Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરમ શિવભક્ત યોગેશ પટેલની બે ઈચ્છા શિવ પરિવાર પૂર્ણ કરશે:કેદારનાથ ખાતે 11 લાખ અને સોમનાથ ખાતે 21 લાખ રુદ્રાક્ષ ચઢાવવાના કાકાનો સંકલ્પ પૂર્ણ કરવા શિવ પરિવાર કટિબદ્ધ

    14 hours ago

    વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે અને આજે તેમનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું છે. તેમના જવાથી વડોદરા સહિત સમગ્ર ગુજરાતના રાજકારણ અને ભક્તિજગતમાં મોટી ખોટ પડી છે. પરમ શિવભક્ત તરીકે જાણીતા યોગેશ પટેલે પોતાના જીવનકાળ દરમિયાન ભગવાન શિવ પ્રત્યેની અતૂટ આસ્થાને કારણે બે વિશેષ ઈચ્છાઓ વ્યક્ત કરી હતી. તેઓ ભલે કૈલાસવાસી થઇ ગયા છે પરંતુ, વડોદરાનો શિવ પરિવાર તેમની આ બંને ધાર્મિક ઈચ્છાઓને સંપૂર્ણ આદર સાથે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ થયો છે. 11 લાખ રુદ્રાક્ષ હાલ નેપાળ ખાતે તૈયાર શિવ પરિવારના સભ્ય હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, યોગેશ કાકાએ વડોદરામાં સર્વેશ્વર મહાદેવની ભવ્ય સુવર્ણજડિત પ્રતિમાનું નિર્માણ કરાવ્યા બાદ ઉત્તરાખંડના પવિત્ર ધામ કેદારનાથ ખાતે 11 લાખ રુદ્રાક્ષ અર્પણ કરવાનો એક મોટો સંકલ્પ કર્યો હતો. આ વિશેષ રુદ્રાક્ષ હાલમાં નેપાળ ખાતે તૈયાર પણ થઈ ગયા છે. હવે યોગેશ કાકાની ગેરહાજરીમાં, આગામી પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન શિવ પરિવારના સભ્યો દ્વારા આ 11 લાખ રુદ્રાક્ષ કેદારનાથ ધામ ખાતે વિધિવત રીતે ચઢાવવામાં આવશે અને ત્યારબાદ તેને શિવભક્તોમાં પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવશે. કાકાએ ઓટીજીનાલ રુદ્રાક્ષ ચઢાવવાનો સંકલ્પ કર્યો અને રસ્તાઓ ખુલતા ગયા હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે, યોગેશ કાકાએ ઓરીજીનલ રુદ્રાક્ષ ચઢાવવાનો સંકલ્પ કર્યો હતો જે અહીં મળવા મુશ્કેલ હતા જેથી તેઓએ આ અંગે મને કહ્યું હતું. દરમિયાન મારી સાથે ધો. 11માં સાથે ભણતી એક મિત્ર કે જેના લગ્ન નેપાળ થયા છે અને તેના સાસરીપક્ષના લોકો રુદ્રાક્ષની ખેતી સાથે જ સંકળાયેલા છે તેનો સંપર્ક કર્યો હતો અને ત્યાંથી રુદ્રાક્ષ મેળવવાનું નકકી કર્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, આ સંજોગો બેસી ગયા હતા જેમાં કાકાની ઈચ્છા પ્રમાણે એક બાદ એક તમામ રસ્તાઓ ખુલતા ગયા. હાલમાં આ રુદ્રાક્ષ પેક થઇ ગયા છે પરંતુ અફસોસ એ વાતનો છે કે હવે કાકા આપણી વચ્ચે નથી રહ્યા. ત્યારે તેઓનો આ સંકલ્પ અમે શિવપરિવાર પૂર્ણ કરીશું. PMની સહજ વાત બાદ સોમનાથમાં 21 લાખ રુદ્રાક્ષ ચઢવવાનું નક્કી કર્યું અન્ય એક સંકલ્પ પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક રસપ્રદ વાતચીત પણ જોડાયેલી છે. તાજેતરમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાત બાદ વડોદરા આવ્યા હતા, ત્યારે તેમણે યોગેશ કાકાને જય ભોલે કહીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. તે સમયે યોગેશ પટેલે વડાપ્રધાનને ગર્વભેર જણાવ્યું હતું કે તેઓ કેદારનાથમાં 11 લાખ રુદ્રાક્ષ ચઢાવવા જઈ રહ્યા છે. આ સાંભળીને વડાપ્રધાને સહજતાથી પૂછ્યું હતું કે, અને સોમનાથમાં? વડાપ્રધાન સાથેની આ ટૂંકી વાતચીતથી પ્રેરિત થઈને યોગેશ પટેલે તરત જ બીજો મોટો સંકલ્પ લીધો હતો કે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના ચરણોમાં પણ 21 લાખ રુદ્રાક્ષ અર્પણ કરશે. અને ત્યાંથી જ તેઓએ હિમાંશુ પટેલને ફોન કરીને પોતાની આ ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સંકલ્પ બાદ તમામ ખર્ચ તેઓએ જાતે જ ઉઠાવવાનું નક્કી કર્યું હતું. શિવ પરિવારે ખાતરી આપી છે કે જે રીતે અગાઉ સાવલીવાળા સ્વામીની ઈચ્છા યોગેશભાઈ પટેલે પૂર્ણ કરી હતી અને સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સ્થાપિત કરી છે, તેવી જ રીતે યોગેશ કાકાના આ બંને સંકલ્પો (કેદારનાથ અને સોમનાથ) ખૂબ જ ભક્તિભાવપૂર્વક પૂર્ણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પતિના અન્ય સંબંધો, દહેજ માટે સાસરિયાઓનો ત્રાસ:પરિણીતાએ પાટણ મહિલા પોલીસ મથકે પાંચ સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
    Next Article
    ગીર સોમનાથમાં 'સેલ્ફ-એસેસમેન્ટ મિરર' અભિયાન શરૂ:તમાકુ વ્યસન છોડવા આત્મચિંતન માટે અનોખો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment