Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જલેશ્વર મહાદેવ મંદિરે 1100 કમળ અર્પણ કરાયા:સુદર્શન ચક્રની પ્રાપ્તિ અને સુખ-શાંતિની માન્યતા

    9 hours ago

    પવિત્ર શ્રાવણ માસની શ્રાવણ સુદ એકાદશીએ જલારામ મંદિર સ્થિત જલેશ્વર મહાદેવ મંદિરમાં ૧૧૦૦ કમળ અર્પણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જલારામ મંદિરના સભ્યો દ્વારા આ પૂજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને પોતાની જાતને ધન્ય અનુભવી હતી. પૂજા બાદ ભક્તોને પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો. આ પૂજા પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. મહાપુરાણ અનુસાર, ભગવાન વિષ્ણુએ ભગવાન મહાદેવજીને કમળ અર્પણ કર્યા હતા. તે સમયે ભગવાન મહાદેવે વિષ્ણુની પરીક્ષા કરવા માટે એક કમળ સંતાડી દીધું હતું. એક કમળ ઓછું પડતાં, ભગવાન વિષ્ણુએ પોતાનું નેત્ર ભગવાન શિવને અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. આનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે વિષ્ણુને સુદર્શન ચક્ર પ્રદાન કર્યું હતું. આ પ્રકારની પૂજા કરવાથી જીવનમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. ભક્તોની દરેક મનોકામનાઓ ભગવાન પરિપૂર્ણ કરે છે તેવી માન્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ભારતે બીજી ટેસ્ટના પહેલા દિવસે 300 રન બનાવ્યા:શ્રીલંકા સામે પડિકલની સતત બીજી સેન્ચુરી, ગિલની ફિફ્ટી; પંતને બોલ વાગતા રિટાયર્ડ હર્ટ થયો
    Next Article
    બાળકીને પોલીસ શોધતી હતી'ને ઝાડીમાંથી રડવાનો અવાજ આવ્યો:રાજકોટમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરે તે પહેલા જ આરોપી ઝડપાયો, ફોનમાંથી પોર્ન સાઈટની હિસ્ટ્રી મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment