Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્ત્રાલમાં વરસાદ માટે પ્રજન્ય યજ્ઞનું આયોજન:વરસાદને રિઝવવા માટે યજ્ઞનું આયોજન કરાયું, 11 ભૂદેવોએ વૈદિક મંત્રોચાર કર્યા

    1 day ago

    ગુજરાતમાં ચોમાસાના વરસાદમાં થઈ રહેલા લાંબા વિલંબને કારણે સમગ્ર રાજ્યમાં અસહ્ય ગરમી અને બફારાથી જનજીવન તોબા પોકારી ગયું છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય નાગરિકો ચિંતાતુર બન્યા છે ત્યારે મેઘરાજા આભમાંથી હેત વર્ષાવે તે માટે અમદાવાદમાં પ્રાચીન વૈદિક પરંપરાનો આશરો લેવાયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ખાતે ભગવાન વરુણદેવને પ્રસન્ન કરવા માટે એક વિશેષ અને અનોખા ‘પ્રજન્ય યજ્ઞ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક શ્રદ્ધાળુઓ અને અગ્રણીઓએ હાજરી આપી આહુતિ અર્પણ કરી હતી. પાણી ભરેલા વિશાળ તપેલાઓમાં બેસીને ભૂદેવોએ કર્યા મંત્રોચ્ચાર વસ્ત્રાલ સ્થિત ‘વત્સલ-74’ ખાતે યોજાયેલા આ પ્રજન્ય યજ્ઞમાં એક અત્યંત અનોખો શાસ્ત્રોક્ત નજારો જોવા મળ્યો હતો. અષાઢી માહોલ વચ્ચે 11 જેટલા વિદ્વાન ભૂદેવો પાણીથી છલોછલ ભરેલા વિશાળ તપેલાઓની અંદર આસન જમાવીને બેઠા હતા. જળ મધ્યે બિરાજમાન થઈને આ ભૂદેવોએ કલાકો સુધી પવિત્ર વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞકુંડમાં આહુતિઓ અર્પણ કરી હતી. સનાતન ધર્મની પ્રચલિત માન્યતા અનુસાર, જ્યારે પૃથ્વી પર જળ સંકટ કે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય ત્યારે વરુણદેવને રીઝવવા માટે આ પ્રકારના પ્રજન્ય યજ્ઞાત્મક અનુષ્ઠાનો ઉત્તમ માધ્યમ ગણાય છે. રાજકીય અને સામાજિક આગેવાનોએ આપી હાજરી વરસાદ માટેની આ સામૂહિક પ્રાર્થનામાં વિસ્તારના અનેક સામાજિક તથા રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના અગ્રણી અને જાણીતા સામાજિક કાર્યકર રમેશભાઈ કાંટાવાળા, વસ્ત્રાલ વિસ્તારના વોર્ડ પ્રમુખ પ્રદીપભાઈ પટેલ, સ્થાનિક નગરસેવક પરેશભાઈ પટેલ, મીતભાઈ પ્રજાપતિ, ગોપી ડેરીના સંસ્થાપક હરેશભાઈ પંડિત તેમજ અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી રમેશભાઈ ચૌધરી સહિતના મહાનુભાવોએ યજ્ઞશાળાની મુલાકાત લઈ મેઘરાજાના આગમન માટે આહુતિ આપી પવિત્ર આશીર્વાદ મેળવ્યા હતા. રાજ્યભરમાં વરસાદની કાગડોળે રાહ નોંધનીય છે કે, ગુજરાતભરમાં છેલ્લા પખવાડિયાથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ વરસાદ ન વરસતાં ખેતીના પાક પર જોખમ ઊભું થયું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો ચાતક નજરે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. વસ્ત્રાલ ખાતે આયોજિત આ ધાર્મિક મહાયજ્ઞમાં ઉપસ્થિત રહીને તમામ નાગરિકોએ એક જ સૂર સાથે પ્રાર્થના કરી હતી કે ધરતીપુત્રોની ચિંતા દૂર થાય અને સમગ્ર ગુજરાત પર જલ્દીથી અમૃતવર્ષા થાય.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં પરપ્રાંતિય શ્રમિકોની સૌપ્રથમ નોંધણી અમરેલીથી શરૂ:અમરેલી પોલીસે ‘અમરેલી સુરક્ષા કવચ’ ડિજિટલ એપ લોન્ચ કરી, સ્થળ પર જ મજૂરોનું રજીસ્ટ્રેશન; સુરક્ષા વ્યવસ્થા થશે વધુ મજબૂત
    Next Article
    દક્ષિણ ગુજરાતમાં અલ નીનોની અસર:ડાંગરનો પાક 25 દિવસ મોડો થવાની ભીતિ, પૌવા ઉદ્યોગ અને હજારો શ્રમિકોની રોજીરોટી જોખમમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment