Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોંકાવનારી વિગત સપાટી પર આવી:119 સગીરના લગ્ન થઇ ગયા, મનપાના લગ્ન નોંધણી શાખામાં સાત મહિના બાદ ભાંડો ફૂટ્યો

    8 hours ago

    મહાનગરપાલિકાના મેરેજ રજિસ્ટ્રાર વિભાગમાં આખા વર્ષ દરમિયાન સતત ટ્રાફિક જોવા મળતો હોય છે. મેરેજ સર્ટિ.નો ઉપયોગ અન્ય વિભાગોમાં વધતા લગ્ન બાદ તુરંત મેરેજ સર્ટિ. કઢાવવાનો આગ્રહ નવયુગલો રાખતા હોય છે, પરંતુ છેલ્લા એક વર્ષ દરમિયાન સગીર વયના યુવક યુવતીઓએ લગ્ન કરી મેરેજ રજિસ્ટ્રાર વિભાગમાં અરજી કરતા ઉંમર ઓછી હોવાનું બહાર આવતા વિભાગ દ્વારા આ પ્રકારના 119 કપલને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર માસમાં જ સૌથી વધુ 29 સગીરોએ લગ્ન કર્યા બાદ મેરેજ સર્ટિ. માટે અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. મનપાના મેરેજ રજિસ્ટ્રાર વિભાગમાં મેરેજ સર્ટિ. માટે આવતા મોટા ભાગના યુગલો પારંપરિક રીતે લગ્ન કર્યા બાદ સર્ટિ. કઢાવા માટે આવતા હોય છે. નિયમ મુજબ યુગલો દ્વારા લગ્નનું સ્થળ તેમજ બન્નેના માતા-પિતાની સંમતિ સહિતના ડોક્યુમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. રજિસ્ટ્રાર ઓફિસમાં આવતા યુગલોએ ક્યા સ્થળે લગ્ન કર્યા તે દર્શાવવું ફરજિયાત છે, પરંતુ પ્રેમલગ્ન કરનાર એટલે કે ઘરેથી ભાગીને મંદિરમાં અથવા અન્ય કોઈ સ્થળે લગ્ન કરી લીધા હોય અને ત્યારબાદ મેરેજ સર્ટિ.ની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ પ્રકારના યુગલો દ્વારા મનપાના મેરેજ રજિસ્ટ્રાર વિભાગમાં અરજી કરવામાં આવતી હોય છે. જેના લીધે ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન પ્રથમ પતિ અને પત્નીની ઉંમર ચેક કરવામાં આવે છે. જેમાં 2025ના એક વર્ષ દરમિયાન 90 યુગલ કે જેની ઉંમર નિયમ કરતા ઓછી હોવાનું જાણવા મળ્યું, આ તમામ કિસ્સામાં મોટેભાગે યુવકની ઉંમર ઓછી હોવાનું નોંધવામાં આવ્યું છે. અમુક કિસ્સામાં યુગલોને સંતાન થઈ ગયા બાદ મેરેજ સર્ટિ. માટે અરજી કરવામાં આવી હતી અને પૂછપરછમાં અમારી ઉંમર 25 વર્ષથી વધુ છે. તેમ જણાવેલ પરંતુ લગ્ન સમયે તેઓ સગીર હોવાથી આ પ્રકારની તમામ અરજીનો અભ્યાસ કરી એક વર્ષ દરમિયાન આવેલ 90 અરજી અને ત્યારબાદ આવેલ 29 અરજી અમાન્ય રાખી બ્લેકલિસ્ટમાં મુકાયા છે. આરોગ્ય અધિકારી ડો.જયેશ વિકાનીના જણાવ્યા મુજબ રાજકોટની હદમાં લગ્ન કરેલ હોય અને મનપાની લગ્ન રજિસ્ટ્રાર કચેરીમાં અરજી કરી હોય તેવા 119 કપલને અત્યાર સુધી બ્લેકલિસ્ટ કરાયા છે, છતાં અમુક યુગલો દ્વારા ગ્રામ્યપંચાયતોમાં લગ્ન નોંધણી સર્ટિ. માટે અરજી કરી પૈસાની લેતી-દેતી કરી મેરેજ સર્ટિ. કઢાવી લીધાનું જાણવા મળ્યું છે. છતાં મનપા દ્વારા બનાવવામાં આવેલ સોફ્ટવેરમાં સગીર વયના યુવક-યુવતીઓએ લગ્ન કરેલા હોય તે માન્ય રહેતા નથી અને આ પ્રકારના યુગલો દ્વારા કરવામાં આવેલ અરજી નામંજૂર કરી તેમને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવી રહ્યા છે. અમુક યુગલો માટે કોર્ટ મેરેજ અશક્ય આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ વર્ષ 2025 અને અત્યાર સુધીમાં 119 સગીરોએ લગ્ન કરી મેરેજ સર્ટિ. માટે અરજી કરેલ જે નામંજૂર કરી તમામને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ ઘરેથી માતા-પિતાની મંજૂરી વગર નીકળી ગયા બાદ મંદિરમાં અથવા અન્ય સ્થળે ગાંધર્વ લગ્ન કરેલા હોય તેમની પાસે લગ્નના પુરાવાઓ હોતા નથી. જેની સામે આ પ્રકારના યુગલોની ઉંમર પૂરી હોવા છતાં તેઓ કોર્ટમાં પણ લગ્ન કરી શકતા નથી. કારણ કે, કોર્ટમાં લગ્ન કરવા માટે અખબારમાં જાહેરાત આપવી પડતી હોય છે. જેના લીધે ઘરેથી ભાગીને લગ્ન કરેલા હોય ત્યારે અખબારમાં જાહેરાત આવે તો યુવતી અને યુવકના માતાપિતાને જાણ થઈ શકે છે. આથી આ પ્રકારના યુગલો પણ ઉંમર પૂરી હોવા છતાં જરૂરી પુરાવાઓ આપી શકતા નથી જેના લીધે તેમની અરજી નામંજૂર કરવામાં આવે છે. આમ અમુક યુગલો માટે કોર્ટ મેરેજ કરવા પણ અશક્ય બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    હોસ્પિટલમાં મચી ગયો હડકંપ:શાપરમાં સર્પદંશથી શ્રમિકનું મોત ટોળું સર્પને મારીને હોસ્પિટલે લાવ્યું
    Next Article
    When Kargil’s dead end up in Pakistan: Families demand exchange point as rivers sweep bodies across LoC

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment