Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમકુના જંગલોમાં જીવદયાનું અનોખું અભિયાન:ગિરનારી ગ્રુપ દ્વારા પ્રકૃતિ સંરક્ષણ હેતુથી નવરાત્રિએ 1100 નાળિયેરનું કિડીયારુ પૂર્યું

    6 days ago

    ચૈત્ર માસ અને નવરાત્રિના અવસરે જૂનાગઢની સેવાભાવી સંસ્થા "ગિરનારી ગ્રુપ' દ્વારા જીવદયા અને પ્રકૃતિ સંરક્ષણનો સંગમ રચાયો હતો. સંસ્થાના સમીર દત્તાણીના માર્ગદર્શન હેઠળ ગિરનારના ભવનાથ વિસ્તારમાં આવેલા આમકુના જંગલોમાં 1100 નાળિયેરનું કીડીયારું પૂરવામાં આવ્યું હતું. ​આ સેવાકીય પ્રવૃત્તિમાં નાળિયેરની અંદર તેલ, બાજરી તથા ભાખરીનો લોટ, સફેદ તલ અને દળેલી ખાંડ જેવા પૌષ્ટિક તત્ત્વોનું મિશ્રણ ભરીને પ્રસાદ તૈયાર કરાયો હતો. આ તૈયાર નાળિયેરોને જંગલના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી નાના જીવોને સરળતાથી આહાર મળી રહે. આ કાર્યક્રમમાં "શિવ નિકેતન' આશ્રમના દલપતગીરી બાપુએ ઉપસ્થિત રહી ગિરનારી ગ્રુપના પ્રયાસોને બિરદાવતા જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની "કીડીને કણ અને હાથીને મણ'ની ભાવના અહીં સાચા અર્થમાં ચરિતાર્થ થઈ છે. ​છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આ સેવાયજ્ઞમાં સંજયભાઈ બુહેચા, દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે અને યોગાનંદીબાપુ સહિત ગ્રુપના અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ સહયોગ આપ્યો હતો. ચૈત્રી નવરાત્રિમાં શક્તિની ઉપાસના સાથે અબોલ જીવોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનું આ કાર્ય પર્યાવરણ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    પ્રવાસન સ્થળો પર લોકોની ભારે ભીડ રહી:15,275 લોકોએ બે દિ'માં ઝૂ - ઉ પરકોટ નિહાળ્યો
    Next Article
    ડિવોમિંગ કેમ્પ યોજાયો:ગાય, ઘેટા, બકરા, ભેંસ સહિતના 700થી વધુ પશુઓની નિ:શુલ્ક તપાસ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment