Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીની અંબિકા નદીના પુલ પર મોટું ગાબડું:બીલીમોરા અને અમલસાડને જોડતા 11 ગામોનો સંપર્ક ખોરવાયો;યુદ્ધના ધોરણે સમારકામ આદર્યું

    2 days ago

    દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના પુલ પર મોટું ગાબડું અને તિરાડો પડવાની ચોંકાવનારી ઘટના શનિવારે સામે આવી છે. ઉપરવાસમાં વરસેલા અવિરત વરસાદને કારણેનદી અત્યારે ભયજનક સપાટીએ વહી રહી છે, તેવા સમયે જ બીલીમોરા અને અમલસાડને જોડતા આ મુખ્ય પુલ પર ગાબડું પડતાં વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે આ ઘટનાએ માર્ગ અને મકાન વિભાગની ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. બીલીમોરા શહેરને જોડતો મુખ્ય માર્ગ જોખમમાં મૂકાયો ભૌગોલિક દ્રષ્ટિએ આ પુલ આ પંથક માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના અંદાજે 11 જેટલા ગામોના હજારો લોકો દરરોજ બીલીમોરા શહેરમાં પ્રવેશ કરવા અને રોજગાર-ધંધા માટે આ જ પુલનો ઉપયોગ કરે છે. પુલના ઉત્તર છેડે એટલે કે અમલસાડ તરફ જવાના ભાગમાં આ મોટું ગાબડું પડ્યું હોવાથી સમગ્ર પંથકનો વાહનવ્યવહાર ખોરવાઈ જવાની ભીતિ સર્જાઈ છે. હળવા વાહનોની અવરજવર વચ્ચે મોટી દુર્ઘટના ટળી સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ જૂના બ્રિજને અડીને જ અત્યારે વહીવટી તંત્ર દ્વારા નવો બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ જૂનો બ્રિજ હજુ પણ હળવા વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યો છે. નદીની ગાંડીતૂર સ્થિતિ વચ્ચે પુલ પર આટલું મોટું ગાબડું પડવા છતાં જો કોઈ વાહનચાલક અકસ્માતનો ભોગ બન્યો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. તંત્રની આ ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. માર્ગ-મકાન વિભાગનો કાફલો ઘટનાસ્થળે બ્રિજ પર ગાબડા સાથે લાંબી તિરાડો દ્રશ્યમાન થતાં જ સજાગ રાહદારીઓએ કોઈ પણ વિલંબ વિના તાત્કાલિક સ્થાનિક પ્રશાસનને આ અંગેની જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા અને પૂરની સ્થિતિને ધ્યાને રાખીને માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. રોડ ખોદીને રિપેરિંગ શરૂ, વાહનચાલકોની સુરક્ષા માટે ડાયવર્ઝન અપાયું કોઈ અનિચ્છનીય ઘટના કે મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તાકીદે એક્શન મોડમાં આવીને પગલાં લેવામાં આવ્યા છે. અધિકારીઓની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ પુલ પરનો અસરગ્રસ્ત રોડ ખોદી કાઢીને ગાબડા અને તિરાડો પૂરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું છે. હાલ પૂરતો વાહનવ્યવહાર પ્રભાવિત ન થાય અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે બ્રિજ પર જરૂરી ડાયવર્ઝન આપીને સાવચેતીના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    માર્ગ અને મકાન વિભાગના 122 કર્મચારીઓને પ્રમોશન:વર્ક આસિસ્ટન્ટમાંથી અધિક મદદનીશ ઇજનેર તરીકે બઢતી, જુઓ કોને ક્યાં મુકાયા
    Next Article
    PM Modi Launches India's First Greenfield Refinery-Petrochemical Hub In Rajasthan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment