Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેસ્ટોરન્ટમાં પીરસાતું હતું હલકી ગુણવત્તાનું પનીર:બે મિલાવટી નમૂના ફેઈલ, પનીરમાં મિલ્ક ફેટના બદલે પામતેલ!; રાજકોટમાં 11 સ્થળેથી ફૂડના નમૂના લેબમાં મોકલાયા

    13 hours ago

    રાજકોટ શહેરમાં ખાણી-પીણીની વસ્તુઓમાં થતી ભેળસેળ ડામવા માટે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક ઝુંબેશ શરૂ કરી છે. ખાસ કરીને પનીર અને દૂધ જેવી રોજીંદી ચીજવસ્તુઓમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની ફરિયાદો બાદ લેવામાં આવેલા નમૂનાઓના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલી જાણીતી હોટલોમાં શુદ્ધ પનીરના નામે પામતેલ અને અન્ય ફેટ યુક્ત પનીર પીરસાતું હોવાનું લેબોરેટરી પરીક્ષણમાં સાબિત થયું છે. પનીર અને દૂધના નમૂના 'સબસ્ટાન્ડર્ડ' જાહેર ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ગત મહિનાના રિપોર્ટ અનુસાર, ઇન્દિરા સર્કલ પાસેની 'અંજલી ચાઇનીઝ એન્ડ પંજાબી' રેસ્ટોરન્ટ અને રામાપીર ચોક સ્થિત 'પ્રેમવાટિકા રેસ્ટોરન્ટ' માંથી લેવાયેલા પનીરના નમૂના લેબોરેટરીમાં ફેઈલ થયા છે. આ પનીરમાં મિલ્ક ફેટ અને 'રીચર્ટ વેલ્યુ' (કુદરતી બ્યુટીરિક એસિડ) ધારાધોરણ કરતા ઘણી ઓછી મળી આવી છે, જે સ્પષ્ટ કરે છે કે તેમાં વનસ્પતિ તેલ કે પામોલીન તેલની ભેળસેળ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વાવડી વિસ્તારના 'મધુવન ડેરી ફાર્મ' માંથી લેવાયેલું 'ફૂલ ક્રીમ મિલ્ક' પણ પરીક્ષણમાં નિષ્ફળ ગયું છે, જેમાં નામ મુજબ ક્રીમની માત્રા પૂરતી જોવા મળી નથી. સરકારી આદેશોનું સરેઆમ ઉલ્લંઘન રાજ્ય સરકારના સ્પષ્ટ આદેશ છતાં, અનેક હોટલોમાં 'અસલી પનીર' અને 'એનેલોગ પનીર' (વનસ્પતિ તેલમાંથી બનતું) અંગેના કોઈ બોર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા ન હતા. ગ્રાહકો છેતરાય નહીં તે હેતુથી આ બોર્ડ મારવા ફરજિયાત હોવા છતાં, તપાસ દરમિયાન ઉક્ત રેસ્ટોરન્ટમાં આ નિયમનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. આ બેદરકારી બદલ હવે ફૂડ વિભાગ દ્વારા એજ્યુડિકેશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડોમીનોઝ અને લા’પીનોઝ સહિત 11 સ્થળે દરોડા ભેળસેળિયા તત્વો સામેની ડ્રાઈવ વધુ વ્યાપક બનાવતા ફૂડ વિભાગે શહેરની નામી બ્રાન્ડ્સ પર પણ તપાસ કરી હતી. ડોમીનોઝ પીઝા, લા’પીનોઝ, અને રાજમંદિર ફાસ્ટ ફૂડ જેવી સંસ્થાઓમાંથી પનીર, ચીઝ અને ચીઝ સ્પ્રેડના નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જય ખોડિયાર સ્વીટ માર્ટમાંથી પનીરના સેમ્પલ, ગાત્રાળ જનરલ સ્ટોરમાંથી શીતલ બ્રાન્ડના શ્રીખંડના નમૂના અને મહાવીર મસાલા માર્કેટમાંથી હળદર અને જીરુંના લુઝ નમૂનાનો પણ સમાવેશ થાય છે. આ તમામ 11 નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ રિપોર્ટ આવ્યા બાદ વધુ કડક પગલાં લેવામાં આવશે. બહારનું ખાવાના શોખીનો માટે આ કિસ્સાઓ લાલબત્તી સમાન છે, કારણ કે માત્ર નફાખોરી માટે પ્રતિષ્ઠિત હોટલો પણ ગ્રાહકોને આરોગ્યપ્રદ ખોરાકના બદલે ભેળસેળયુક્ત વાનગીઓ પીરસી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો ખોરવાશે:11 KV ઓલ્ડ પાવર હાઉસ ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સને કારણે નિર્ણય
    Next Article
    Live Updates: Mamata Banerjee Refuses To Resign, Suvendu Adhikari Reacts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment