Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ અમૃત પર્વ:વેરાવળ રેલવે સ્ટેશન પર એમપીના 1100થી વધુ યાત્રાળુઓનું ભવ્ય સ્વાગત

    5 days ago

    સોમનાથ અમૃત પર્વ અંતર્ગત મધ્યપ્રદેશથી 1185 યાત્રિકોની સ્પેશ્યલ ટ્રેનનું આગમન થયું હતું.વેરાવળ રેલ્વે સ્ટેશન ખાતે તમામ યાત્રિકોનું સોરઠી સંસ્કૃતિ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ અમૃત પર્વ અંતર્ગત ગઈકાલે મધ્યપ્રદેશથી 1185 શ્રદ્ધાળુઓ સાથેની ખાસ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી.રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના ગરબા સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા પધારેલા ભાવિક ભક્તોનું ભવાય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનથી બહાર નીકળતા તમામ યાત્રાળુઓ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી.ઢોલના તાલે ગરબા અને શરણાઈના સૂરો સાથે સ્વાગત થતાં શ્રદ્ધાળુઓએ પણ તેમનો ઉમળકો દર્શાવ્યો હતો.દાંડિયા સાથે ગરબા રમી યાત્રાળુઓએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. સોમનાથ સાનિધ્યે સ્થાપના દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો સોમનાથ મંદિર પર આક્રાંતાઓએ આક્રમણ કર્યું તેને 1 હજાર વર્ષ પૂર્ણ થયા છે.ઉપરાંત મંદિરની સ્થાપના ને 11 મે એ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોમનાથ આવી રહ્યા છે. નોંધનીય છે કે, અગાઉ લખનઉ થી 1 હજાર ભક્તો અને દિલ્હીથી 1300 ભક્તોએ મહાદેવના દર્શન કરી ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી.
    Click here to Read More
    Previous Article
    સાહેબ દારૂ પીને ટુન્ન થઈ ગયા, જબરા ખેલ કર્યાં:સ્થાનિકોએ કાલોલ પાલિકાનું ફર્નિચર તોડી નાખ્યું; GCASએ કોલેજોની કસરત વધારી
    Next Article
    ભાસ્કર ખાસ:વેકેશનમાં સિંહ દર્શનનો ક્રેઝ : ગિરનાર નેચર સફારીમાં 31 મે સુધીની પરમીટ બુક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment