Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોર્ડ-11નાં રહેવાસીઓનો મનપા કચેરીએ હોબાળો:ડે. કમિશનરને રજુઆત કરી ચૂંટણી અને વેરા બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

    6 days ago

    રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટઝોન વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ 11 ના રહીશો છેલ્લા 5 વર્ષથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. રાજકોટના અત્યંત પોશ અને વિકસિત ગણાતા નવા 150 ફૂટ રિંગ રોડ, મોટા મવા અને શ્રી નાથજી ચોક આસપાસની અનેક સોસાયટીઓ તેમજ ફ્લેટ ધારકો પાયાની જરૂરિયાતોથી વંચિત હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. આ વિસ્તારના જાગૃત નાગરિકો નિયમિતપણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાખોનો વેરો ભરપાઈ કરી રહ્યા છે તેમછતાં તેમને બદલામાં માત્ર ખાડાવાળા રસ્તા, અંધારા રસ્તા અને ગટરના ઉભરાતા પ્રશ્નો જ મળ્યા છે. તંત્રની ઘોર બેદરકારી સામે આજે રહીશોએ મનપા કચેરીએ હોબાળો કર્યો હતો અને બાદમાં ડેપ્યુટી કમિશનર નંદાણીને ઉગ્ર રજુઆત કરી હતી. ઉનાળામાં ધૂળની ડમરીઓને કારણે શ્વસનતંત્રના રોગો ફેલાવવાનું જોખમ વધી જાય આ રજૂઆતમાં જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 5 વર્ષથી નર્ક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. વિસ્તારમાં ડામરના પાકા રસ્તાઓનો અભાવ છે, જેના કારણે ચોમાસામાં કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાય છે અને ઉનાળામાં ધૂળની ડમરીઓને કારણે શ્વસનતંત્રના રોગો ફેલાવવાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને નાના બાળકો અને વડીલો માટે આ બિસ્માર રસ્તાઓ પરથી પસાર થવું જીવના જોખમ સમાન બની ગયું છે. સ્ટ્રીટ લાઈટની પૂરતી વ્યવસ્થા ન હોવાથી રાત્રિના સમયે અકસ્માત અને ચોરીનો ભય પણ સતાવી રહ્યો છે. પીવાના શુદ્ધ પાણી અને ગટર જેવી પાયાની સવલતો માટે પણ મનપાના તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. છેલ્લા 5 વર્ષમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી આ તમામ સમસ્યાઓ અંગે છેલ્લા 5 વર્ષ દરમિયાન અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર અને અન્ય જવાબદાર અધિકારીઓના દરવાજા ખટખટાવ્યા હોવા છતાં, માત્ર આશ્વાસનો સિવાય કંઈ જ મળ્યું નથી. સામાન્ય નાગરિકની મૂળભૂત જરૂરિયાત ગણાતી સફાઈની સુવિધા પણ આ વિસ્તારમાં નિયમિત રીતે આપવામાં આવતી નથી. તંત્રના આવા જડ વલણને કારણે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં અમને જરા પણ રિસ્પોન્સ મળ્યો નથી દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં રિદ્ધિબેન સેરઠીયાએ જણાવ્યું હતું કે, મોટા મવા વિસ્તારના એપાર્ટમેન્ટના બધા લોકો અહીં એકત્રિત થયેલા છીએ. અમારા મુખ્ય પ્રશ્નો રસ્તા, પાણી અને વીજળીના છે, જેના લીધે આટલા વર્ષોથી અમે લોકો રેગ્યુલર વેરો ભરીએ છીએ છતાં પણ અમારા એક પણ પ્રશ્નનું નિરાકરણ નથી મળ્યું અને બેઝિક સુવિધા અમને લોકોને મળેલી જ નથી. એ માટે અમે લોકોએ ઘણી વખત રજૂઆત કરેલી છે, છતાં પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી થયેલું, એટલા માટે અમે લોકો અહીં રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જો આ લોકો અમને બેઝિક ફેસિલિટી નહીં આપે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું. અનેક વખત રજૂઆતો કરવા છતાં અમને જરા પણ રિસ્પોન્સ મળ્યો નથી. અમે ચોમાસામાં અને રેગ્યુલર દિવસોમાં પણ ખૂબ જ હાલાકી ભોગવીએ છીએ. રોડ રસ્તાના કારણે મોટરસાયકલ પરથી પણ લોકો પડી જાય છે, કેટલાય લોકોના હાડકા પણ ભાંગેલા છે. ગાંધી ચીંધ્યા માર્ગે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે જશુભાઈ પટેલે જણાવ્યું કે, અમે મોટામવા નવા રિંગ રોડ ઉપર 7 વર્ષથી અમારા 1000 જેટલા ફ્લેટો આવેલા છે. અમે પ્રાથમિક સુવિધાના અભાવે ખૂબ જ પરેશાન છીએ, જેની અમે અહીં રજૂઆત લઈને આવ્યા છીએ. અમે બધા ટેક્સ પેયર લોકોને પ્રાથમિક સુવિધા જેવી કે રોડ-રસ્તા, સફાઈ, લાઈટિંગ કોઈપણ જાતની સુવિધા આપવામાં આવતી નથી. વારંવાર બધા નેતાઓ અને અધિકારીઓને રજૂઆત કરેલ છે પણ કોઈ પરિણામ મળ્યું નથી. અમારી વિનંતી છે કે, તાત્કાલિક અમને રોડ-રસ્તા અને સુવિધા આપે નહીંતર ગાંધી ચીંધ્યા માર્ગે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે, વેરો ભરવામાં આવશે નહીં અને જેટલા શક્ય હોય એટલા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. "સુવિધા નહીં તો વેરો નહીં અને મત પણ નહીં" ના સૂત્રોચ્ચાર રહીશોએ તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારનાં લોકોએ આરપારની લડાઈનું રણશિંગું ફૂંક્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં મનપા તંત્રને ચિમકી ઉચ્ચારી છે કે, જો ટૂંકા સમયગાળામાં રોડ, રસ્તા, લાઈટ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનાં પ્રશ્નો ઉકેલ લાવવામાં નહીં આવે, તો તેઓ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે. એટલું જ નહીં, જે મનપા તેમને સુવિધા આપી શકતી નથી તેને એક પણ રૂપિયો વેરો ન ભરવાનો નિર્ધાર પણ રહીશોએ કર્યો છે. "સુવિધા નહીં તો વેરો નહીં અને મત પણ નહીં" ના સૂત્રોચ્ચાર સાથે રહીશોએ તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ મામલે ક્યારે અને શું કાર્યવાહી કરશે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં કેન્દ્રીય સચિવ નિરાલાએ PM ધન ધાન્ય યોજનાની સમીક્ષા કરી:2026-27ના એક્શન પ્લાન અંગે માર્ગદર્શન આપ્યું, પ્રાકૃતિક ખેતી-રોજગારી પર ભાર
    Next Article
    6 કિલો મેફેડ્રોન મામલો, ATSએ બે આરોપીની UPથી ધરપકડ કરી'તી:બંને આરોપીને મેટ્રોપોલિટન કોર્ટે 12 દિવસના રિમાન્ડ પર સોંપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment