Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદિજાતિ વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સ 10 મિનિટમાં પહોંચશે:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય, અંતરિયાળ વિસ્તારોમાં મળશે ઝડપી જીવનરક્ષક સારવાર

    6 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગુજરાતના અંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ મજબૂત કરવા ઘણા પગલાં લીધા છે. ઇમરજન્સી એમ્બ્યુલન્સ નેટવર્કના નવા વિસ્તરણનો મુખ્ય હેતુ એ છે કે, ભૌગોલિક મુશ્કેલીઓને કારણે આદિજાતિ સમુદાયના લોકોને સમયસર અને જીવનરક્ષક તબીબી સેવા મળવામાં વિલંબ ન થાય. ગાંધીનગરમાં 19 સપ્ટેમ્બરે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ વિસ્તારોમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો રિસ્પોન્સ સમય ઘટાડવા ખાસ આયોજન કરાયું છે. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે કે, નવી એમ્બ્યુલન્સ ઉમેરાવાથી આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને રાજ્યના સરેરાશ રિસ્પોન્સ ટાઈમ સુધી લાવવામાં આવે. નવી એમ્બ્યુલન્સ સાથે, આદિજાતિ વિસ્તારોમાં સરેરાશ ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ હાલની 18 મિનિટ 32 સેકન્ડથી ઘટાડીને લગભગ 10 મિનિટ કરવાનો લક્ષ્ય છે. આ પહેલથી હોસ્પિટલ પહોંચાડવાની ઝડપમાં પણ સુધારો થવાની આશા છે. રિસ્પોન્સ ટાઈમમાં થતો આ ઘટાડો આદિજાતિ અને બિન-આદિજાતિ વિસ્તારો વચ્ચેનો હાલનો તફાવત દૂર કરવામાં મદદ કરશે. તે સુનિશ્ચિત કરશે કે ભૌગોલિક રીતે મુશ્કેલ સ્થળોએ દર્દીઓને શક્ય તેટલી વહેલી તકે ઇમરજન્સી મદદ મળે. આદિજાતિ વિસ્તારો માટે કુલ 89 નવી એમ્બ્યુલન્સનું આયોજન કરાયું છે. આ એમ્બ્યુલન્સ આદિજાતિ વિસ્તારોની વિવિધ ઇમરજન્સી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેમાં નીચે મુજબનો સમાવેશ થાય છે: ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે 22 એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ (ALS) એમ્બ્યુલન્સ. ઇમરજન્સી પરિવહન અને જીવનરક્ષક જરૂરિયાતો માટે 55 બેઝિક લાઈફ સપોર્ટ (BLS) એમ્બ્યુલન્સ. મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ, કાચા રસ્તાઓ અને પૂર પ્રભાવિત વિસ્તારો માટે ખાસ ડિઝાઇન કરાયેલી 12 ફોર-વ્હીલ-ડ્રાઇવ (4WD) એમ્બ્યુલન્સ. ખાસ કરીને ભારે વરસાદના સમયે આ 12 ખાસ 4WD એમ્બ્યુલન્સ ખૂબ ઉપયોગી થશે. અતિભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિમાં સામાન્ય એમ્બ્યુલન્સને દર્દીઓ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે, પરંતુ નવી એમ્બ્યુલન્સ આ અવરોધોને પાર કરીને દર્દીઓ સુધી પહોંચી જશે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, ઇમરજન્સી સેવા ઝડપથી પહોંચી જવાથી દર્દીઓને 'ગોલ્ડન અવર'માં નિર્ણાયક સારવાર મળવાની શક્યતામાં સુધારો થશે. આ પહેલ ઇમરજન્સી પરિવહનના બંને મહત્વના તબક્કાઓ—દર્દી સુધી ઝડપથી પહોંચવું અને દર્દીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા—પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી 89 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ખરીદવાની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં તે કાર્યરત થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    હોસ્ટેલના 10મા માળેથી મોતની છલાંગ:ગુજરાતમાં PSIની 200 નવી જગ્યાઓ મંજૂર, ડેડિયાપાડાની આશ્રમ શાળામાં એકસાથે 11 બાળકો ધુણ્યા
    Next Article
    ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલના વિદ્યાર્થીઓ પાણીમાં ઊભા રહી જમ્યા, VIDEO:હોસ્ટેલની મેસમાં વરસાદી પાણી ભરાતા કાનખજૂરો તરતો જોવા મળ્યો, વીડિયો વાઇરલ થતા કુલપતિએ ફોન ઉપાડવાનું ટાળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment