Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં દ્વારકેશ મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહ:પરષોત્તમ માસ દરમિયાન કથાનું આયોજન, 11 જૂન સુધી વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે

    1 week ago

    જામનગરમાં પવિત્ર પરષોત્તમ માસ નિમિત્તે દ્વારકેશ મહિલા મંડળ દ્વારા ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા જેઠ વદ પાંચમ થી જેઠ વદ અગિયારસ સુધી ચાલશે. કથાકાર જ્યોત્સનાબેન મહેતા તેમના મધુર કંઠે કથાનું રસપાન કરાવશે. કથાનું આયોજન આરામ કોલોની, શેરી નંબર 3, ઉમિયાજી સ્કૂલ સામેની શેરી ખાતે દરરોજ સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાઈ ચૂક્યા છે અને કથાની પૂર્ણાહુતિ સુધી અનેક ઉત્સવો યોજાશે. આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી લોકોને આ ભાગવત કથાનું રસપાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દ્વારકેશ મહિલા મંડળના ભદ્રાબેન મહેશભાઈ જાની, કાન્તાબેન કાંતિલાલ જોષી, નયનાબેન પ્રફુલભાઈ પંડ્યા, ચંદ્રિકાબા રણજીતસિંહ જાડેજા અને નયનાબા વનરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો:A ડીવીઝન પોલીસે 8,800ની મત્તા જપ્ત કરી, અન્યની શોધખોળ
    Next Article
    મેયરના વોર્ડમાં દૂષિત પાણીનું વિતરણ !:8214માંથી 6 સેમ્પલ ફેલ, મેયરે કહ્યું ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવા સૂચના અપાઈ, રાજકોટ-દ્વારકા વચ્ચે 10 જૂનથી સ્પેશ્યિલ ટ્રેન દોડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment