Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મેળામાં લોકો-બાઉન્સરો વચ્ચે મારામારી, VIDEO:બાળકો સાથે મેળો માણવા આવેલા લોકોને પાઈપથી ફટકાર્યા, સંચાલકે કહ્યું- 'ટોળાએ મેળો સળગાવવાની ધમકી આપી'

    6 hours ago

    વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલો રોયલ મેલો વિવાદમાં આવ્યો છે. રવિવારે મેળો માણવા આવેલા લોકો અને બાઉન્સરો વચ્ચે છુટાહાથની મારામારી થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. બાઉન્સરોએ પાઈપોથી હુમલો કર્યો હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરાયો છે. તો બીજી તરફ મેળાના સંચાલકે પણ આક્ષેપ કરતા કહ્યું છે કે, જે લોકોએ માથાકૂટ કરી હતી તેઓએ મેળો સળગાવીને બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. બાળકોને લેવા જવા ફરી એન્ટ્રી કરવાનો પ્રયાસ કરતા માથાકૂટ સર્જાઈ હતી ફરિયાદ કરનાર મહિલા પરવીને જણાવ્યું હતું કે, અમે પાદરા મારા બહેનના ઘરે આવ્યા હતા. બાળકોને વેકેશન હોવાથી અમે અહીં વડોદરામાં લાલબાગ પાસે આવેલા રોયલ મેળામાં ફરવા ગયા હતા. અમે ખુશીથી બાળકો સાથે મેળાની મજા માણી રહ્યા હતા અને 'જલપરી' રાઈડમાં ગયા હતા. ત્યાં ભીડમાં અમારા બે નાના છોકરાઓ અટવાઈ ગયા હતા. જ્યારે અમે એ છોકરાઓને લેવા માટે ફરીથી અંદર જવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે ત્યાં હાજર લેડીઝ બાઉન્સરોએ અમારી સાથે ગેરવર્તણૂક કરી હતી. એ લોકો બાઉન્સર નહીં પણ ખરેખર ગુંડા જેવું વર્તન કરતા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલા બાઉન્સરે મારો હાથ પકડીને મને જોરથી ધક્કો માર્યો અને નીચે ફેંકી દીધી હતી. આ જોઈને મારી બહેન વચ્ચે આવી હતી, તો ત્યાં હાજર જેન્ટ્સ બાઉન્સરોએ પણ અમારા પર હુમલો કર્યો હતો. તેઓએ મારા ભાઈ, મારા પતિ, મારી બહેન અને નાના બાળકો પર પણ દયા રાખ્યા વગર હુમલો કર્યો. આ બહુ જ ભયાનક હતું. અમે પોલીસ ફરિયાદ કરી છે. અમને નવાઈ લાગે છે કે પોલીસ આવા ગુંડાઓને મારવાની પરવાનગી કેવી રીતે આપી શકે? તેઓએ કહ્યું કે, અમારી તંત્ર પાસે એક જ માંગણી છે કે, આ મેળો તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે. તેઓએ વધુમાં કહ્યું કે, શરૂઆત માત્ર એટલી જ હતી કે, રાઈડમાંથી બહાર નીકળ્યા પછી બાળકો અંદર રહી ગયા હોવાથી અમે તેમને લેવા જવા માંગતા હતા. પણ પેલા લોકોએ જીદ પકડી કે એકવાર બહાર નીકળ્યા પછી અંદર નહીં જવા દઈએ. નાના બાળકો માટે કોઈ પણ મા-બાપ અંદર જાય જ ને! આ લોકોની ગુંડાગીરી અને મિલીભગત છે. અમને ન્યાય મળવો જોઈએ. માથાકૂટ કરનારા લોકોએ મેળો સળગાવી બંધ કરવાની ધમકી આપી- સંચાલક રોયલ મેળાના સંચાલક હિતેશભાઈએ જણાવ્યું હતું કે, અમે વેપારી માણસો છીએ. અમે ક્યારેય એવું કોઈ કામ ન કરીએ જેનાથી અમને કે બીજા કોઈને તકલીફ પડે. અમારા માટે પબ્લિક એ ભગવાન સમાન છે. સીસીટીવી ફૂટેજ અમે પોલીસ પ્રશાસનને સોંપ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક લોકો અમારા સિક્યુરિટી સ્ટાફને અને લેડીઝ સિક્યુરિટીને પણ મારી રહ્યા છે. એ લોકો 'જલપરી' જોઈને બહાર મેળામાં ફરવા જાય છે અને પછી ત્યાંથી ફરી પાછા રિટર્ન એન્ટ્રી લેવાનો આગ્રહ રાખે છે. હવે જે નવી પબ્લિક અંદર શો જોવા આવી હોય, તેમને અસુવિધા ન થાય તે માટે અમારા સિક્યુરિટી સ્ટાફે તેમને રિટર્ન એન્ટ્રી લેતા રોક્યા હતા. બસ, આટલી જ વાત હતી. તેઓએ કહ્યું હતું કે, એ લોકોએ મેળો સળગાવી દેવાની અને મેળો બંધ કરાવી દેવાની ધમકી આપી. 25-30 જણાનું ટોળું ભેગું થઈ ગયું હતું. અમે તો વિનંતી કરી, તેમને પગે પણ લાગ્યા કે ભાઈ આવું ન કરો, છતાં તેઓ ન માન્યા. અંતે અમારે મજબૂર થઈને 112 નંબર પર પોલીસને જાણ કરવી પડી અને પોલીસને બોલાવવી પડી હતી.
    Click here to Read More
    Previous Article
    'દુનિયાની કોઈ શક્તિ ભારતને દબાવી શકે નહીં':સોમનાથમાં મોદી: આધ્યાત્મિકતા, પરમાણુથી લઈ ભારતની શક્તિ સુધીની વાતો ને અંતે હરહર મહાદેવનો નાદ
    Next Article
    મેડિકલ એજન્સીના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં:કારણ જાણવા FSLની મદદ લેવાશે, એસ્ટેટ વિભાગ-પોલીસ તપાસ કરશે; જોધપુરમાં BRTS બસ સ્ટેન્ડ પાસેનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment