Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માત:મીની ટેમ્પો પલ્ટી મારી જતા આધેડનું મોત, સુરતના પતિ-પત્ની અને ચાર સંતાનો સહિત 11 લોકો ઈજાગ્રસ્ત

    16 hours ago

    રાજકોટ ભાવનગર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કાળીપાટ ગામ નજીક રાજ ખોડલ હોટલ પાસે યુટર્ન લઇ રહેલી ફોર વ્હીલરને બચાવવા જતા ટાટા કંપનીનું મીની આઇસર જેવું માલવાહક વાહન પલ્ટી મારી જતા ભીમાભાઇ અમરશીભાઈ મકવાણા નામના આધેડનું મોત નીપજ્યું છે જયારે વાહનમાં સવાર 11 લોકોને ઇજા પહોંચતા 10 લોકોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જયારે ચાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગેની જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવા જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી છે. સુરત રહેતા ચોવસીયા પરિવારના માતા-પિતા અને ચાર સંતાનો ઈજાગ્રસ્ત મૂળ જસદણ તાલુકાના રહેવાસી અને હાલ સુરત રહેતા ચોવસીયા પરિવારના માતા-પિતા અને તેના ચાર સંતાનો સહીત એક જ પરિવારના કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થતા સુરત પહોંચે તે પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે. માલ વાહક વાહન પલ્ટી મારી ગયું એક મોટર કારને બચાવવા જતા દૂધના કેન અને 7 મુસાફર સહીત 12 લોકો સાથે સવાર મીની આઇસર જેવું જીજે.03.બીવાય.5551 નંબરનું માલ વાહક વાહન પલ્ટી મારી જતા ટેમ્પોમાં સવાર એક આધેડનું મોત નીપજ્યું છે. જસદણ તાલુકાના વડાળી ગામના રહેવાસી વાહન ચાલક માંડલભાઈ ગુંજાભાઈ માંડને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત પરિવારજનો સુરત જવા નીકળ્યા હતા અકસ્માતમા ઈજાગ્રસ્ત જીતેશભાઇ ધીરુભાઈ ચોવસીયા (ઉ.વ.27) તેમના પત્ની અંજલીબેન ચોવસીયા (ઉ.વ.25), પુત્ર અનુસ ચોવાસીયા (ઉ.વ.5), પુત્રી મિતલ ચોવાસીયા (ઉ.વ.8), પુત્ર કાર્તિક ચોવાસીયા (ઉ.વ.5) અને પુત્રી નતાશા ચોવાસીયા (ઉ.વ.7) મૂળ દહીસરા ગામના રહેવાસી છે અને હાલ તેઓ સુરતમાં વરાછા વિસ્તારમાં રહે છે. તેઓ ભાડલા ગામે અંજલીબેન ચોવસીયાના પિયરથી માલવાહક વાહનમાં બેસી રાજકોટ આવવા રવાના થયા હતા અને રાજકોટથી ખાનગી ટ્રાવેલ્સમાં તેઓ સુરત જવાના હતા જો કે રસ્તામાં કાળીપાટ ગામ નજીક અકસ્માત સર્જાતા તમામ બાળકો સહીત પરિવારના 6 સભ્યોને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આજથી ગેસનો બાટલાના ભાવ વધ્યા:રેસ્ટોરાંમાં જમવાનું મોંધુ થશે, ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો પણ લાગુ; મે મહિનામાં થનારા 4 મોટા ફેરફારો
    Next Article
    સયાજી હોસ્પિટલમાં તબીબોની હડતાળ સમેટાઈ:રાજ્ય સરકારે ડોક્ટરોની સુરક્ષાની માંગણીઓ સ્વીકારી, રેપિડ ટાસ્ક ફોર્સના 60 જવાન ખડેપગે રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment