધાં નદીમાં ઠલવાતાં હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. રિપોર્ટમાં હ્યૂમન રાઇટ કમિટીના સભ્યોએ 2017, 2019 અને 2021માં કરેલા સરવે મુજબ વિશ્વામિત્રી નદીની કોતરો અને પૂર વિસ્તારમાં 13 જગ્યા પર કાટમાળ ઠાલવવામાં આવ્યો છે. જે અંદાજિત 6150 મેટ્રિક ટન જેટલો છે, જેને કાઢવા માટે પાલિકાને અગાઉ સૂચન કરાયું હતું. જોકે તાજેતરમાં મળેલી બેઠકમાં હ્યૂમન રાઇટ કમિટીના સભ્યોએ વિશ્વામિત્રીના પૂર વિસ્તારમાં વધુ 12થી વધારે સ્થળો શોધી કાઢ્યાં છે, જ્યાં અંદાજિત 12 હજાર મેટ્રિક ટનથી વધુ કાટમાળ ઠલવાયો છે. જેને મેના પહેલા સપ્તાહ સુધીમાં કાઢી લેવા તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે. તદુપરાંત આ અંગેની માહિતી આગામી પાંચમા રિપોર્ટમાં મૂકવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. કમિટીએ આ કાટમાળ અંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો કાટમાળને ત્વરિત હટાવી દેવામાં નહીં આવે તો વિશ્વામિત્રી નદીના વાઈડનિંગ માટે કરવામાં આવેલો તમામ ખર્ચ માથે પડશે. નદીના પૂર વિસ્તારની મિલકતો ફાઇનલ પ્લોટ આપી હટી શકે તાજેતરની ક્રેડાઈ સાથેની બેઠકમાં કમિટીએ વિશ્વામિત્રી નદીમાં થયેલાં બાંધકામોને હટાવવા માટેની પોલિસી બનાવવા અંગેની ચર્ચા કરી હતી. કમિટીએ આ અંગે સૂચન કર્યું હતું કે, નદીના પૂર્વ વિસ્તારમાં બાંધકામોને કેવી રીતે હટાવવાં તે માટે ફ્રેજ આઉટની પોલિસી બનાવવી જોઈએ. તદુપરાંત નવો કોઈ પણ પ્રોજેક્ટ કે બાંધકામ ન થવું જોઈએ. જે પણ મિલકત નદીના પૂર વિસ્તારમાં બાંધવામાં આવેલી છે તે તમામ મિલકતોને અન્ય તરફ ફાઇનલ પ્લોટ ફાળવી આપવો જોઈએ અને આ જગ્યાએ રિક્રિએશનલ એક્ટિવિટી થવી જોઈએ. 2017, 2019, 2021માં થયેલા સરવેનો રિપોર્ટ સ્થળ જથ્થો(ટનમાં) અટલાદરા 52 અકોટા 876 વુડા પાસે 26 સમા ભરવાડ વાસ 26 ભીમનાથ બ્રિજ 1-2 288 ભીમનાથ બ્રિજ 3 988 સમા ચેતક બ્રિજ 5 કાલાઘોડા 23 મુજમહુડા 1, 2 524 નરહરિ બ્રિજ નજીક 772 સમા મંગલ પાંડે રોડ 158 સિદ્ધાર્થ બંગલો પાસે 698 વડસર 1 10 વડસર 2 669 કુલ 6150
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:અમદાવાદની યુવતીએ શહેરના તબીબને હની ટ્રેપમાં ફસાવી 6 લાખની ઠગાઇ કરી
    Next Article
    તપાસ:મસાલા મિલના એકાઉન્ટન્ટની 14 કરોડ ઠગી માલિકને3 ઓફર,મહિને 2 લાખ આપું, મરી જાઉં કે જેલ જાઉં?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment